Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 352
________________ छत्तीसइमं समुग्घायपयं एगत्तेणं अतीताइसमुग्घाय परूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ कस्सति णत्थि, जस्सत्थि तस्स सिय संखेज्जा [वा] सिय असंखेज्जा [वा] सिय अनंता [वा]। एगमेगस्स णं भंते! असुरकुमारस्स असुरकुमारत्ते केवतिया वेदणासमुग्घाया अतीता ? गोयमा ! अनंता, केवतिया पुरेक्खडा ? गोयमा ! कस्सइ अत्थि कस्सइ णत्थि, जस्सत्थि जहन्नेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा अणंता वा, एवं णागकुमारत्ते वि जाव वेमाणियत्ते, एवं जहा वेयणासमुग्घाएणं असुरकुमारे. णेरइयादिवेमाणियपज्जवसाणेसु भणिए तहा णागकुमारादिया अवसेसेसु सट्टाण-परट्ठाणेसु भाणियव्वा जाव वेमाणियस्स वेमाणियत्ते । एवमेते चउव्वीसं चउव्वीसा दंडगा भवंति । सू० - ५ । । ६९६ ।। (મૂળ) હે ભગવન્! એક એક નૈયિકોને નૈયિકપણામાં કેટલા વેદનાસમુદ્ધાતો પૂર્વે થયેલા છે? હે ગૌતમ ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્ય કાળે થવાના છે? હે ગૌતમ! કોઇને થવાના હોય છે અને કોઇને થવાના હોતા નથી. જેને થવાના છે તેને જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા અને અનન્તા થવાના હોય છે. એ પ્રમાણે અસુકુમારપણામાં યાવત્ વૈમાનિકપણામાં જાણવું. હે ભગવન્! એક એક અસુરકુમારને નૈરયિકપણામાં કેટલા વેદનાસમુદ્ધાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્ય કાળે થવાના છે? હે ગૌતમ! કોઇને થવાના હોય છે અને કોઇને થવાના હોતા નથી. જેને થવાના છે તેને કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા અને કદાચ અનન્તા થવાના હોય છે. હે ભગવન્! એક એક અસુરકુમારને નૈરયિકપણામાં અતીત કાળે કેટલા વેદના સમુદ્દાતો થયેલા છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્ય કાળે થવાના છે? હે ગૌતમ! કોઇને થવાના છે અને કોઇને થવાના નથી. જેને થવાના છે તેને જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા અને અનન્તા થવાના છે. એ પ્રમાણે નાગકુમારપણામાં યાવત્ વૈમાનિકપણામાં પણ કહેવું. એ પ્રમાણે જેમ વેદના સમુદ્દાત વડે અસુરકુમાર નૈરયિકથી આરંભી વૈમાનિક સુધીમાં કહ્યો તેમ નાગકુમારાદિ બધા બાકીના સ્વસ્થાનોમાં અને પરસ્થાનોમાં કહેવા. યાવત્ વૈમાનિકને વૈમાનિકપણામાં કહેવું. એમ આ ચોવીશગુણા ચોવીશ દંડકો થાય છે. I૫૬૯૬॥ (ટી૦) હવે નૈરયિકત્વાદિ ભાવોમાં વર્તતા એક એક નૈરયિકાદિને પૂર્વકાળે કેટલા વેદના સમુદ્લાતો થયેલા હોય છે અને કેટલા ભવિષ્યકાળે થવાના હોય છે તેનું નિરુપણ ક૨વાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે—ળમેળ“ ાં મંતે!' ઇત્યાદિ. હે ભગવન્! એક એક નૈયિકને સર્વ અતીતકાળની અપેક્ષાએ તે તે કાળે નૈરયિકપણામાં વર્તતા બધા મળીને કેટલા વેદના સમુદ્દાત થયેલા છે? ભગવાન્ ઉત્તર આપે છે- ગૌતમ ! અનન્તા થયેલા છે. કારણ એક એક નૈરયિકને નરકસ્થાન પૂર્વે અનન્તવાર પ્રાપ્ત થયેલું છે અને એક નરકભવમાં જઘન્યપદે પણ સંખ્યાતા વેદના સમુદ્દાતો થાય છે. ‘જેવયા પુરેવલા'? કેટલા ભવિષ્યકાળે થવાના છે? હે ભગવન્! એક એક નૈયિકને સંસારથી માંડી મોક્ષગમન સુધીમાં અનાગતકાળની અપેક્ષાએ નારકપણામાં ભવિષ્યમાં થવાના બધા મળીને વેદના સમુદ્દાતો કેટલા છે? ભગવાન્ ઉત્તર આપે છ—હે ગૌતમ! ‘Æફ અસ્થિ’ ઇત્યાદિ. કોઇને થવાના છે અને કોઇને થવાના નથી. તેમાં જેનું નજીકમાં મૃત્યુ છે એવા નૈયિક વેદના સમુદ્દાત કર્યા સિવાય છેવટના મરણવડે ન૨કથી નીકળી પછીના ભવમાં સિદ્ધ થાય તેને નૈરયિકપણામાં ભવિષ્યમાં થવાનો એક પણ વેદના સમુદ્દાત નથી.બાકીનાને થવાના છે અને તેને પણ જઘન્યથી એક, બે કે ત્રણ હોય છે, આ બાબત જેઓનું ક્ષીણ થયેલું શેષ આયુષ્ય બાકી છે એવા, તે ભવમાં ઉત્પન્ન થયેલા અને પછીના ભવમાં સિદ્ધ થવાના છે તેઓની અપેક્ષાએ જાણવું, પરન્તુ ફરીથી નરકમાં ઉત્પન્ન થવાના હોય તેની અપેક્ષાએ ન ૧ સમજવું. કારણ કે ફરીથી ન૨કમાં ઉત્પન્ન થનારને તો જધન્યપદે પણ સંખ્યાતા વેદના સમુદ્ધાતો થાય છે. એ સંબન્ધુ મૂળ ટીકાકાર કહે છ– –“नरकेषु जघन्यस्थितिषूत्पन्नस्य नियमत: संख्येया एव वेदनासमुद्घाता भवन्ति, वेदनासमुद्घातप्रचुरत्वान्नारकाणाम्” રૂતિ। જઘન્ય સ્થિતિવાળા નરકોમાં ઉત્પન્ન થયેલાને અવશ્ય સંખ્યાતા જ ઘણા વેદના સમુદ્દાતો થાય છે. કારણ કે વેદના સમુદ્દાતવાળા નારકો હોય છે. ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા હોય છે. તેમાં જે એક વાર જઘન્ય સ્થિતિવાળા નરકમાં 343

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404