Book Title: Samaysara Siddhi 5
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 471
________________ ૪૫૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ એને, નિર્વિકલ્પ ભાવને પામતો “ય: સમયસ્થ સાર: ભાતિ' આત્માનો શુદ્ધ આત્મા પ્રકાશે છે, ભાતિ નો અર્થ કર્યો. “ય: સમયસ્થ સાર: ભાતિ' -ત્યાં સમયસાર એટલે આત્મા શુદ્ધચૈતન્યઘન, ભાતિ –પ્રકાશે છે. આહાહા ! : સમયસ્થ સાર: ભાતિ આકરું કામ બહુ ભાઈ. આહાહા ! લોકોને, પહેલી વસ્તુની શરૂઆત વિના ઉપરની બધી વાતું. વ્રત ને તપ ને, અભિગ્રહ ને, આહાહા ! આ મૂળ ચીજ જે આત્મા આવો છે, ઈ ઓલામાં ન આવ્યું ૧૭, ૧૮ માં એમ કે આત્મા આવો જાણો છે ને માન્યો છે, કે માનવામાં એમ આવ્યું છે કે આમાં ઠરીશ એટલી અશુદ્ધતા જશે. કર્મ ટળશે. આહાહા ! ઈ એની ક્રિયા ઈ શ્રદ્ધામાં એમ આવે છે. આહાહા ! અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ દૃષ્ટિમાં ને જ્ઞાનની પર્યાયમાં ભાસે છે પૂરણ જ્યારે, તે ભાસેલી ચીજમાં ઠરવું છે એ શ્રદ્ધા-સમકિત એમ માને છે. સમકિત થતાં એને એમ થાય છે કે “આ શુદ્ધચેતન્યમાં જેટલું આનંદમાં ઠરીશ, એટલું કર્મ અથવા અશુદ્ધતા ટળશે.” –કોઈ અપવાસ, બપવાસ કરીશને આટલાં અપવાશ કરીશને છ મહિનાનાં ફલાણા કરીશને આટલું પ્રાયશ્ચિત લઈશ તો એવું નથી એમાં કાંઈ. આહાહા ! આ સમયસાર આત્માનો સાર એટલે શુદ્ધાત્મા, દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ રહિત, વિકલ્પ રહિત, રાગના આશ્રય રહિત, ત્રિકાળી ભગવાન શુદ્ધચૈતન્યઘન એવો ‘સમસ્યસાર: ભાતિ' સાર તે ભાતિ એવો શોભે છે, પ્રકાશે છે, –અનુભવમાં આવે છે. આહાહા ! હીરાલાલજી? આવી વાત છે. તમારો રોકાણો છે આંહી સાંભળવા, રાજેષ, રોકાણો છે સાંભળવા. આહા ! આવી ચીજ છે. તે સમયસાર સ US: તે આ સમયસાર શુદ્ધ આત્મા નિમ્રતે: સ્વયં માસ્વાદ્યમાન:નિશ્ચળ એટલે ચિંતા વિનાના પ્રાણીથી નિમૃત: ચળાચળ વિકલ્પથી રહિત એવા નિમૃત: પુરુષોથી, આત્મલીન પુરુષો વડે સ્વયં આસ્વાદ્યમાન છે. –સ્વયં આસ્વાધમાન છે અને આનંદના આસ્વાદ માટે કોઈની અપેક્ષા નથી. આહાહા ! આ તો હજી સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાનની વાત ચાલે છે. હવે એને કોઈ એમ લઈ લ્ય કે આ તો કોઈ એલ.એલ.બી ને એમ.એ.ની વાત છે. આહાહાહા ! નિભૂત પુરુષો વડે (એટલે) ચંચળતાના વિકલ્પ વિનાના પુરુષ વડે, આહા! એવા આત્મા વડે-પુરુષ એટલે આત્મા, એ વડે સ્વયં-અતીન્દ્રિય આનંદના આસ્વાધમાન લેવાય છે. આહાહા!-અતીન્દ્રિય આનંદનો અનુભવ નિકૃત પુરુષો વડે, આહાહાહા ! ચંચળતાના વિકલ્પો વિનાના પુરુષો વડે આસ્વાદ લેવાય છે. આહાહા! તે વિજ્ઞાન એક રસ ભગવાન, હજી તો ચોથા ગુણસ્થાનની વાત કરે છે ને ત્યાં પ્રભુને ભગવાન કીધો, એ આકરું લાગે માણસને, બાપુ! ભગવાન જ છો-પરમેશ્વર છો. એ આડત્રીસ ગાથામાં આવ્યું ને પોતાના પરમેશ્વરને ભૂલી ગયો છે. એક સમયની પર્યાયની પાસે જ પડયો છે પ્રભુ! ઉત્પાદની જે પર્યાય છે એની અંદરમાંઅંતરમાં પાસે પડ્યો છે બહારમાં નહીં. એક સમયની પર્યાયમાં-ઉત્પાક્ની પર્યાયમાં..અંતમાં જોતાં ભગવાન ત્યાં સમીપમાં જ પડ્યો છે. આહાહાહા

Loading...

Page Navigation
1 ... 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510