Book Title: Samaysara Siddhi 5
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 453
________________ ૪૩૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫ જિનસ્વરૂપ કહો કે વિકલ્પાતીત કહો અનુભૂતિસ્વરૂપ કહો એ પણ છે, એ છે તેના અસ્તિત્વનુંવિકલ્પના ભાવનું નાસ્તિત્વપણું, એવું એના ખ્યાલમાં આવે, ત્યારે તે કારણપરમાત્મા છે એમ આવ્યું ત્યારે એને પર્યાય સમ્યગ્દર્શન કાર્ય થયું જ છે, એને અનુભૂતિ ને સમ્યગ્દર્શન થયું જ છે, પણ એને શ્રદ્ધામાં પકડે ત્યારે ને? માને ત્યારે ને, માન્યતામાં પર્યાયમાં ને રાગમાં વિકલ્પમાં તે રોકાઈ ગયો છે, હવે એને કારણપરમાત્મા ક્યાં છે? છે ભલે શક્તિએ, પણ એને ક્યાં છે? આહાહા ! એ પોતાના જ્ઞાનસ્વભાવ દ્વારા, જ્ઞાતા વસ્તુને પકડે, ત્રિકાળી જ્ઞાયકભાવ અને વર્તમાન, જ્ઞાનની પર્યાય દ્વારા પકડે, ત્યારે તેને જાણવામાં આવે કે આ પરમાત્મા છે. ત્યારે તેને જાણવામાં આવે કે આ જિનસ્વરૂપ છે. આહાહા ! ત્યારે તેને સમ્યગ્દર્શનમાં-સમ્યક્ જેવું સત્ય પૂરણ છે તેનું દર્શન એટલે પ્રતીત થઈ. આહાહા! સમ્યગ્દર્શન સમ્યક સત્ય પરિપૂર્ણ પરમાત્મા, વિકલ્પ વિનાની ચીજ જ છે–વસ્તુમાં વિકલ્પ કેવો? વસ્તુ છે તેમાં અપૂર્ણતા કેવી? વિકૃતતા કેવી? આહાહા ! એને આવરણ કેવું? આહાહા! નિરાવરણ..પૂરણ... એવી દૃષ્ટિ થઈ જ્યારે જ્ઞાન-અનુભવમાં, ત્યારે એને માટે આ જિનસ્વરૂપ છે એમ આવ્યું, ત્યારે આત્મખ્યાતિ થઈ, ત્યારે આત્મા છે એવો પ્રસિદ્ધિમાં આવ્યો. આહાહાહા ! સમજાય છે કાંઈ..? ભારે ગાથા ભાઈ એકસો તેંતાલીસ. જેવો છે તેવો કેમ થવું....ઈ વાત છે. જેવો છે તેવો કેમ થવું? એ વાત છે. આહાહા! ભાવાર્થ:- જેમ કેવળી ભગવાન સદા નયપક્ષના સ્વરૂપના સાક્ષી, એનો અર્થ એવો નથી કે નયનો પક્ષ ઉત્પન્ન થાય છે, ત્યાં એમ ન સમજવું, જાણે છે. કેવળી ભગવાન સદા નયપક્ષના સ્વરૂપને એટલે નયનો પક્ષ છે જાણે છે એમ નહીં. તેના સ્વરૂપને પણ એને નય છે જ નહીં. એમ એ જાણે છે. આહાહા ! આવું છે. જેમ કેવળી ભગવાન સદાય એ તો જાણનાર-જ્ઞાતાદૃષ્ટા છે બસ થઈ રહ્યું. એટલે પછી નયપક્ષનો જે ભાગ હતો એમ બીજાને વિશ્વને જાણે છે એ વિશ્વમાં નયપક્ષ પણ ભેગો આવી ગયો, પણ એ, એને નથી, હવે. વિશ્વથી જેમ ભિન્ન પડયો-એમ નયપક્ષથી ભિન્ન પડયો, એ નયપક્ષને જાણે છે એટલે વિશ્વને જાણે છે ભેગો આ જાણે છે નયપક્ષ છે ને એને જાણે છે, એમ નથી. જેને શ્રુતજ્ઞાન જ નથી, શ્રુતજ્ઞાનના ભેદ નિશ્ચય ને વ્યવહાર છે. આહાહા! આ વ્યવહારવાળાને આકરું લાગે આ ચરણાનુયોગમાં આમ કહ્યું છે દ્રવ્યાનુયોગમાં ભલે તમારે એમ હોય ચરણાનુયોગમાં વ્રત પાળવા, અતિચાર પાળવા એ સાધન છે ઈ, એમ કરીને એ નાખે છે. ભાઈ એ વાતેય ખોટી છે. એ ચરણાનુયોગનું તાત્પર્ય તો વીતરાગતા છે. આહાહા ! ચરણાનુયોગમાં વાત કરે એની ભૂમિકા પ્રમાણે વ્રત આવે, નિયમ આવે. આહાહા ! પણ એનું તાત્પર્ય શું? એને છોડીને વીતરાગતા કરવી, એ એનું તાત્પર્ય છે. એમાં રહેવું ને એને રાખવું, એમ ચરણાનુયોગનું પણ તાત્પર્ય એમ નથી. આહાહા ! (શ્રોતા:- પણ હોય ત્યારે કેવું હોય છે એ જણાવ્યું છે) એ તો એને જણાવે, પાંચમા ગુણસ્થાને આવા વ્રત હોય, છઠે આવું હોય, પણ એનું તાત્પર્ય તો..એનાથી રહિત થઈને વીતરાગતા કર, એ એનો સાર છે. એમાં રહે ને, પાળ ને એનાથી તને લાભ થાય એમ ત્યાં છે નહીં. શું થાય? ( શ્રોતા- બારમા ગુણસ્થાન સુધી શ્રુતજ્ઞાન હોય છે ને?) એ તો ક્યાંય શુભને શ્રીમમાં આવે છે ને ખબર છે. એ તો શ્રુતજ્ઞાન છે એટલું જણાવ્યું છે. એને એમ ન થઈ જાય કે હું પૂરો

Loading...

Page Navigation
1 ... 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510