Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 346
________________ छत्तीसइमं समुग्घायपयं एगत्तेणं अतीताइसमुग्घाय परूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ ત્રણ સમુદ્ધાતો હોય છે. કારણ કે તેઓને વૈક્રિયાદિ લબ્ધિના અભાવથી પછીના ચાર સમુદ્ધાતોનો અસંભવ છે. વાયુકાયિકોને પ્રથમના ચાર સમુદ્ધાતો હોય છે. કેમકે તેઓને વૈક્રિયલબ્ધિનો સંભવ હોવાથી વૈક્રિયસમુદ્ધાતનો પણ સંભવ છે. પંચેન્દ્રિય તિર્યંચોને આદિના પાંચ સમુદ્ધાતો હોય છે. કારણ કે તેમાં કેટલાએકને તેજલબ્ધિ પણ હોય છે. મનુષ્યોને સાતે સમુદ્ધાતો હોય છે, કારણ કે મનુષ્યોમાં સર્વભાવનો સંભવ છે. વ્યત્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકોને આદિના પાંચ સમુદ્ધાતો હોય છે. કારણ કે તેઓને વૈક્રિય અને તેજલબ્ધિ હોય છે. પછીના બે સમુદ્ધાતો હોતા નથી, કારણ કે તેઓને આહારકલબ્ધિ અને કેવલિપણાનો અભાવ છે. રા૬િ૯૩. || સતીતાફરીમુવઘાચ વરૂવM || एगमेगस्स णं भंते! णेरइयस्स केवतिया वेदणासमुग्घाया अतीता? गोयमा! अणंता, केवतिया पुरेक्खडा? गोयमा! कस्सइ अत्थि कस्सइ णत्थि, जस्सत्थि तस्स जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा अणंता वा। एवं असुरकुमारस्स विणिरंतरं जाव वेमाणियस्स, एवं जाव तेयगसमुग्घाए, एवं एते पंच चउवीसा दंडगा। एगमेगस्स णं भंते! णेरइयस्स केवतिया आहारगसमुग्घाया अतीता? कस्सइ अत्थि कस्सइ णत्थि, जस्स अत्थि तस्स जहण्णेणं एक्को वा दो वा उक्कोसेणं तिण्णि। केवतिया पुरेक्खडा? कस्सई अत्थि कस्सइ णत्थि, जस्सत्थि जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं चत्तारि, एवं णिरंतरं जाव वेमाणियस्स, णवरं मणूसस्स अतीता वि पूरेक्खडा वि जहा णेरइयस्स पुरेक्खडा। एगमेगस्स णं भंते! णेरइयस्स केवतिया केवलिसमुग्घाया अतीता? गोयमा! णत्थिा केवइया पुरेक्खडा? गोयमा! कस्सइ अस्थि कस्सइ नत्थि, जस्सत्थि एक्को, एवं जाव वेमाणियस्स, णवरं मणूसस्स अतीता कस्सइ अत्थि कस्सइ नत्थि, નસ્યુલ્થિ ક્ષો, પર્વ પૂરેમથડા વિ રાદ૬૪|| (મૂળ) હે ભગવન્! એક એકનારકને કેટલા વેદના સમુદ્યાતો અતીતપૂર્વે થયેલા છે? હે ગૌતમ! અનત્તાપૂર્વેથયેલા છે. કેટલા પુરસ્કૃત–ભવિષ્યકાળે થવાના છે? હે ગૌતમ! કોઈને થવાના હોય છે અને કોઈને થવાના હોતા નથી. જેને હોય છે તેને જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા અને અનન્તા થવાના હોય છે. એ પ્રમાણે અસુરકુમારને પણ થાવત્ નિરંતર વૈમાનિકના દંડક સુધી કહેવું. એમ તેજસ સમુદ્યાત સુધી જાણવું. એ પ્રમાણે પાંચ સમુદ્યાતોચોવીશ દંડકે કહેવા. હે ભગવન! એક એક નૈરયિકને આહારક સમુદ્યાતો કેટલા પૂર્વે થયેલા છે? કોઈને હોય છે અને કોઈને હોતા નથી. જેને હોય છે તેને જઘન્યથી એક અને બે તથા ઉત્કૃષ્ટથી ત્રણ હોય છે. કેટલા ભવિષ્ય કાળ થવાના છે? કોઈને હોય છે અને કોઈને હોતા નથી. જેને હોય છે તેને જઘન્યથી એક, બે અને ત્રણ અને ઉત્કૃષ્ટથી ચાર હોય છે. એ પ્રમાણે નિરંતર વૈમાનિક સુધી કહેવું. પરન્તુ મનુષ્યોને પૂર્વે થયેલા અને ભવિષ્ય કાળ થવાના નૈરયિકને ભવિષ્ય કાળે જે થવાના છે તેની પેઠે કહેવા. હે ભગવન! એક એક નરયિકને કેવલિ સમુદ્યાતો કેટલા પૂર્વે થયેલા છે? હે ગૌતમ! પૂર્વે થયેલા નથી. કેટલા ભવિષ્યકાળ થવાના છે? હે ગૌતમ! કોઈને થવાના છે અને કોઈને નથી. જેને થવાના છે તેને એક સમુદ્યાત થવાનો છે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. પરન્તુ મનુષ્યને કોઈને પૂર્વેથયેલા છે અને કોઈને નથી. જેને છે તેને એક છે. એ પ્રમાણે ભવિષ્ય કાળે થવાનો પણ એક જ કેવલિ સમુદ્યત જાણવો. ૩/૬૯૪/ (ટી0) હવે ‘ચોવીશ દણ્ડકને આશ્રયી એક જીવને કેટલા વેદનાદિ સમુદ્યાતો પૂર્વે થયેલા છે અને કેટલા ભવિષ્યકાળ થવાના છે” એનો વિચાર કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે “ પાસ ને અંતે'! ઇત્યાદિ. હે ભગવન્! એક એક નૈરયિકને કેટલા - વેદના સમુદ્દઘાતો પૂર્વે થયેલા છે? ઈત્યાદિ. સૂત્રમાં “મ'કાર અલાક્ષણિક-નિયમ વિરુદ્ધ છે. હે ભગવન્! નૈરયિકોને બધા ભૂતકાળને આશ્રયી કેટલા વેદના સમુદ્ધાતો ‘તીતા:'પૂર્વે થયેલા છે? ભગવાનું કહે છે—હે ગૌતમ! અનન્તા થયેલા છે. કારણ 337

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404