Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 375
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ छत्तीसइमं समुग्घायपयं कसायसमुग्घायवत्तव्वया ફરીથી ત્યાં નહિ ઉત્પન્ન થનારને જાણવા. સંખ્યાતાદિનો વિચાર નૈરયિકની પેઠે જાણવો. અસુરકુમારને નાગકુમારપણામાં અતીત કાળે લોભસમુદ્ધાતો પૂર્વની પેઠે જાણવા. ભવિષ્ય કાળે કોઈને હોય છે અને કોઇને હોતા નથી. તેમાં જે અસુરકુમારના ભવથી નીકળી નાગકુમારના ભવને પ્રાપ્ત થવાનો નથી તેને હોતા નથી. બાકીનાને હોય છે. જેને હોય છે તેને પણ કદાચિત્ સંખ્યાતા, કદાચિત્ અસંખ્યાતા અને કદાચિત્ અનન્તા હોય છે. તેમાં એકવાર નાગકુમારના ભવને પ્રાપ્ત થનારને સંખ્યાતા હોય છે. કારણ કે દેવોને જઘન્ય સ્થિતિમાં પણ સંખ્યાતા લોભસમુદુઘાતો થાય છે. અસંખ્યાતી વાર પ્રાપ્ત થનારને અસંખ્યાતા અને અનન્તીવાર પ્રાપ્ત થનારને અનન્તા હોય છે. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમારપણામાં કહેવું. પૃથિવીકાયિકપણામાં યાવત્ વૈમાનિકપણામાં જેમ નરયિકને કહ્યું તેમ કહેવું. એ પ્રમાણે અસુરકુમારની પેઠે નાગકુમારાદિને પણ યાવત્ સ્વનિતકુમારને વૈમાનિકપણામાં કહેવું એટલે વૈમાનિકપણા વિષે સૂત્ર છે ત્યાં સુધી કહેવું. તે આ પ્રમાણ– હે ભગવન! એક એક સ્વનિતકુમારને વૈમાનિકપણામાં કેટલા લોભસમુદ્ધાતો અતીત કાળે થયેલા છે. ઇત્યાદિ. “એ” પ્રમાણે એક એક પૃથિવીકાયિકને નૈરયિકપણામા કેટલા લોભસમુદ્યાતો અતીત કાળે હોય? ઇત્યાદિ સૂત્ર પણ પૂર્વે કહેલી ભાવનાને અનુસાર સ્વયં વિચારવું. એ પ્રમાણે નૈરયિકાદિના એકવચનના વિષયભૂત ક્રોધાદિસમુદ્દઘાતોનો પ્રત્યેક દંડકના ચોવીશ એવા ચોવીશ દંડક સૂત્રો વડે વિચાર કર્યો. - હવે નૈરયિકાદિના બહુવચનના વિષયભૂત તેજ સમુદ્ધાતોનો વિચાર કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે– ‘રેરાળ અંતે' ઇત્યાદિ. હે ભગવન્! નૈરયિકોને નૈરયિકપણામાં કેટલા ક્રોધસમુદ્યાતો અતીત કાળે થયેલા છે? ભગવાનું કહે છે– ગૌતમ! અનન્તા થયેલા છે. કારણ કે સર્વ જીવોએ નૈરયિકપણું અનન્તવાર પ્રાપ્ત કરેલું છે. કેટલા ભવિષ્યમાં થવાના છે? હે ગૌતમ! અનન્તા થવાના છે. કારણ કે પ્રશ્ન સમયે વર્તતા નૈરયિકોમાંના ઘણા નૈરયિકો અનન્તવાર નૈરયિકપણું પ્રાપ્ત કરવાના છે. 'પર્વ' ઇત્યાદિ. એ પ્રમાણે-નરયિક સંબન્ધ સૂત્રપાઠ વડે ચોવીશ એવા ચોવીશ દંડકસૂત્રો વડે નિરંતર યાવત્ વૈમાનિકને વૈમાનિકપણામાં કહેવું. એટલે વૈમાનિકપણા વિષે સૂત્ર છે ત્યાં સુધી કહેવું. તે આ પ્રમાણે—હે ભગવન્! વૈમાનિકોને વૈમાનિકપણામાં કેટલા ક્રોધ મુદ્દઘાતો અતીત કાળેથયેલા છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્ય કાળ થવાના છે? હે ગૌતમ!અનન્તા થવાના છે. તેનો વિચાર પૂર્વની પેઠે કરવો. જેમ ક્રોધસમુદ્યાતો સર્વ જીવોમાં સ્વસ્થાને અને પરસ્થાને અતીત કાળે અને ભવિષ્યકાળ અનન્તા કહેલા છે તેમ માનાદિસમુદ્દઘાતો પણ કહેવા. તે પ્રમાણે સૂત્રકાર કહે છે–“એવં ઇત્યાદિ. જે પ્રમાણે ક્રોધસમુદ્ધાતો કહ્યા તે પ્રમાણે ચારેય સમુદ્ધાતો સ્વસ્થાને અને પરસ્થાને બધેયથાવત્ લોભસમુદ્યાત વૈમાનિકપણામાં કહ્યો છે ત્યાં સુધી કહેવા.તે આ પ્રમાણે—“હે ભગવન્! વૈમાનિકોને વૈમાનિકપણામાં કેટલા લોભસમુદ્યાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્ય કાળે થવાના છે? હે ગૌતમ! અનન્ના થવાના છે?-ઇત્યાદિ સુગમ છે. એ પ્રમાણે નરયિકાદિના બહુવચનના વિષયભૂત ક્રોધાદિસમુદ્ધાતો પણ પ્રત્યેક દંડકના ચોવીશ એવા ચોવીશ દંડકસૂત્રો વડે વિચાર્યા. ૧૫ll૭૦૬. एतेसि णं भंते! जीवाणं कोहसमुग्घाएणं माणसमुग्घाएणं मायासमुग्घाएणं लोभसमुग्घाएणं य समोहयाणं अकसायसमुग्घाएणं समोहयाणं असमोहयाण य कयरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा अकसायसमुग्घाएणंसमोहया, माणसमुग्घाएणंसमोहया अणंतगुणा,कोहसमुग्घारणं समोहया विसेसाहिया, मायासमुग्घाएणं समोहया विसेसाहिया, लोभसमुग्घाएणं समोहया विसेसाहिया, असमोहया संखेज्जगुणा। एतेसिणं भंते! णेरइयाणंकोहसमुग्घाएणंमाणसमुग्घाएणंमायासमुग्घाएणंलोभसमुग्घाएणं समोहयाणं असमोहयाण य कयरे कतरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा णेरइया लोभसमुग्घाएणं समोहया, मायासमुग्घाएणं समोहया संखेज्जगुणा, माणसमुग्घाएणं समोहया संखेज्जगुणा, कोहसमुग्घाएणं समोहया संखेज्जगुणा, असमोहया संखेज्जगुणा। असुरकुमाराणं पुच्छा। गोयमा! सव्वत्थोवा असुरकुमारा कोहसमुग्घाएणं समोहया, माणसमुग्घाएणं समोहया संखेज्जगुणा, 366

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404