Book Title: Samaysara Siddhi 5
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 445
________________ ૪૩૦ સમયસાર સિદ્ધિ ભાગ-૫ બતાવતાં, વિકૃતસ્વરૂપ તેને બતાવે, એવા પુષ્કળ મોટા ચંચળ વિકલ્પ તરંગો વડે ઊઠતી, આ ઇંદ્રજાળ આ ઇંદ્રજાળ છે, એ આત્મસ્વરૂપ નહિ. આહાહાહા ! ઇંદ્રજાળ છે ઈ તો કહે ( છે. ) જેમ ઈન્દ્ર જેમ આમ હજ્જારો રૂપ ધારણ કરે ને ? સંકેલે તો બસ એકલો. આ સમસ્ત ઇંદ્રજાળને ‘વિરળ’ વ’ જેનું સ્ફુરણ માત્ર જ અતીન્દ્રિય આનંદ સ્વભાવ ભગવાન, એમાં એકાગ્ર થતાં માત્ર, એ અતીન્દ્રિય આનંદનો અંશ સ્ફુરણ પ્રગટ થતાં, વિકલ્પની જાળ ક્યાંય ચાલી જાય છે. આહાહા ! ઇંદ્રજાળને જેનું સ્ફુરણમાત્ર, છે ને નીચે (ફુટનોટમાં અર્થ છે કે ) સ્ફુરણ = ફરકવું તે; ધનુષ્યટંકાર કરવો તે, ધનુષનો આમ ટંકાર થાય ત્યાં લશ્કર ચાલ્યું જાય. એમ ભગવાન આત્મા અંદર જ્ઞાતા-દૃષ્ટા આમ થયો જ્યાં અંદર ત્યાં વિકલ્પજાળ ભાગી જાય બધી. આહાહાહા ! યસ્ય વિષ્ણુળદ્વ-જેનું સ્ફુરણ માત્ર ‘જ' q- છે ને યસ્ય વિરળન્ ‘વ’નિશ્ચય કર્યું–એને બીજાની જરૂર નથી કહે છે. આહાહા ! એ ભગવાન આનંદનો નાથ જયાં એક અંશે સ્ફૂરે છે તત્ક્ષણ-ભગાડી મુકે છે ઇંદ્રજાળ ને વિકલ્પની જાળ ત્યાં રહેતી નથી. બહુ આજ તો માલ–માલ બધો આવ્યો, માણસ થોડા છે. આહાહા ! (શ્રોતાઃ- વિકલ્પજાળ ગઈ કે નિર્વિકલ્પ થયો ) ‘તત્ ક્ષણ’ પાછું એમ. ( કહે છે) ‘વિષ્ણુર્ળન્ વ’– જરી પણ અંદ૨ સ્ફુરણ થઈ આત્મા આનંદમાં જાગ્રત થયો વિકલ્પ છોડીને, ત્યાં સ્ફુરણમાત્રથી, સ્ફુરણમાત્રથી આત્માથી, તત્ક્ષણ ભગાડી મૂકે છે તત્ વિન્નઇ: અસ્મિ−તે ચિન્માત્ર તેજ:પુંજ હું છું. આહાહાહા ! તે જ્ઞાનસ્વરૂપ-ચેતનસ્વરૂપ તે હું છું. એમ સમકિતી પોતાના આત્માને આવો માને છે. આહાહા ! ભાવાર્થ :- ચૈતન્યનો અનુભવ થતાં, સમસ્ત નયોના વિકલ્પરૂપી ઇંદ્રજાળ તે ક્ષણે જ વિલય પામે છે તે ક્ષણે જ. આંહી ઉત્પન્ન થયો ને ત્યાં વ્યય થાય એમ કહે છે. કેમકે ક્ષણ તો એકની એક જ છે. જે ક્ષણે શાંતિ ઉત્પન્ન થઈ તે જ ક્ષણે વિકલ્પની અશાંતિનો વ્યય થયો. કા૨ણ કે સમય તો એક છે ને ? આહાહા ! તે ક્ષણે જ વિલય પામે છે, એવો ચિકાશ હું છું. વિશેષ કહેશે.( શ્રોતાઃ–પ્રમાણ વચન ગુરુદેવ !) ( હવે કહે છે કેઃ ) “ત્યારે આ (સમયસાર) સ્વયં ઉપયોગ હોવાથી” આત્મભગવાન, એ તો ઉપયોગ જ સ્વરૂપ છે. ત્રિકાળ જાણવું-દેખવું, એવું એનો ઉપયોગ સ્વરૂપ છે. એનો કાયમી સ્વભાવ અને સ્વરૂપ તો ઉપયોગ છે. એ ત્રિકાળ દર્શનશાન છે, એને પણ ઉપયોગ કહેવામા આવે છે. આહા...હા ! સ્વયં ઉપયોગ હોવાથી “મુકતમોહ( મોહ રહિત ) થયો થકો” –પર્યાયમાં પણ સ્વયં ઉપયોગરૂપ હોવાથી મુકતમો‚ થયો થકો ( અર્થાત્ શું કહે છે ? કેઃ ) પરત૨ફની સાવધાનીનો રાગાદિ ભાવ (હતો ) એનાથી સ્વત૨ફના અત્યંત ભેદજ્ઞાનને લઈને રાગથી મુકત થયો છે. –આવું મુનિપણું ! અને એ મુનિપણા વિના મુકિત નથી ! (પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૧૯૮, નિયમસાર ગાથા-૮૨ )

Loading...

Page Navigation
1 ... 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510