Book Title: Samaysara Siddhi 5
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 472
________________ શ્લોક–૯૩ ૪૫૭ એવો વિજ્ઞાન એક ૨સ ભગવાન, આહાહા ! વિજ્ઞાન જ જેનો એક ૨સ છે–વિજ્ઞાન જ જેનું એક સ્વરૂપ છે, વિજ્ઞાન જ જેનું એકલું તત્ત્વ છે. વિજ્ઞાન ‘જ' –કથંચિત્ વિજ્ઞાન છે ને કથંચિત્ અલ્પજ્ઞતા છે, કે બીજું છે એવું કાંઈ છે નહીં. એકાંત વિજ્ઞાન ‘જ’ વિજ્ઞાન ‘જ' એકલો... વિજ્ઞાનઘન જે રસ-વિજ્ઞાનનો જ જેનો ૨સ છે. એવો ભગવાન છે. એવો આ આત્મા ભગવાન છે. નિર્વિકલ્પમાં અનુભવ થતાં, તે વિજ્ઞાન૨સ તેનું એક સ્વરૂપ છે એવો એ ભગવાન છે. આહાહાહા ! વિજ્ઞાન ‘એક રસ ’ –ભેદ નહીં અખંડ એકરસ આખો પ્રભુ ! આહા...હા ! અનંત...અનંત... અનંત...અનંત...અનંત વિજ્ઞાન સ્વભાવ જેની મર્યાદા નથી, પરિમિતતા નથી, હ્રદ નથી એવો બેહુદ ભગવાન જેનો વિજ્ઞાન એક ૨સ છે. આહાહાહા! એવો એ ભગવાન છે. ચોથા ગુણસ્થાનવાળો અનુભવ કરે ત્યારે કહે આવો વિજ્ઞાન એક ૨સ ભગવાન છે, એમ કહે છે. આહાહા ! આવી વાત લ્યો. એમ પુખ્ય: પુરાન: પુમાન –આ પુણ્યનો અર્થ પવિત્ર છે. એ પુણ્ય જે બપોરે કહેવાયું તે શુભઉપયોગ ને દુઃખનો વિજય ને એ નહીં, આ પુણ્ય એટલે પવિત્ર ભગવાન એકલા પવિત્રતાના ગુણોનો પિંડ પ્રભુ છે. એકલા પવિત્રતા, અનંતગુણના પવિત્રતાનો ૨સકંદ છે. આહા ! આત્મા એટલે શું ? આહાહા ! જેની પાસે સિદ્ધભગવાનની પર્યાય પણ જ્યાં તુચ્છતા ગણાય. આહાહા ! એવો જે ભગવાન આત્મા પવિત્ર, એક વાત. ‘પુરાણ’, અનાદિનો છે કહે છે. આહા ! તને, જણાણો એટલે એમ લાગે કે આ અત્યારે પણ એ અનાદિનો ભગવાન એવો છે જ. આહાહા ! ખ્યાલમાં આવ્યો ત્યારે તને લાગ્યું કે આ છે પણ ઈ તો અનાદિનો એવો હતો જ– હતો એવો તને અનુભવમાં આવ્યો છે. આહા ! શું કળશ ! આહાહાહા ! અમૃત રેડયાં છે, અમૃતચંદ્રે તો, આહા...હા ! હવે એમાંય દોષ કાઢે કેટલા ’ક તો કિલષ્ટ ભાષા છે ને ઢીંકણું છે ને ફલાણું છે ને, કોણ, અમૃતચંદ્રાચાર્ય ચાલતા સિદ્ધ છે. આહા ! હશે જ્યારે ભરતક્ષેત્રમાં એક હજાર વર્ષ પહેલાં...આહાહા ! એ પુરુષ પવિત્ર છો પ્રભુ તું, તું પુરાણ છો, પુરાણો છે, નવો નથી એ તો જુનો અનાદિનો...અનાદિ... અનાદિ...જેની ક્યાંય આદિ નથી એવો તું પ્રભુ પુરાણ છો. આહાહા ! એવા મહાપ્રભુના અસ્તિત્વને અનુભવ.... તેમાં તને આત્માના, આનંદનો સ્વાદ આવશે...અને ભવનો અંત આવશે... ભવ નહિ હવે...આહા ! પુરાણ પુરુષ છે એ અનાદિ આત્મા છે. જ્ઞાનં વર્શનમ્ અપિ અયં –તેને જ્ઞાન કહો, ત્રિકાળી હો જ્ઞાયક, જ્ઞાન, ધ્રુવ, જ્ઞાન પારિણામિક ત્રિકાળી ૫૨મ પારિણામિક સ્વભાવ એવો જ્ઞાન, એને દર્શન કહો, તે આ સમયસાર જ છે. આહાહાહા ! ‘અથવા ર્િ' અરેરે ! વધારે શું કહીએ ? આહાહા ! યત્ વિષ્વન અપિ અયન : જે કાંઈ છે તે આ એક જ છે, એના નામ ભલે જુદાં જુદાં પાડો કે આ જ્ઞાન ને આ દર્શન ને આ આનંદ ને સત્તા, અસ્તિત્વ ને વસ્તુત્વ ને...સ્વચ્છત્વ ને... પ્રભુત્વ ને એ નામ પાડો ગમે તેટલા પણ વસ્તુ તો તે અખંડ એક છે. જે છે ઈ એક જ છે. આહાહાહા ! ‘યત્ ધ્વિન ગપિ ઞયમ !' જે કાંઈ છે તે આ એક જ છે. માત્ર જુદાં જુદાં નામથી કહેવાય છે. આહાહાહા ! બહુ સરસ કળશ આવ્યો. એનાં જ્ઞાનમાં નિર્ધાર તો કરે આવું, જ્ઞાનમાં આવો નિર્ધાર કરે કે આ વસ્તુ, પૂરણ ધ્રુવ

Loading...

Page Navigation
1 ... 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510