Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 351
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ छत्तीसइमं समुग्घायपयं एगत्तेणं अतीताइसमुग्घाय परूवणं એટલા પ્રદેશ પ્રમાણ ખંડો ઘનીકૃત લોકની એક પ્રદેશની શ્રેણીમાં જેટલા હોય તેમાંથી એક ઓછો કરીએ તેટલા હોય છે. અને તેઓ બાકીના નારકાદિની જીવ રાશિની અપેક્ષાએ ઘણાજ થોડા છે. તેમાં પણ જેઓએ પૂર્વ ભવોમાં આહારક શરીર કરેલું છે તેઓ તો કેટલાક છે. તેઓ કદાચિત્ વિવક્ષિત પ્રશ્નસમયે સંખ્યાતા હોય છે અને કદાચિત્ અસંખ્યાતા હોય છે. તે માટે કહ્યું છે કે “સિય સંજ્ઞા સિય સંવેજ્ઞા' ઇતિ. કદાચિત્ સંખ્યાતા હોય છે અને કદાચિત્ અસંખ્યાતા હોય છે. ભવિષ્યકાળે પણ વિવક્ષિત પ્રશ્ન સમયે વિદ્યમાન મનુષ્યોમાં કેટલાએક આહારક શરીર કરશે તેઓ પણ કદાચિ સંખ્યાતા અને કદાચિત્ અસંખ્યાતા હોય છે, તેથી કહે છે કે–‘વં પુરવઠા વિ' જેમ અતીત કાળે આહારક સમુદ્દઘાતો કહ્યા છે તેમ ભવિષ્યકાળે પણ જાણવા. એટલે જેમ વનસ્પતિકાયિકો અને મનુષ્યોને અતીત કાળે આહાર સમુદ્દઘાતો કહ્યા છે તેમ ભવિષ્યમાં આહારક સમુદ્દઘાતો પણ જાણવા.તે આ પ્રમાણહે ભગવન્ વનસ્પતિકાયિકોને કેટલા આહારક સમદુધાતો ભવિષ્યમાં થવાના છે? હે ગૌતમ! અનન્તા થવાના છે. હે ભગવન્! મનુષ્યોને કેટલા આહારક સમુદ્યાતો ભવિષ્યમાં થવાના છે? કદાચ સંખ્યાતા થવાના હોય છે અને કદાચ અસંખ્યાતા થવાના હોય છે. કેવલિસમુદ્યાત વિષે પ્રશ્નસૂત્ર કહે છે–નેરામાં મં!' હે ભગવન્! કેટલા કેવલિસમુદ્યાતો અતીત કાળે થયેલા હોય? ઇત્યાદિ સુગમ છે. ભગવાન્ ઉત્તર આપે છે–પેગૌતમ! નરયિકોને ભૂતકાળે કોઇપણ કેવલિસમુદ્યાત થયેલો નથી, કારણ કે જેઓએ કેવલિસમુદ્યાત કર્યો છે તેઓનું નારકાદિમાં ગમન થતું નથી. કેટલા ભવિષ્યમાં થવાના છે? એ પ્રશ્ન છે. ભગવાનું ઉત્તર આપે છ–ડેગૌતમ! અસંખ્યાતા થવાના છે. કારણ કે વિવક્ષિત પ્રશ્નસમયે વર્તતા નારકોમાં અસંખ્યાતા નારકોને ભવિષ્યમાં કેવલિ સમુદ્યાત થવાનો છે અને તે પ્રમાણે કેવલજ્ઞાનીએ જાણેલું છે. એ પ્રમાણે ચોવીશ દંડકના ક્રમથી વૈમાનિક સૂત્ર સુધી કહેવું. તે પ્રમાણે સૂત્રકાર કહે “પર્વ નાવ માળિયા' એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. અહીં વિશેષતા કહે છે નવર'પરન્તુ વનસ્પતિકાયિકોમાં અને મનુષ્યોમાં આ વિશેષતા કહેવાની છે, તે કહે છે–‘વફાફયાળ' ઇત્યાદિ. વનસ્પતિકાયિકોને કેટલા કેવલિસમુઘાતો અતીતકાળે થયેલા છે? ઇત્યાદિ પ્રશ્નસૂત્ર સુપ્રસિદ્ધ છે. ઉત્તરસૂત્રમાં આ પ્રમાણે ઉત્તર છે –(અતીતકાળમાં થયેલા નથી અને ભવિષ્યકાળમાં) અનન્તા કેવલિસમુદ્ધાતો થવાના છે, કારણ કે તેઓમાં જેઓને ભવિષ્યકાળે અનન્તા કેવલિસમુદ્ધાતો થવાના છે તેવા અનન્તા છે. 'મનુસ્સાળ' ઇત્યાદિ. હે ભગવન્! મનુષ્યોને કેટલા કેવલિસમુદ્દઘાતો અતીત કાળે થયેલા છે? ઇત્યાદિ. અહીં પણ પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવાન્ ઉત્તર આપે છે હે ગૌતમ! કદાચ અતીતકાળે થયેલા હોય અને કદાચિત્ થયેલા ન હોય. તાત્પર્ય એ છે કે જ્યારે પ્રશ્ન સમયે સમુદ્દઘાતથી નિવૃત્ત થયેલા પ્રાપ્ત થાય ત્યારે હોય છે અને બાકીના કાળે હોતા નથી. તેમાં તે સમયે જેણે કેવલિસમુદ્ધાત કર્યો છે એવા મનુષ્યો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી શતપૃથક્વ-બસોથી નવસો સુધી હોય છે. કારણ કે ઉત્કૃષ્ટ પદે એક કાળે એટલા કેવલજ્ઞાનીઓ કેવલિસમુદ્યતને પ્રાપ્ત થયેલા હોય છે. જેવા પુરેવરવડી?' કેટલા પુરસ્કૃતભવિષ્યકાળથવાના કેવલિસમુદ્ધાતો હોય છે?એટલે મનુષ્યોને કેટલા સમુદ્ધાતો ભવિષ્યમાં થવાના હોય છે? ભગવાન્ ઉત્તર આપે છે-કદાચિત્ સંખ્યાતા અને કદાચિત્ અસંખ્યાતા થવાના હોય છે. કારણ કે મનુષ્યો સંમૂર્છાિમ અને ગર્ભજ બધા મળીને ઉત્કૃષ્ટ પદે પૂર્વે જેનું પ્રમાણ બતાવ્યું છે એટલા (અસંખ્યાતા) હોય છે. તેમાં વિવક્ષિત પ્રશ્ન સમયે વર્તતા મનુષ્યોમાં ઘણા અભવ્ય હોવાથી કદાચિત્ સંખ્યાતા કેવલિસમુદ્ધાતો હોય છે, કદાચિત્ અસંખ્યાતા હોય છે, કારણ કે જેઓને ભવિષ્યકાળે કેવલિસમુદ્યાતો થવાના છે એવા ઘણા હોય છે. III૬૯પા || guત્તેણં અતીતાફેરીમુપાથ પરૂવUi II एगमेगस्स णं भंते! णेरइयस्स हेरइयत्ते केवतिया वेदणासमुग्घाया अंतीता? गोयमा! अणंता, केवतिया पुरेक्खडा? गोयमा! कस्सइ अत्थि कस्सइ णत्थि, जस्स अत्थि जहन्नेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा अणंता वा। एवं असुरकुमारत्तेजाव वेमाणियत्ते। एगमेगस्सणं भंते! असुरकुमारस्स गेरइयत्ते केवतिया वेदणासमुग्घाया अतीता? गोयमा! अणंता, केवतिया पुरेक्खडा? गोयमा! कस्सइ अस्थि 342

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404