Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 360
________________ छत्तीसइमं समुग्घायपयं एगत्तेणं अतीताइसमुग्घाय परूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ मणूसस्स मणूसत्ते अतीता कस्सति अत्थि कस्सति णत्थि, जस्सत्थि जहन्नेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं चत्तारि, एवं पुरेक्खडा वि। एवमेते वि चउवीसं चउवीसा दंडगा जाव वेमाणियत्ते ।।सू०-८||६९९।। (મૂળ) હે ભગવન્! એક એક નૈરયિકને નૈરયિકપણામાં કેટલા આહારક સમુઘાતો અતીતકાળે થયેલા છે? હે ગૌતમ! થયેલા નથી. એ પ્રમાણે યાવત્ વૈમાનિકપણામાં કહેવું. પરન્તુ મનુષ્યપણામાં અતીત કાળે કોઈને થયેલા છે અને કોઈને નથી. જેને થયેલા છે તેને જઘન્યથી એક, બે અને ઉત્કૃષ્ટત્રણ હોય છે. કેટલા ભવિષ્ય કાળ થવાના છે?હે ગૌતમ! કોઈને થવાના હોય છે અને કોઈને હોતા નથી. જેને હોય છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી ચાર હોય છે. એ પ્રમાણે સર્વ જીવો અને મનુષ્યોને કહેવું. મનુષ્યને મનુષ્યપણામાં અતીત કાળે થયેલા કોઈને હોય છે અને કોઈને હોતા નથી. જેને થયેલા હોય છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી ચાર હોય છે. એ પ્રમાણે ભવિષ્યકાળમાં થવાના પણ જાણવા. એ પ્રમાણે એ પ્રત્યેક દંડકના ચોવીશ એવા ચોવીશ દંડકો યાવત્ વૈમાનિકપણામાં કહેવા. ૮/૬૯ (ટી0) હવે આહારકસમુદ્ધાતનો વિચાર કરતા સૂત્રકાર કહે છે “પાસ ' ઇત્યાદિ એકએક નૈરયિકને આહારકસમુદ્ધાતો અતીતકાળે કેટલા થયેલા હોય—ઇત્યાદિ. અહીં બધા સ્થાનોને આશ્રયી મનુષ્યપણાના વિચારમાં અતીત કાળે જઘન્યથી એક, બે અને ઉત્કૃષ્ટથી ત્રણ હોય છે. તથા ભવિષ્યમાં થવાના જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી ચાર હોય છે. આ બાબતમાં કારણ પૂર્વે કહ્યું છે. અહીં પણ સૂત્રની સંખ્યા કહે છ—એ પ્રમાણે-ઉપર બતાવેલા પ્રકાર વડે એ આહારક સમુદ્યાત વિષે ચોવીશ દંડકો કહેવા. ક્યાં સુધી કહેવા? એ સૂત્રકાર કહે છે–પાવત્ વૈમાનિકને વૈમાનિકપણામાં એટલે વૈમાનિકપણા વિષે સૂત્ર છે ત્યાં સુધી કહેવા. તે આ પ્રમાણે—“એક એક વૈમાનિકને વૈમાનિકપણામાં કેટલા આહારકસમુદ્ધાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ! નથી. કેટલા ભવિષ્યકાળ થવાના છે? હે ગૌતમ!થવાના નથી. l૮૬૯૯ll एगमेगस्सणं भंते! णेरइयस्सणेरइयत्ते केवइया केवलिसमुग्घाया अतीता? गोयमा! णत्थिा केवइया पुरेक्खडा? गोयमा! णत्थि, एवं जाव वेमाणियत्ते, णवरं मणूसत्ते अतीता णत्थि, पुरेक्खडा कस्सइ अत्थि कस्सइ णत्थि, जस्सत्थि एक्को, मणूसस्स मणूसत्ते अतीता कस्सइ अत्थि कस्सइ णत्थि, जस्सत्थि एक्को, एवं पुरेक्खडा वि। एवमेते चउव्वीसं चउव्वीसा दंडगा ।।सू०-९।।७००।। । (મૂ૦) હે ભગવન્! એક એકનૈરયિકને નૈરયિકપણામાં કેટલા કેવલિસમુદ્યાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ! થયેલા નથી. કેટલા ભવિષ્ય કાળ થવાના છે?હે ગૌતમ! થવાના નથી. એ પ્રમાણે યાવત્ વૈમાનિકપણામાં કહેવું. પરન્તુ મનુષ્યપણામાં અતીત કાળે થયેલા નથી, ભવિષ્ય કાળે થવાના કોઈને હોય છે અને કોઈને હોતા નથી, જેને થવાના છે તેને એક થવાનો છે. મનુષ્યને મનુષ્યપણામાં અતીત કાળે કોઈને થયેલા છે અને કોઈને નથી. જેને થયેલા છે તેને એક થયેલો છે એ પ્રમાણે ભવિષ્ય કાળે થવાનો પણ એકજ જાણવો. એ પ્રમાણે એ પ્રત્યેક દંડકના ચોવીશ ચોવીશ દંડકો કહેવા. IIછ0oll (ટી.) હવે કેવલિસમુદ્યાત સંબધે કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે–પાસ અંતે !' ઇત્યાદિ. હે ભગવન્!એક એક નિરયિકને નૈરયિકપણામાં કેટલા કેવલિસમુદ્ધાતો હોય–ઇત્યાદિ. અહીં પણ આ તાત્પર્ય છે-બધાય સ્થાનોમાં મનુષ્યપણાના વિચાર સિવાય અતીત અને ભવિષ્યકાળમાં પ્રતિષેધ કરવો. મનુષ્ય સિવાયના સ્થાનોમાં મનુષ્યપણાના વિચારમાં અતીત - કેવલીસમુદ્દઘાતનો પ્રતિષેધ કરવો. ભવિષ્યમાં થવાનો કેવલિસમુદ્દઘાત કોઈને હોય અને કોઇને ન હોય. જેને હોય તેને એકજ કહેવો. મનુષ્યને મનુષ્યપણાના વિચારમાં અતીત કાળે કોઈને હોય અને કોઇને ન પણ હોય. જેને હોય તેને પણ એકજ હોય. એ હકીકત પ્રશ્ન સમયે કેવલિસમુદ્દઘાત કરી રહેલા કેવલીને આશ્રયી સમજવી. ભવિષ્યમાં પણ કોઇને હોય અને કોઇને ન હોય. જેને હોય તેને પણ એકજ હોય એમ કહેવું. અહીં પણ સૂત્રની સંખ્યા કહે છ–પર્વ' ઇત્યાદિ. એમ ઉપર બતાવેલા પ્રકાર વડે એ કેવલિસમદઘાત વિષે પ્રત્યેક દંડકના ચોવીશ ચોવીશ દંડકો થાય છે. એ પ્રમાણે બધા મળી એકવચન સંબન્ધ ચોવીશ દંડકને સાતે 351

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404