Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 339
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ पंचतीसइमं वेयणापयं अब्भोवगमियाइवेयणा दारं કેટલા પ્રકારે વેદના કહી છે? ઇત્યાદિ. તેમાં સાતા–સુખરૂપ વેદના, અસાતા દુઃખરૂપ વેદના અને સાતા-અસાતા–સુખ-દુઃખરૂપ વેદના, એનો જ નૈરયિકાદિ ચોવીશ દણ્ડકના ક્રમથી વિચાર કરે છે–રિયા માં મંતે'! ઇત્યાદિ. “હે ભગવન્! નરયિકો શું સાતવેદના વેદે છે”? ઇત્યાદિ નારકો તીર્થકરના જન્માદિ સમયે સાતવેદના વેદે છે અને બાકીના સમયે અસાતા વેદના વેદે છે. જયારે પૂર્વભવનો મિત્ર દેવ કે દાનવ વચનામૃતો વડે શાન્ત કરે ત્યારે મનમાં સાતા અને શરીરે ક્ષેત્રના પ્રભાવથી અસાતા અનુભવે છે. અથવા જ્યારે મનમાં જ તેના દર્શનથી અને તેના વચન સાંભળવાથી માતા અને પશ્ચાત્તાપના અનુભવથી અસાતા અનુભવે છે ત્યારે સાતા-અસાતા વેદનાનો અનુભવ કરે છે. અહીં પણ તેટલા વિવક્ષિત કાળને એક વિવલી સાતા અને અસાતાનો અનુભવ એક ક્વળે કહ્યો છે, પણ વાસ્તવિક રીતે તે અનુક્રમે જ જાણવો. ‘વં' ઇત્યાદિ. એ પ્રમાણ નૈરયિકોને કહ્યા પ્રમાણે વૈમાનિક સુધી બધા જીવો કહેવા. તેમાં પૃથિવ્યાદિ જીવો જ્યાં સુધી તેને ઉપદ્રવ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેઓ સાતા વેદના વેદે છે. ઉપદ્રવ પ્રાપ્ત થતાં અસાતા વેદના અનુભવે છે અને જુદા જુદા અવયવમાં ઉપદ્રવ હોય અને ન હોય ત્યારે માતા અને અસાતા વેદના વેદે છે. વ્યત્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો સુખ અનુભવતા સાતા વેદના, ચ્યવનાદિ સમયે અસાતા વેદના અને બીજાની સંપત્તિને જોવાથી માત્સર્યાદિનો અનુભવ અને પોતાની પ્રિય દેવીના આલિંગનાદિનો અનુભવ એક સાથે થાય ત્યારે સાતા અસાતા વેદના વેદે છે. પુનઃ અન્ય પ્રકારે વેદનાનું પ્રતિપાદન કરતા સૂત્રકાર પ્રશ્ન અને ઉત્તર સૂત્ર કહે છે વિહા ને અંતે! હે ભગવન્! કેટલા પ્રકારે વેદના કહી છે? ઇત્યાદિ. જે વેદના એકાન્ત દુઃખરૂપે કહી શકાય નહિ, કારણ કે સુખ પણ હોય છે, તેમ સુખરૂપ પણ ન કહી શકાય, કારણ કે દુ:પણ હોય છે, તે અદુઃખસુખા-સુખદુઃખાત્મિકા વેદના કહેવાય છે. (પ્ર)–સાતા અને અસાતા અને સુખ અને દુઃખામાં શી વિશેષતા છે?. (ઉ0)–જે અનુક્રમે ઉદયમાં આવેલા વેદનીય કર્મના પુદ્ગલના અનુભવથી સુખદુઃખ થાય તે માતા અને અસાતા કહેવાય છે છે. જે અન્ય વડે ઉદીરાતી વેદના રૂમ સાતા અને અસાતા તે સુખ અને દુઃખા કહેવાય છે. એજ વેદનાનો ચોવીશ દંડકના અનુક્રમથી વિચાર કરે છે નેફયા | અંતે'!–હે ભગવાનેરયિકો દુઃખા-દુઃખ રૂ૫ વેદના વેદે છે? ઇત્યાદિ. પ્લા૬િ૮૯ || ગોવામિયા વાર || कतिविहा णं भंते! वेदणा पन्नत्ता? गोयमा! दुविहा वेयणा पन्नत्ता। तं जहा-अब्भोवगमिया य ओवक्कमिया य। णेरइया णं भंते! अब्भोवगमियं वेदणं वेदेति, ओवक्कमियं वेदणं वेदेति? गोयमा! णो अब्भोवगमियं वेदणं वेदेति, ओवक्कमियं वेदणं वेदेति, एवं जाव चउरिदिया। पंचिंदियतिरिक्खजोणिया मणूसा य दुविहं पि वेदणं वेदेति, वाणमंतर-जोतिसिय-वेमाणिया जहा णेरइया ।।सू०-४।।६९०।। (મૂ૦) હે ભગવન્! કેટલા પ્રકારની વેદના કહી છે? હે ગૌતમ! બે પ્રકારની વેદના કહી છે. તે આ પ્રમાણે–આભુપગમિકી અને ઔપક્રમિકી. હે ભગવન્! નૈરયિકો આભુપગમિકી વેદના વેદે છે કે ઔપક્રમિકી વેદના વેદે છે? હે ગૌતમ! તેઓ આભુપગમિકી વેદના વેદતા નથી, પણ ઔપક્રમિકી વેદના વેદે છે. એ પ્રમાણે ચઉરિન્દ્રિય સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો બન્ને પ્રકારની વેદના વેદે છે. વ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકો નૈરયિકોની પેઠે સમજવા. //૪/૬૯૦ll. (ટી.) અન્ય પ્રકારે વેદનાનો વિચાર કરે –વિહા | અંતે! હે ભગવન્! કેટલા પ્રકારે વેદના કહી છે? ઇત્યાદિ. તેમાં આભુપગમિકી એટલે જે સ્વયં અભ્યપગમ્યતે–અફીકાર કરાય. જેમ સાધુઓ વડે કેશનું લંચન, આતાપના ઇત્યાદિ વડે શરીરને કષ્ટ અપાય છે, કારણ કે અમ્યુપામેન નિવૃત્તા અભ્યપગમ-સ્વંય કેશનો લોચ વગેરે કષ્ટનું અર્શીકાર કરવું, તે વડે ઉત્પન્ન થયેલી તે આભુપગમિકી એવી તેની વ્યુત્પત્તિ થાય છે. ઉપક્રમ-સ્વયમેવ પાસે જવું, અથવા ઉદીરણાકરણ વડે પાસે લાલવું.તે વડે ઉત્પન્ન થયેલી તે ઔપક્રમિકી.સ્વયં ઉદયમાં આવેલા કે ઉદીરણા કરણથી ઉદયમાં આવેલા વેદનીય કર્મના વિપાકના અનુભવ વડે ઉત્પન્ન થયેલી વેદના ઔપક્રમિકી વેદના કહેવાય છે. તેમાં પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યો બન્ને પ્રકારની વેદના વેદે છે. કારણ કે સમ્યગદષ્ટિ પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યોને કર્મનો ક્ષય કરવા માટે આભુપગમિકી વેદનાનો સંભવ છે. બાકીના જીવો _330

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404