________________
श्री प्रज्ञापना सूत्र भाग २ अट्ठावीसइमं आहारपयं बीओ उद्देसो भवियदारे-सण्णी दारे आहारयाइ परूवणं
ગૌતમ! આહારક ન હોય પણ અનાહારક હોય. એમ સિદ્ધ સંબધે પણ જાણવું. હે ભગવન્! નોભવસિદ્ધિકનોઅભવસિદ્ધિક જીવો શું આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ! આહારક ન હોય પણ અનાહારક હોય. એમ સિદ્ધો પણ જાણવા. દ્વાર ૨. હે ભગવન્! સંજ્ઞી જીવ આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ! કદાચ આહારક હોય અને કદાચ અનાહારક હોય. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. પરન્તુ એકેન્દ્રિય સંબધે પ્રશ્ન ન કરવો. હે ભગવન્! સંજ્ઞી જીવો શું આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ! જીવાદિ સંબન્ધ ત્રણ ભાંગા માનિકો સુધી જાણવા. હે ભગવન્! અસંજ્ઞી જીવ શું આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ! કદાચ આહારક હોય અને કદાચ અનાહારક હોય. એ પ્રમાણે નૈરયિકથી આરંભી વ્યન્તર સુધી જાણવું. જયોતિષ્ક અને વૈમાનિક સંબધે પ્રશ્ન ન કરવો. હે ભગવન્! અસંજ્ઞી જીવો શું આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ!તેઓ આહારક પણ હોય અને અનાહારક પણ હોય-એ એક ભંગ જાણવો. હે ભગવન્! અસંજ્ઞી નારકો આહારક હોય અનાહારક હોય? હે ગૌતમ! ૧ બધા આહારક હોય, ર બધા અનાહારક હોય, ૩ અથવા એક આહારક હોય અને એક અનાહારક હોય, ૪ અથવા એક આહારક હોય અને ઘણા અનાહારક હોય, ૫ અથવા ઘણા આહારક હોય અને એક અનાહારક હોય, ૬ અથવા ઘણા આહારક હોય અને ઘણા અનાહારક હોય. એ પ્રમાણે છ ભાંગા જાણવા. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું. એકેન્દ્રિયોમાં બીજા ભાંગાઓ થતા નથી. બેઇન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય તિર્યંચામાં ત્રણ ભાગાઓ તથા મનુષ્ય અને વ્યત્તરોમાં છ ભાંગા જાણવા. હે ભગવન્! નોસંજ્ઞી-નોઅસંબી જીવ શું આહારક હોય કે અનાહારક હોય?હે ગૌતમ! કદાચ આહારક હોય અને કદાચ અનાહારક હોય. એમ મનુષ્ય સંબધે પણ જાણવું. સિદ્ધ અનાહારક હોય. બહુવચન યુક્ત નોસંજ્ઞી-નોઅસંજ્ઞી જીવો આહારક પણ
હોય અનાહારક પણ હોય. મનુષ્યને વિષે ત્રણ ભાંગા હોય છે. અને સિદ્ધો અનાહારક હોય છે. દ્વાર ૩. /૧૨ //૬૫all (ટીવ) તેમાં પ્રથમ આહારાધિકારનો વિચાર કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર આ સૂત્ર કહે છે–“નવે અંતે'! હે ભગવન્! જીવા આહારક હોય કે અનાહારક હોય? ઇત્યાદિ પ્રશ્નસૂત્ર સંગમ છે. ભગવાન! ઉત્તર આપે છે– હે ગૌતમ! સાત-કદાચિત આહારક હોય અને કદાચિત્ આહારકન હોય. તે કેવી રીતે હોય?તેનો ઉત્તર આ પ્રમાણે વિગ્રહગતિમાં, કેવલી સમુદ્યાતકાળે, શૈલેશી અવસ્થામાં (ચૌદમાં અયોગી કેવલી ગુણસ્થાનકે) અને સિદ્ધાવસ્થામાં અનાહારક હોય છે. બાકીની અવસ્થામાં આહારક હોય છે. કહ્યું છે કે–“વિહાફમાવના તિળો સમોરયા મનોની યા સિદ્ધાં ય માહારા સેવા બહાર નીવા” વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા, સમુદ્યાતવાળા કેવલી, અયોગી-યોગ રહિત કેવલી, અને સિદ્ધો અનાહારક છે અને બાકીના બધા આહારક છે. “એ પ્રમાણે સામાન્ય રીતે જીવ સંબન્ધ આહારકનો વિચાર કરી હવે નૈરયિકાદિ ચોવીશ દંડકના ક્રમથી આહારક અને અનાહારકનો વિચાર કરે છે–'નેરા માં બતૈ! કિં મહીપ-હે ભગવાનૈરયિક શું આહારક કે અનાહારક હોય?-ઇત્યાદિ સૂત્ર સુગમ છે, એ પ્રમાણે સામાન્યતઃ જીવપદ અને નૈરયિકાદિમાં એક વચન વડે આહારકપણા અને અનાહારકપણાનો વિચાર કર્યો હવે બહુવચન વડે તેનો વિચાર કરે છે–“નવા અંતે'! આહારયા-હે ભગવન્! જીવો આહારક છે? ઇત્યાદિ પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવાન્ ઉત્તર આપે છેહે ગૌતમ! આહારક પણ હોય છે અને અનાહારક પણ હોય છે. એટલે બહુવચન સહિત બન્ને પ્રકારના આહારક અને અનાહારક જીવો હોય છે. એ ભાવાર્થ છે. તે આ પ્રમાણે-વિગ્રહગતિ સિવાય બાકીના કાળે બધા સંસારી જીવો, આંહારક હોય છે, વિગ્રહગતિ તો ક્વચિત્ કોઈ કાળે કોઈ જીવની હોય છે. અને તે સર્વકાળે હોવા છતાં પણ પ્રતિનિયત-અમુક
૧. અહીં મૂળ સૂત્રપાઠમાં 'વં રિફનાવ અસુરકુમારે નાવ વેજ' એવો પાઠ લિખિત અને મુદ્રિત પુસ્તકમાં છે એટલે જીવની પેઠે નૈરયિકને જાણવું
વગેરે. પરન્તુ ટીકાકારે 'લાની નરયિાવિતુર્વરાતિરંજનદારનાદારવરિતાં કરોતિ નેફઇ ને અંતે *િ માદાર ફત્યાર સુH'-એ પાઠ લીધો છે. આ ઉપરથી માલુમ પડે છે કે અહીં મૂલ પાઠ 'વં નેર' ને બદલે 'નેફ તે આહાર આપવાર? જોયા! સિય આહાર સિવ
અTTહાર/ પુર્વ મયુરકુમારે નાવ વેપાળg I’ આવો હોવો જોઇએ, પણ કોઇ કારણથી આ પાઠ રહી ગયો હોય અને બદલે ટુંકમાં 'વં નેરા • નાવ અસુરકુમારે' એવો પાઠ પ્રક્ષિપ્ત થયો હોય એમ લાગે છે. વળી આ પાઠમાં બનાવ' પદ પણ નિરર્થક છે, કારણ કે વાવત શબ્દથી કોઈનો સંગ્રહ
થતો નથી, કેમકે પછી અસુરકુમારનો દંડક આવે છે. (ભ.હ. કૃત ભાષાંતરનું જ આ ટીપ્પણ છે.) 274