Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 362
________________ छत्तीसइमं समुग्घायपयं चउरीसदंडएसु पुहत्तेणं अतीताइसमुग्घाय परूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ णेरइयाणं भंते! णेरइयत्ते केवतिया आहारगसमुग्घाया अतीता? गोयमा! णत्थिा केवतिया पुरेक्खडा? गोयमा! णत्थि, एवं जाव वेमाणियत्ते। णवरंमणूसत्ते अतीता असंखेज्जा, पुरेक्खडा असंखेज्जा, एवंजाव वेमाणियाणं। णवरंवणस्सइकाइयाणं मणूसत्ते अतीता अणंता, पुरेक्खडा अणंता। मणूसाणं मणूसत्ते अतीता सिय संखेज्जा, सिय असंखेज्जा, एवं पुरेक्खडा वि। सेसा सव्वे जहा जेरइया, एवं एते चउवीसं चउवीसा दंडगा સૂ૦-૨૦૦૨ (મૂળ) હે ભગવન્! નરયિકોને નરયિકપણામાં કેટલા આહારક સમુદ્યાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ! થયેલા નથી. કેટલા ભવિષ્યમાં થવાના છે? હે ગૌતમ! થવાના નથી. એ પ્રમાણે યાવતુ વૈમાનિકપણામાં કહેવું. પરન્તુ મનુષ્યપણામાં અતીત કાળે અસંખ્યાતા થયેલા છે અને ભવિષ્ય કાળે અસંખ્યાતા થવાના છે. એ પ્રમાણે યાવત્ વૈમાનિકોને કહેવું. પરન્તુ વનસ્પતિકાયિકોને મનુષ્યપણામાં અતીત કાળે અનન્ના થયેલા છે અને ભવિષ્ય કાળે અનન્તા થવાના છે. મનુષ્યોને મનુષ્યપણામાં અતીત કાળે કદાચ સંખ્યાતા હોય અને કદાચ અસંખ્યાતા હોય. એ પ્રમાણે ભવિષ્ય કાળ થવાના પણ જાણવા. બાકીના બધા દંડકો નૈરયિકોની પેઠે કહેવા. એમ ચોવીશ ચોવીશ દંડકો કહેવા. //૧૧૭૦ર// (ટી.) હવે આહારક સમુદ્યત વિષે સૂત્ર કહે છ“રયાળ' ઇત્યાદિ. આહારક લબ્ધિ હોય તો આહારક શરીરના પ્રારંભકાળે આહારક સમુઘાત હોય છે, એ સિવાય હોતા નથી. આહારક લબ્ધિ ચૌદ પૂર્વનું જ્ઞાન હોય ત્યારે હોય છે અને ચૌદ પૂર્વનું જ્ઞાન મનુષ્યપણાની અવસ્થામાં હોય છે, પણ બીજી અવસ્થામાં હોતું નથી, માટે મનુષ્યપણા સિવાયની બીજી અવસ્થામાં અતીત અને ભવિષ્ય આહારક સમુદ્યાતોનો પ્રતિષેધ કરવો. મનુષ્યપણાની અવસ્થામાં પણ પૂર્વે અતીત કાળે થયેલા અસંખ્યાતા હોય છે, કારણ કે પ્રશ્ન સમયે વર્તતા નારકોમાં પૂર્વે તે તે કાળે મનુષ્યપણું પામીજેઓએ ચૌદ પૂર્વનું અધ્યયન કર્યું છે એવા ઘણા-અસંખ્યાતા નારકો પૈકી દરેકે એક વાર, બે વાર અથવા ત્રણ વાર આહારક સમુદ્ધાત કરેલા હોય છે. ભવિષ્ય કાળે પણ અસંખ્યાતા જાણવા. કારણ કે પ્રશ્ન સમયે વર્તમાન નારકોમાં ઘણા–અસંખ્યાતા નારકો નરકથી નીકળી તુરત અથવા પરંપરાએ તે તે કાળે મનુષ્યપણું પ્રાપ્ત થયે ચૌદ પૂર્વનું અધ્યયન કરી એક વાર,બેવાર, ત્રણ વાર કે ચાર વાર આહારકસમુદ્રઘાતો કરશે ‘વં નાવ ડેમાયાળ' જેમ નરયિકોને ચોવીશ દંડકના ક્રમથી વિચાર કર્યો તેમ અસુરકુમારાદિનો પણ પ્રત્યેકને આશ્રયી ચોવીશ દંડકના ક્રમથી યાવત્ વૈમાનિકો સુધી વિચાર કરવો. કેવળ જ્યાં વિશેષ છે ત્યાં તેને બતાવે છે‘નવર' ઇત્યાદિ. પરન્તુ વનસ્પતિકાયિકોને મનુષ્યપણાના વિચારમાં અતીત અને અનાગત સમુદ્ધાતો અનન્તા કહેવા. કારણ કે પૂર્વે ચૌદ પૂર્વનું અધ્યયન કરી જેઓએ યથાસંભવ એક વાર,બે વાર કે ત્રણ વાર આહારકસમુદ્યાતો કર્યા છે એવા અનન્ત જીવો વનસ્પતિમાં રહેલા છે, અને પછી વનસ્પતિકાયથી નીકળી તુરત જ અથવા પરંપરાએ મનુષ્યપણું પામી યથાસંભવ એક વાર, બે વાર, ત્રણ વાર કે ચાર વાર આહારક સમુદ્ધાતો કરવાના છે. મનુષ્યોને મનુષ્યપણામાં અતીત કાળે અને અનાગત કાળે કદાચિત્ સંખ્યાતા અને કદાચિત્ અસંખ્યાતા હોય છે. કેવી રીતે હોય? ઉત્તર–પ્રશ્ન સમયે વર્તમાન મનુષ્યો ઉત્કૃષ્ટ પદે પણ સૌથી થોડા છે. કારણ કે તે શ્રેણિના અસંખ્યાતમા ભાગના પ્રદેશરાશિપ્રમાણ છે. તેથી વિવક્ષિત પ્રશ્ન સમયે વર્તમાન મનુષ્યોને વિષે કદાચિત્ અસંખ્યાતા મનુષ્યોમાં પ્રત્યેક યથાસંભવ એક વાર, બેવાર ત્રણ વાર કે ચારવાર આહારકસમુદ્ધાતો કરેલા છે અને તેઓ ભવિષ્યમાં કરવાના પણ છે. ઉપસંહાર કહે છgવં' ઇત્યાદિ. એ પ્રમાણે ઉપર કહેલા પ્રકાર વડે આ આહારક સમુદ્યાત વિષે ચોવીશ ગુણા ચોવીશ દંડકો કહેવા. I/૧૧૭૦રા णेरइयाणं भंते! णेरइयत्ते केवतिया केवलिसमुग्घाया अतीता? गोयमा! णत्थि। केवतिया पुरेक्खडा? गोयमा! णत्थि, एवं जाव वेमाणियत्ते। णवरं मणूसत्ते अतीता णत्थि, पुरेक्खडा असंखेज्जा, एवं जाव वेमाणिया, णवरं वणस्सइकाइयाणं मणूसत्ते अतीता णत्थि, पुरेक्खडा अणंता। मणूसाणं मणूसत्ते अतीता सिय अत्थि सिय णत्थि, जइ अत्थि जहन्नेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं सतपुहत्तं। केवइया पुरेक्खडा? गोयमा! सिय * 353

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404