________________
तेत्तीसइमं ओहिपयं ओहिविसय दारं
श्री प्रज्ञापना सूत्र भाग २ तच्चए पुढवीए हेतुल्ले चरमंते, महासुक्कसहस्सारगदेवा चउत्थीए पंकप्पभाए पुढवीए हेट्ठिल्ले चरमंते,आणयपाणय-आरण-अच्चुयदेवा अहे जाव पंचमाए धूमप्पभाए हेट्ठिल्ले चरमंते, हेट्ठिम-मज्झिमगेवेज्जगदेवा अहे जाव छट्ठाए तमाए पुढवीए हेढिल्ले चरमंते। उवरिमगेवेज्जगदेवा णं भंते! केवतियं खेत्तं ओहिणा जाणंति पासंति? गोयमा! जहन्नेणं अंगुलस्स असंखेज्जतिभागं, उक्कोसेणं अहे सत्तमाए पुढवीए हेट्ठिल्ले चरमंते, तिरियं जाव असंखेज्ज दीव-समुद्दे, उड्डूं जाव सगाई विमाणाई ओहिणा जाणंति पासंति। अणुत्तरोववाइयदेवा णं भंते! केवतियं खेत्तं ओहिणा जाणंति पासंति? गोयमा! संभिन्नं लोगणालिं ओहिणा जाणंति पासंति ।।५।।६७३॥ . (મૂળ) હે ભગવન! જ્યોતિષિકો કેટલું ક્ષેત્ર અવધિજ્ઞાનવડે જાણે અને દેખે? જઘન્ય સંખ્યાતા દ્વીપ-સમુદ્રો અને ઉત્કૃષ્ટ પણ
સંખ્યાતા દ્વીપ-સમુદ્રોને જાણે અને દેખે. હે ભગવન!સૌધર્મદેવો કેટલું ક્ષેત્ર અવધિવડે જાણે અને દેખે? હે ગૌતમ!જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ નીચે યાવત્ આ રત્નપ્રભાના ચરમ ભાગને, તીરછું અસંખ્યાતા દ્વીપસમુદ્ર પર્યન્ત અને ઊર્ધ્વઉપર પોતપોતાના વિમાનો સુધી અવધિજ્ઞાન વડે જાણે છે અને દેખે છે. એમ ઈશાનદેવો પણ જાણવા. સનકુમાર દેવો પણ એમજ સમજવા, પરન્તુ નીચે બીજી શર્કરા પ્રભા પૃથિવીના નીચેના ચરમભાગ સુધી જાણે અને દેખે. એમ માહેન્દ્ર દેવો પણ જાણવા. બ્રહ્મલોક અને લાત્તક દેવો ત્રીજી વાલુકાપ્રભા પૃથિવીના નીચેના ચરમ ભાગને જાણે છે અને દેખે છે. મહાશક અને સહસ્ત્રાર દેવ ચોથી પંકપ્રભા પથિવીના નીચેના ચરમાત્તને જાણે છે અને દેખે છે. આનત, પ્રાણત, આરણ અને અશ્રુત દેવો નીચે પાંચમી નરકમૃથિવીના નીચેના ચરમ ભાગ સુધી જાણે છે અને દેખે છે. નીચેના અને મધ્યમ ત્રિકના રૈવયક દેવો નીચે છઠ્ઠી તમાકૃથિવીના નીચેના ચરમ ભાગ સુધી જાણે છે અને દેખે છે. હે ભગવન! ઉપરના રૈવયકદેવો કેટલું ક્ષેત્ર અવધિજ્ઞાન વડે જાણે અને દેખે? હે ગૌતમ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ નીચેની સાતમી નરકમૃથિવીના નીચેના ચરમાન્ત સુધી, તીરછું અસંખ્યાતા દ્વીપ-સમુદ્ર પર્યન્ત અને ઉપર પોતપોતાના વિમાનો સુધી અવધિજ્ઞાન વડે જાણે અને દેખે છે. હે ભગવન્! અનુત્તરૌપપાતિક દેવો કેટલું ક્ષેત્ર અવધિજ્ઞાન વડે જાણે
અને દેખે? હે ગૌતમ! સંપૂર્ણ લોકનાડીને અવધિવડે જાણે છે અને દેખે છે. પII૬૭૩ * * (ટી) ભવનપતિ અને વ્યન્તરોને અવધિનો જઘન્ય પદે જે પચીશ યોજન પ્રમાણ વિષય છે તે જેઓની સૌથી જઘન્ય સ્થિતિ દસ હજાર વરસની છે તેઓની અપેક્ષાએ જાણવો. બાકીનાની અપેક્ષાએ ન સમજવો. આ સંબન્ધ ભાષ્યકાર કહે છે “TUMવીસ નોયડું વાસયા ગેસિં” ઇતિ–જેઓની દસ હજાર વરસની સ્થિતિ છે તેઓના અવધિજ્ઞાનનો વિષય પચીશ યોજન પ્રમાણ છે.” મનુષ્યના વિચારમાં ઉત્કૃષ્ટ પદે જે અલોકમાં લોક પ્રમાણ અસંખ્યાતા ખંડોને જાણે છે તે પરમાવધિની અપેક્ષાએ જાણવું. કારણ કે તેનોજ એટલો વિષય હોય છે. આ તો સામર્થ્ય માત્રનું વર્ણન છે. જો એટલા ક્ષેત્રમાં તેને જોવા લાયક વિષય હોય તો તે જુએ પરન્તુ નથી, કારણ કે અલોકમાં રૂપી દ્રવ્યોનો અસંભવ છે અને અવધિજ્ઞાનનો વિષય રૂપી દ્રવ્ય છે. કેવળ આ વિશેષ છે. જ્યાં સુધી હજી પણ સંપૂર્ણ લોકને જુએ ત્યાં સુધી અહીં સ્કંધોને જ દેખે છે, જ્યારે અવધિ અલોકમાં પણ પ્રસરે છે ત્યારે જેમ જેમ વધે છે તેમ તેમ લોકમાં સૂક્ષ્મ અને સૂક્ષ્મતર સ્કન્ધો દેખે છે, છેવટે પરમાણુને પણ દેખે છે. કહ્યુ છે કે"सामत्थमेत्तमुत्तं दट्ठव्वं जइ हवेज्ज पेच्छेज्जा। न उ तं तत्थत्थि जओ सो रूविनिबंधणो भणिओ ॥१॥
वड्ढतो पुण बाहिं लोगत्थं चेव पासइ दव्वं। सुहुमयरं सुहुमयरं परमोही जाव परमाणुं ॥२॥"
આ સામર્થ્યમાત્ર કહ્યું છે. જો અલોકમાં દેખવા લાયક હોય તો દેખે, પણ તેને દેખવા લાયક દ્રવ્ય ત્યાં નથી. કારણ કે તેનો વિષય રૂપી દ્રવ્ય કહ્યો છે. લોકની બહાર વધતું અવધિજ્ઞાન લોકમાં રહેલા સૂક્ષ્મ અને સૂક્ષ્મતર દ્રવ્યને યાવત્ પરમાવધિ પરમાણુને દેખે છે. આવા પ્રકારના પરમાવધિ વડે યુક્ત અવશ્ય અન્તર્મુહૂર્તમાં કેવલજ્ઞાનરૂપી લક્ષ્મી પ્રાપ્ત કરે છે. જે માટે કહ્યું છે કે “પરમોહીનાવિક વર્તમંતોમુદુમિત્તે” “પરમાવધિજ્ઞાનવાળો અન્તર્મુહૂર્ત માત્રમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે.”
309