Book Title: Samaysara Siddhi 5
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 476
________________ શ્લોક-૯૪ ૪૬૧ એક પછી એક, એક પછી એક, એક પછી એક વિકલ્પ, પૂણીમાં પૂણી સાંધે જેમ-૩ની પૂણી (કાંતતા કાંતતા) એક થઈ રહે ને બીજી જોડે (એ રીતે ) એ વિકલ્પની જાળ, જાળ હોં? છે ને! મૂરિ–વિવેકપંનીન–ાહને પ્રચુર વિકલ્પજાળના ગહન વનમાં દૂર ભમતો, શરીરમાં ને પરમાં ભમતો એમ નહીં, શરીરમાં કે કર્મમાં કે પરમાં ભમતો એમ નહીં. આહાહાહા ! પ્રચુર વિકલ્પજાળના ગહન વનમાં, આહાહા.... ભગવાન આખો વિજ્ઞાનઘન ભગવાન તેના તરફની પર્યાયમાં શ્રુત થઈને, પર્યાયમાં એ વિકલ્પજાળ ગહન વન–એટલી વિકલ્પની જાળ ઊભી કરી કે જેમાંથી ગહનપણું-ગંભીરપણું ઊંડાણ ઊંડાણ હાલ્યો જ જાય વિકલ્પની જાળમાં. આહાહા! પ્રપુર– મૂરિ– વિત્પના–સાહન –ગહન, ગહન વન વિકલ્પની જાળ તે પણ પાર ન મળે. આહાહા ! ભગવાન વિજ્ઞાનઘનસ્વભાવ તરફ ઝૂકાવ છોડીને, પર તરફના ઝૂકાવના જાળના ગહન વનમાં ( વિકલ્પોથી) ત્યાં ભમી ગયો, વનમાં દૂર ભમતો થકો-વિકલ્પની જાળ, સ્વભાવથી ભિન્ન દૂર છે ને? વ્રત–તેને દૂરથી જ દૂરથી જ એટલે ત્યાં ન જાય ત્યાં પાછી વાળી લે એમ કીધું વિકલ્પ આઘા, લાંબા ન જાય...પાછા વાળી લ્ય (એટલે કે) દૂરથી જ વિવે–નિમ્ન– નામના વિવેકરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા-ભેદજ્ઞાન,આહાહા! વિવેકરૂપી ભેદજ્ઞાનનો ઢાળવાળો મારગ જેમ ઓલું પાણી ઢાળ માર્ગે નદીમાં હાલ્યું જાય તે એ વહેતું વહેતું નદીમાં હાલ્યું જાય, એમ વિવેકરૂપી ઢાળ-એ વિકલ્પથી ભિન્ન પડવાનો ભેદજ્ઞાનરૂપી ઢાળ(રૂપી) મારગ દ્વારા નિન–ગોવં–વનાત્ પોતાના વિજ્ઞાનઘનસ્વભાવ તરફ, બળથી વાળવામાં આવ્યો. આહાહા ! પર્યાયને. વિજ્ઞાનઘન તો છે ઈ છે. આહા...હા ! પોતાના વિજ્ઞાનઘનસ્વભાવ તરફ બળથી વાળવામાં આવ્યો, એટલે એમ કે પોતાના પુરુષાર્થથી કર્યું છે કામ. કર્મ કંઈ ઘટયું ને કર્મ કાંઈ મારગ આપ્યો ને...આમ એ નથી, એમ કહે છે. પોતાના બળથી પોતાના વિજ્ઞાનઘન સ્વભાવ તરફ બળથી વાળવામાં આવ્યો. જીવને આહાહા ! ત––સિનામું -કેવળ વિજ્ઞાનઘનના જ રસીલા પુરુષોને, આહાહા ! એ વિકલ્પનો જે રસ હતો તે પાછો વાળ્યો તે વિજ્ઞાનઘનના રસના રસીક જીવ. આહાહા! એ આનંદના રસના રસીલા જીવ અંદરમાં વળી ગયા કે' છે. આહાહા! કેવળ વિજ્ઞાનઘનના જ રસીલા જીવ એટલે -એકલા વિજ્ઞાનઘનના જ રસીક, વિકલ્પમાત્ર નહીં, પર્યાયનો આશ્રય નહીં. આહાહા ! એકલા વિજ્ઞાનઘનના “જ” આ એકાંત કર્યું. (શ્રોતા-છ આવશ્યક ક્યારે કરવા ?) એ આવશ્યક આ. છ એ આવશ્યક આવી ગયા. અરે દ્રવ્ય ગુણ પર્યાયનો વિચાર કરે તેય અઆવશ્યક (છે ). આવે છે ને “નિયમસાર'માં કાલે સજજાય આવી ગઈ હતી, દ્રવ્ય ગુણ ને પર્યાય ત્રણનો વિચાર કરે એ અનાવશ્યક અરે શુભરાગ આવે ભગવાનની ભક્તિનો એય અનાવશ્યક આવશ્યક નહીં. આવું છે. વિજ્ઞાનg૨H: માત્મા, પણ કોને ? ત૬ સિનામ વિજ્ઞાનઘનના રસિલા પુરુષોને, વિજ્ઞાન-–૨: માત્મા, જે એક વિજ્ઞાનરસવાળો જ અનુભવાય છે. વિજ્ઞાનઘનના રસિલા પુરુષોને, વિકલ્પોને દૂરથી જ પાછા વાળીને, જે એક વિજ્ઞાનરસવાળો જ અનુભવાય છે. વિજ્ઞાનધનના રસિલા પુરુષોને, એક વિજ્ઞાનરસવાળો જ અનુભવાય છે. આ એની પદ્ધતિ ને રીત છે.

Loading...

Page Navigation
1 ... 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510