Book Title: Samaysara Siddhi 5
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 480
________________ શ્લોક–૯૫ અભાવ થાય ત્યારે કર્તાકર્મભાવનો પણ અભાવ થાય છે. ૯૫. શ્લોક-૯૫ ઉપર પ્રવચન विकल्पकः परं कर्ता विकल्प: कर्म केवलम् । न जातु कर्तृकर्मत्वं सविकल्पस्य नश्यति ।।९५।। ૪૬૫ વિકલ્પક: મિથ્યાત્વનો વિકલ્પ ક૨ના૨, “કઃ” છે ને.. વિકલ્પકઃ છે, મિથ્યાત્વનો ક૨ના૨ એમ કહેવું છે. આહાહા ! સ્વરૂપ વિજ્ઞાનન પ્રભુ એનાં ત૨ફનાં ઝુકાવને છોડીને, મિથ્યાત્વભાવનો ક૨ના૨ો જ મિથ્યાત્વને કરે છે, આહાહા !વિકલ્પક: એ મિથ્યાત્વને ક૨ના૨ જ કેવળ મિથ્યાત્વ કર્તા છે. આહાહા ! એમ કહ્યું એમાં કે ઇ ભઈ, વિકલ્પ જે મિથ્યાત્વનો છે, એ કોઇ દર્શન મોહનીય કર્મ છે, માટે આ થયો છે, એમ નથી. એ વિકલ્પક: કર્તા, એ મિથ્યાત્વભાવ જ. આહાહા ! અશુદ્ધભાવ જ એનો કર્તા છે. અશુદ્ધભાવ અશુદ્ધભાવનો કર્તા છે, મિથ્યાત્વ એ મિથ્યાત્વનો કર્તા છે, એમ કહીને કંઇ કર્મ કોઇ કર્તા છે ને કર્મનો ઉદય આવ્યો આકરો એને માટે આ વિકલ્પ આવ્યો છે, ને મિથ્યાત્વ થયું છે, એમ નથી. આહાહા ! વિકલ્પ ક૨ના૨ જ મિથ્યાત્વ કરનાર જ, રાગ ને અશુદ્ધતાને પોતાની માનનાર, રાગ ચાહે તો શુભ હો.. એ તો બપો૨ે આવી ગયું છે ને એ તો દુઃખનાં વિજયને જાહેર કરે છે. શુભભાવ, પુણ્યબંધ થઇ સામગ્રી મળે, તેની તૃષ્ણા ત૨ફ ઢળે ને દુ:ખ ત૨ફ જ તેનો વેગ છે. આહાહા ! એ દુઃખને જાહેર કરે છે, શુભભાવ પણ દુઃખને જાહેર કરે છે, શુભભાવમાં દુઃખનો વિજય છે, પ્રભુનો એમાં પરાજય છે. આહાહા ! અહીંયા વિકલ્પ જ ક૨ના૨ છે એમ વિકલ્પ ક૨ના૨ જ એ મિથ્યાત્વ જ મિથ્યાત્વનો ક૨ના૨ છે એમ, કર્મને લઇને આ મિથ્યાત્વ કરનાર લઇને મિથ્યાત્વ થયું એમ નથી. આહાહા ! કા૨ણકે પોતાનું અસ્તિત્વ જ ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્તમાં જ એનું અસ્તિત્વ સમાઇ જાય છે. ઉત્પાદ–વ્યય એટલે પર્યાય ને ધ્રુવ એમાં જ એનું અસ્તિત્વ સમાઇ જાય છે, હવે એનાં અસ્તિત્વમાં પોતાની ભૂલ, પોતાથી થાય છે, એનાં અસ્તિત્વમાં એનાં અસ્તિત્વથી તેની ભૂલ પોતાથી થાય છે. આહાહા ! ૫૨ને ને એને કંઇ સંબંધ નથી, એમ કહે છે. แ વિકલ્પ કરનાર જ ‘જે’ છે ને ? કથંચિત્ કર્મ મિથ્યાત્વને કરે ને કથંચિત્ મિથ્યાત્વ મિથ્યાત્વને કરે એમ અનેકાંતથી કહે છે એ એમ નથી. એકાંત આમ છે તે જ અનેકાંત છે. મિથ્યાત્વ મિથ્યાત્વને કરે છે ને કર્મથી તે થતું નથી, એ અનેકાંત છે. આહાહા ! એટલું જોર છે “કઃ” શબ્દમાં, વિકલ્પક: આહાહા !વિકલ્પોનો ક૨ના૨ો જ કેવળ કર્તા છે. આહાહા ! કેવળ કર્તા, એકલો કર્તા, એ જ કર્તા, બીજો કોઇ કર્તા, કર્મ ? કે નહીં. આહાહા ! અને વિકલ્પકઃ કેવળ કર્મ, કર્તા લેવોતો ને એટલે વિકલ્પકઃ કર્યો હતો હવે એને કર્મ બનાવવું છે, કાર્ય એટલે પછી “કઃ” ની કાંઇ જરૂર નહીં. વિકલ્પ એક કેવળ કર્મ, મિથ્યાત્વ જ કેવળ કાર્ય છે. મિથ્યાત્વ જ કેવળ કાર્ય છે. આહાહા ! બીજા કોઇ કર્તા-કર્મ નથી, બીજું કોઇ કર્તા ને મિથ્યાત્વ કર્મ, એમ નથી. આહાહા!

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510