________________
श्री प्रज्ञापना सूत्र भाग २
तेत्तीसइमं ओहिपयं ओहिसंठाण दारं (પ્ર) વૈમાનિકોને જઘન્ય પદેજે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ક્ષેત્ર કહ્યું છે, તેમાં અન્ય શંકા કરે છે–“અંગુલના અસંખાતમા ભાગ પ્રમાણ ક્ષેત્ર વિષયક અવધિજ્ઞાન સૌથી જઘન્ય છે, અને સૌથી જઘન્ય અવધિજ્ઞાન તિર્યંચ અને મનુષ્યોમાંજ હોય છે, બીજાને વિષે હોતું નથી. કારણ કે આ સંબન્ધ ભાષ્યકાર સ્વકૃત ટીકામાં કહે છ–“સત્વો મનુષ્યષ્યવ, નાચેવું, મનુષ્યતિર્યનિષ્ણેવ નો નાગુ, શેષાનાં મધ્યમ પતિ–ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન મનુષ્યોમાંજ હોય છે, બીજાને વિષે હોતું નથી. અને જઘન્ય અવધિ મનુષ્યો અને તિર્યચોમાં જ હોય છે, બીજાને હોતુ નથી.બાકીના જીવોને મધ્યમ અવધિ હોય છે.” તો કેમ અહીં વૈમાનિકોને સર્વ જઘન્ય અવધિ કહ્યું?
(ઉ4)–સૌધર્માદિ દેવોને પરભવથી આવેલું અવધિજ્ઞાન ઉત્પત્તિ કાળે સંભવે છે, અને તે કદાચિત્ સર્વજઘન્ય પણ હોય, ઉત્પન્ન થયા પછી તો તે ભવમાં ઉત્પન્ન થયેલું અવધિ હોય છે, માટે કઈ પણ દોષ નથી. આ સંબધે દુષ્યમાકાલરૂપી અન્ધકારમાં નિમગ્ન થયેલ જિન પ્રવચનને પ્રકાશ કરવામાં પ્રદીપ સમાન જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ કહે છે–“વેમણિયાળમંત્તિમામલંડ્યું રહનો રોફા ૩વવા પરમવિમો તમવી હો તો પછી"l-“વૈમાનિકોને અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અવધિ જઘન્યથી હોય છે, તે ઉપપાત કાળે પરભવથી આવેલું જાણવું. અને ત્યાર પછી તે ભવમાં ઉત્પન્ન થયેલું અવધિ હોય છે.” ઉપર થાવત્ પોતાના વિમાનો સુધી એટલે પોતાના વિમાનના શિખર અને ધ્વજાદિ પર્યન્ત હોય છે. સંખનું તો ના«િ'તિ-સંભિન્નપરિપૂર્ણ ચૌદ રજુ પ્રમાણ લોકનાડી પર્યન્ત હોય છે. પII૬૭all
| મોદિરસંવાલા ||. णेरइयाणं भंते! ओही किंसंठिए पन्नत्ते? गोयमा! तप्पागारसंठिए पन्नत्ते। असुरकुमाराणं भंते! पुच्छा। गोयमा! पल्लगसंठिते, एवं जाव थणियकुमाराणं। पंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा। गोयमा! णाणासंठाणसंठिए पण्णत्ते, एवं मणूसाण वि। वाणमंतराणं पुच्छा। गोयमा! पडहसंठाणसंठिए पण्णत्ते। जोतिसियाणं पुच्छा। गोयमा! झल्लरिसंठाणसंठिए पन्नत्ते। सोहम्मगदेवाणं पुच्छा। गोयमा! उड्डमुइंगागारसंठिए पन्नत्ते, एवं जाव अच्चुयदेवाणं पुच्छा। गेवेज्जगदेवाणं पुच्छा। गोयमा! पुप्फचंगेरिसंठिए पन्नत्ते। अणुत्तरोववाइयाणं पुच्छा। જયHI/ નવનિયાનંડિતે મોદી ન તૂ૦-દાદ૭૪|| (મૂળ) હે ભગવન્! નૈરયિકોને અવધિજ્ઞાન કેવા સંસ્થાન-આકારવાળું હોય? હે ગૌતમ! તેઓને ત્રાપાના આકાર જેવું સંસ્થાન
કહ્યું છે. અસુરકુમારો સંબધે પૃચ્છા. હે ગૌતમ! પાલાના જેવા સંસ્થાનવાળું છે. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો સંબજો પ્રશ્ન. હે ગૌતમ! અનેક પ્રકારના આકારવાળું છે. એ પ્રમાણે મનુષ્યોને પણ જાણવું. વ્યત્તરો સંબધે પૃચ્છા. હે ગૌતમ!પટલના-ઢોલ જેવું સ્થાન છે. જ્યોતિષિકો સંબન્ધ પૃચ્છા. હે ગૌતમ! તેનો આકાર ઝાલરના જેવો છે. સૌધર્મદેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ!તેનો આકાર ઉભા રહેલા મૃદના જેવો છે. એ પ્રમાણે યાવત્ અય્યત દેવો સુધી જાણવું. નૈવેયક દેવો સંબધે પ્રશ્ન. હે ગૌતમ! તેનો આકાર પુષ્યની ચંગેરી જેવો છે. અનુત્તરૌપપાતિક દેવો સંબધે
પૃચ્છા. હે ગૌતમ! તેનો અવધિજ્ઞાનનો આકાર જવનાલિકા–સિરકંચુકના જેવો છે. //૬/૬૭૪ll " (ટી.) હવે સંસ્થાન દ્વારા કહે છે–“રફયા ' ઇત્યાદિ. હે ભગવન્! નૈરયિકો અવધિજ્ઞાન કેવા સંસ્થાન–આકારવાળું છે? "તખારસં'િત્તિ તપ-ત્રાપો, કાષ્ટનો સમુદાય વિશેષ, જે નદીના પ્રવાહ વડે તરાતો દૂરથી લવાય છે, તે લાંબો અને ત્રિકોણ હોય છે. તેના આકાર જેવો નારકોના અવધિજ્ઞાનનો આકાર છે. અસુરકુમારાદિ બધાય ભવનપતિઓને અવધિ પાલાના આકાર જેવું છે. પાલો લાટ દેશમાં ધાન્ય ભરવાનું પાત્ર વિશેષ છે. તે ઉપર અને નીચે લાંબો અને ઉપર કાંઈક સાંકડો હોય છે. પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યોને અવધિનો અનેક પ્રકારનો આકાર છે. જેમાં સ્વયંભૂરમણ સમુદ્રમાં મલ્યો વિવિધ આકારવાળા હોય છે, વળી ત્યાં મત્સ્યોનું વલયની આકૃતિવાળું સંસ્થાનનિષેધ્યું છે, અને તિર્યંચ અને મનુષ્યોના અવધિનું તે પણ સંસ્થાન હોય છે. કહ્યું 310