Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 350
________________ छत्तीसइमं समुग्घायपयं पुहत्तेणं अतीताइसमुग्घाय परूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ હે ગૌતમ! અસંખ્યાતા પૂર્વે થયેલા છે. કેટલા ભવિષ્ય કાળે થવાના છે? હે ગૌતમ! અસંખ્યાતા થવાના છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. પરંતુ વનસ્પતિકાયિકો અને મનુષ્યોને આ વિશેષ છે– હે ભગવન્! વનસ્પતિકાયિકોને કેટલા આહારક સમુદ્યાતો પૂર્વે થયેલા છે? હે ગૌતમ! અનન્ના થયેલા છે? હે ભગવન્! મનુષ્યોને કેટલા આહારક સમુદ્ધાતો પૂર્વે થયેલા છે? હે ગૌતમ! કદાચ સંખ્યાતા અને કદાચ અસંખ્યાતા થયેલા છે. એ પ્રમાણે ભવિષ્ય કાળે થવાના પણ જાણવા. હે ભગવન્! નૈરયિકોને કેટલા કેવલિસમુદ્યાતો પૂર્વે થયેલા છે? હે ગૌતમ! થયેલા નથી. કેટલા ભવિષ્ય કાળે થવાના છે? હે ગૌતમ! અસંખ્યાતા થવાના છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! મનુષ્યોને કેટલી કેવલિસમુદ્યાતો પૂર્વે થયેલા છે? હે ગૌતમ! કદાચ થયેલા હોય છે અને કદાચ થયેલા નથી. જો થયેલા હોય છે તો જઘન્યથી એક, બે અને ત્રણ થયેલા છે અને ઉત્કૃષ્ટ શતપૃથક્વ–બસોથી નવસો સુધી થયેલા છે. કેટલા ભવિષ્યમાં થવાના છે? કદાચ સંખ્યાતા અને કદાચ અસંખ્યાતા થવાના છે. //૪/૬૯૫// (ટી) હવે સમદાયરૂપ નૈરયિકાદિના પ્રત્યેક દંડકે સમદઘાત સંબધે વિચાર કરવાની ઇચ્છાવાળા સત્રકાર કહે છે—‘રેરા' ઇત્યાદિ. હે ભગવન્!વિવક્ષિત પ્રશ્ન સમયે વર્તમાન સમુદિત બધા નૈરયિકોને પૂર્વે કેટલા વેદનાસમુદ્ધાતો થયેલા છે? ભગવાન! કહે છે– હે ગૌતમ! પૂર્વે અનન્તા થયેલા છે. કારણ કે ઘણા જીવો અનન્ત કાળથી અવ્યવહાર રાશિથી નીકળેલા છે અને તેઓને અતીત અનન્તકાળે નરયિકોમાં અનન્તા વેદનાસમુદ્ધાતો થયેલા હોય છે. કેટલા ભવિષ્યકાળ થવાના છે? અહીં પણ સંપૂર્ણ પ્રશ્નસૂત્રપાઠ આ જાણવો–રયામાં ! છેવફા યાસમુપાયા પુરેવવા? ઇતિ. હે ભગવન્! નૈરયિકોને કેટલા વેદનાસમુદ્ધાતો ભવિષ્યમાં થવાના છે? ભગવાન કહે છે હે ગૌતમ! અનન્તા થવાના છે. કારણ કે બધા નૈરયિકો અનન્તકાળ સુધી સંસારમાં રહેવાના છે. એ પ્રમાણે ચોવીશ દંડકના ક્રમથી થાવ વૈમાનિકો સુધી કહેવું. જેમ વેદનાસમુદ્ધાતોનો ચોવીશ દંડકના ક્રમથી વિચાર કર્યો તેમ કષાય, મરણ, વૈક્રિય અને તેજસ સમુદ્દઘાતોનો પણ વિચાર કરવો. તે પ્રમાણે સૂત્રકાર કહે છે વં નાવ તેયામુપાણ' એમ તૈજસ સમુદ્યાત સુધી કહેવું. એમ થવાથી આ પણ બહુવચન વિષયક એકસોને વીશ દંડકસૂત્રો થાય છે. એજ બાબત સૂત્રકાર કહે છ–‘વમે વિ ય પંઘ વડવ્યવંશ'ઇતિ. એ પ્રમાણે એ પણ એકસો વીશ દંડકો થાય છે. આહારક સમુદ્દઘાતનો વિચાર કરતા કહે છે–“નેરઇયાણં' ઇત્યાદિ. હે ભગવન્! નરયિકોને આહારક સમુદુઘાતો અતીતકાળે કેટલા થયેલા છે? ઇત્યાદિ. અહીં પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવાન કહે છે– ગૌતમ!પૂર્વે અસંખ્યાતા થયેલા છે. અહીં આ તાત્પર્ય છે–અહીં નૈરયિકો હમેશાં પ્રશ્ન સમયે બધા મળીને પણ અસંખ્યાતા હોય છે. તેમાં પણ કેટલાએક અસંખ્યાતા છે કે જેઓએ પૂર્વે આહારકસમુદ્ધાત કર્યો છે. તેથી જેઓએ પૂર્વે આહાર સમુઘાત કર્યો છે એવા અસંખ્યાતા જ ઘટે છે;અનન્તા તેમ સંખ્યાતા ઘટતા નથી. એમ તેઓ ભવિષ્યમાં આહારક સમુદ્યાતવાળા પણ અસંખ્યાતા જાણવા. એ પ્રમાણે ચોવીશ દંડકના ક્રમથી યાવત્ વૈમાનિકો પર્યન્ત કહેવું. એ બાબત સૂત્રકાર કહે છે*વં નાવ વેનિયા' એ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું. અહીં જે વિશેષતા છે તે બતાવવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે નવર'–પરન્તુ વનસ્પતિકાયિકના અને મનુષ્યના વિચારમાં નરયિકોની અપેક્ષાએ વિશેષતા જાણવી. તે વિશેષતા બતાવે છ‘પર્વ વણસવારૂયાળ' એ પ્રમાણે વનસ્પતિકાયિકોને કહેવું. અહીં પ્રશ્નસુત્ર સુગમ છે. ભગવાન કહે છ–હે ગૌતમ! પર્વે અનન્તા થયેલા છે. કારણ કે જેણે પૂર્વે આહારક સમુદઘાત કર્યા છે એવા અનન્તા ચૌદ પૂર્વધરો પ્રમાદના વશથી સંસારની વૃદ્ધિ કરીને વનસ્પતિમાં હોય છે. ભવિષ્ય કાળે અનન્તા આહારકસમુદ્યાત કરવાના છે. કારણ કે અનન્તા જીવો વનસ્પતિકાયથી નીકળી ચૌદ પૂર્વના જ્ઞાનપૂર્વક આહારક સમુદ્યાત કરી ભવિષ્યમાં મોક્ષ જવાના છે. ‘મyક્ષા મંતે'! ઇત્યાદિ. હે ભગવન્! મનુષ્યોને કેટલા આહારક સમુઘાતો અતીતકાળે થયેલા છે? ઇત્યાદિ પ્રશ્નસૂત્ર પ્રસિદ્ધ છે. ભગવાન કહે છે–હે ગૌતમ! “ચાત્' એ અવ્યય અનેકાન્તનો ઘાતક છે. તેથી આ અર્થ થાય છે.–કદાચિહ્ન સંખ્યાતા અને કદાચિત્ અસંખ્યાતા હોય છે. શી રીતે હોય? અહીં સંમૂર્છાિમ અને ગર્ભજ મનુષ્ય સમુદાયના વિચારમાં મનુષ્યો ઉત્કૃષ્ટ પદે અંગુલપ્રમાણ ક્ષેત્રમાં જેટલા આકાશપ્રદેશો હોય તેનું જે પ્રથમ વર્ગમૂલછે તેને ત્રીજા વર્ગમૂળ સાથે ગુણતાં જેટલા થાય 341

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404