________________
श्री प्रज्ञापना सूत्र भाग २ अट्ठारसमं कायठिइपयं अत्थाहिगारपरूवणं तेरसमं उवओग-चोद्दसमं आहारदारं अणंतं कालं, अणंताओ उस्सप्पिणि-ओसप्पिणीओ कालओ, खेत्ततो अवङ्कं पोग्गलपरियट्टं देसूणं । संजतासंजते णं पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं देणं पुव्वकोडिं । नोसंजते-नोअसंजते-नोसंजतासंजते णं પુચ્છા। ગોયમા! સાવીણ્ અપન્નવક્ષિતે વારં ૨૨। IIસૂ૦-૧૩||૧૪૪||
(મૂળ) હે ભગવન્! સંયત ‘સંયત' એ રૂપે કાળને આશ્રયી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કંઇક ન્યૂન પૂર્વકોટી વર્ષ પર્યન્ત હોય. હે ભગવન્! અસંયત ‘અસંયત’ એ રૂપે ક્યાં સુધી હોય? હે ગૌતમ! અસંયત ત્રણ પ્રકારના છે. તે આ પ્રમાણે—૧ અનાદિ અનન્ત, ૨ અનાદિ સાન્ત અને ૩ સાદિ સાન્ત. તેમાં જે સાદિ સાન્ત છે તે જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્ત કાળ–અનન્ત ઉત્સર્પિણી અવસર્પિણી કાળથી અને ક્ષેત્રથી કંઇક ન્યૂન અર્ધ પુદ્ગલપરાવર્ત કાળ સુધી હોય. સંયતાસંયત (દેશવિરતિ) ક્યાં સુધી હોય? હે ગૌતમ! જધન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઇક ન્યૂન ક્રોડ પૂર્વ વર્ષ સુધી હોય. નોસંયત-નોઅસંયત–નોસંયતાસંયત (સિદ્ધ) ક્યાં સુધી હોય? હે ગૌતમ! સાદિ અનન્ત કાળ સુધી હોય. (દ્વાર ૧૨) ૧૩૫૪૪॥
(ટી૦) હવે સંયતદ્ધાર કહે છે, તેમાં આ પ્રથમ સૂત્ર છે—‘સંગર્ મંતે'! ઇત્યાદિ. કોઇ ચારિત્રના પરિણામ સમયેજ કાળ કરે. તેથી સંયતને સંયતપણું જઘન્યથી એક સમય હોય છે. અસંયત ત્રણ પ્રકારે છે—અનાદિ અનન્ત, અનાદિ સાન્ત અને સાદિ સાન્ત. તેમાં જે સંયમને કોઇ પણ કાળે પામવાનો નથી તે અનાદિ અનન્ત, જે સંયમને પ્રાપ્ત કરશે તે અનાદિ સાન્ત, જે સંયમને પ્રાપ્ત કરી તેથી ભ્રષ્ટ થાય તે સાદિ સાન્ત. તે જઘન્યથી અન્તર્મુહૂર્ત સુધી હોય છે. કારણ કે અન્તર્મુહૂર્ત પછી કોઇને સંયમની પ્રાપ્તિ થાય છે. ઉત્કૃષ્ટથી અનન્તકાળ–ઇત્યાદિ બધું પૂર્વની પેઠે જાણવું. ત્યાર બાદ અવશ્ય સંયમની પ્રાપ્તિ થાય છે. સંયતાસંયતદેશવિરતિવાળો, તે જઘન્યથી અન્તર્મુહૂર્ત હોય છે, કારણ કે દેશવિરતિની પ્રાપ્તિનો ઉપયોગ જઘન્યથી પણ અન્તર્મુહૂર્ત પર્યન્ત હોય છે. દેશવિરતિના દ્વિવિધ-ત્રિવિધિ–બે પ્રકારે, ત્રણ પ્રકારે–ઇત્યાદિ ઘણા ભાંગા થાય છે, માટે તેની પ્રાપ્તિમાં જઘન્યથી પણ અન્તર્મુહૂર્ત લાગે છે. સર્વ વિરતિ તો સર્વ સાવધનો હું ત્યાગ કરું છું–ઇત્યાદિ રૂપ છે માટે તેની પ્રાપ્તિનો ઉપયોગ એક સમયનો પણ હોય છે, માટે પૂર્વે સંયતનો કાળ એક સમય કહ્યો છે. પરન્તુ જે સંયત નથી, અસંયત નથી અને સંયતાસંયત પણ નથી તે સિદ્ધ છે. અને તે સાદિ અનન્ત છે. સંયતદ્વાર સમાપ્ત. ||૧૩||૫૪૪॥
|| તેરસનં ૩વમોનવારં ||
सागारोवओगोवउत्ते णं भंते! पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । अणागारोवउत्ते वि एवं चेव વાર ૧૨| ||સૢ૦-૨૪||૪||
(મૂળ) હે ભગવન્! સાકાર ઉપયોગવાળો ક્યાં સુધી હોય એ પ્રશ્ન. હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી હોય. અનાકાર ઉપયોગવાળા સંબંધે પણ એમજ જાણવું. (દ્વાર ૧૩) ૧૪૫૪૫॥
(ટી) હવે ઉપયોગદ્વાર કહે છે, તેમાં આ પ્રથમ સૂત્ર છે—‘સારોવત્તે ં મંતે’! ઇત્યાદિ. અહીં સંસારીને સાકાર અને અનાકાર ઉપયોગ હોય છે અને તે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત સુધી હોય છે, તેથી બન્ને સૂત્રોમાં જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્તનો ઉપયોગ કહ્યો છે. કેવલીને જે એક સમયનો ઉપયોગ કહ્યો છે તે અહીં વિવક્ષિત નથી. ઉપયોગદ્વાર
સમાપ્ત. ||૧૪૫૪૫૦
|| ચોદસમં બહારવાર ||
आहारए णं भंते! पुच्छा। गोयमा ! आहारए दुविधे पन्नत्ते, तं जहा छउमत्थआहारए य केवलिआहारए य । छउमत्थाहारए णं भंते! छउमत्थाहारए त्ति कालओ केवचिरं होति ? गोयमा ! जहन्नेणं खुड्डागभवग्गहणं दुसमयऊणं,उक्कोसेणं असंखेज्जं कालं असंखेज्जाओ उस्सप्पिणि-ओसप्पिणीतो कालतो, खेत्ततो अंगुलस्स
106