________________
श्री प्रज्ञापना सूत्र भाग २ चउत्तीसइमं परियारणापयं चउविसदंडएसु आहाराभोगणा-पोग्गलजाणणा-दारं (ટી0) હવે આહાર વિશે આભોગ-સંકલ્પનો વિચાર કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે–“રેચા vi મંત! માહાર'ઇત્યાદિ. હે ભગવન્! નૈરયિકોને આભોગનિર્વર્તિત આહાર હોય છે કે અનાભોગનિવર્તિત હોય છે? ઇત્યાદિ. જ્યારે મનોવ્યાપાર પૂર્વક આહાર ગ્રહણ કરે છે ત્યારે આભોગનિવર્તિત અને તે સિવાય બાકીના કાળે અનાભોગનિવર્તિત આહાર હોય છે. અને તે લોકાહાર જાણવો. એ પ્રમાણે બાકીના જીવોને આભોગનિવર્તિત અને અનાભોગનિવર્તિત આહારનો વિચાર કરવો. પરન્તુ એકેન્દ્રિયોને અત્યંત અલ્પ અને અસમર્થ—અસ્પષ્ટ મનોદ્રવ્યની લબ્ધિ હોવાથી સ્પષ્ટ મનોવ્યાપાર હોતો નથી, તેથી તેઓને હમેશાં અનાભોગનિર્વર્તિત જ આહાર હોય છે, પરન્ત કદિ પણ આભોગનિર્વર્તિત આહાર હોતો નથી. હવે આહારપણે ગ્રહણ કરાતા પુદ્ગલોને વિષે જ્ઞાન અને દર્શનનો વિચાર કરે છે–રિયામાં મંતે!' ઇત્યાદિ. હે ભગવન્! નરયિકો (‘ણ” વાક્યાલંકારમાં વપરાય છે) જે પુદ્ગલોને આહારપણે ગ્રહણ કરે છે તે પુદ્ગલોને જાણે છે અને દેખે છે, અથવા જાણતા નથી અને દેખતા નથી? ભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ!તેઓ અવધિજ્ઞાન વડે જાણતા નથી. કારણ કે લોમાહાર રૂપે તે પુદ્ગલો અતિ સૂક્ષ્મ હોવાથી નારકોને અવધિજ્ઞાનનો વિષય થતા નથી. તેમ તે દેખતા નથી, કારણ કે તે ચક્ષુઇન્દ્રિયનો વિષય નથી. બેઇન્દ્રિયો પણ જાણતા નથી, કારણ કે તેઓ મિથ્યાજ્ઞાની હોવાથી તેઓને તેનું સમ્યગુજ્ઞાન થતું નથી. બેઇન્દ્રિયોને મતિઅજ્ઞાન છે અને તે પણ અસ્પષ્ટ છે, તેથી પોતા વડે ગ્રહણ કરાતા પ્રક્ષેપાહારને પણ સમ્યગૂ જાણતા નથી, તેમ ચક્ષુઈન્દ્રિય નહિ હોવાથી દેખતા પણ નથી. એમ તેઇન્દ્રિયો પણ જ્ઞાનદર્શનરહિત જાણવા. ચઉરિન્દ્રિયો ‘ત્યેાડ્યા' કેટલાએક છે જેઓ પોતે ગ્રહણ કરેલો આહાર પ્રક્ષેપરૂપ હોવા છતાં પણ તેને જાણતા નથી, કારણ કે તે મિથ્યાજ્ઞાની છે અને તેઓને પણ બેઇન્દ્રિયોની પેઠે મતિઅજ્ઞાન છે અને તે પણ અસ્પષ્ટ છે, પરન્તુચક્ષુઇન્દ્રિય વડે જુએ છે, કારણ કે તેઓને ચક્ષુઇન્દ્રિય હોય છે. તે આ પ્રમાણે-માખી વગેરે ગોળ આદિ વસ્તુને જુએ છે અને તેનો આહાર કરે છે. તથા બીજા કેટલાએક ચઉરિન્દ્રિયો છે. જેઓ મિથ્યાજ્ઞાની હોવાથી જાણતા નથી. તેમ અન્યકાચદિ વડે ચક્ષુદર્શનનો પ્રતિબન્ધ થયેલો હોવાથી કે અનુપયોગનો સંભવ હોવાથી દેખતા નથી. પંચેન્દ્રિય તિર્યંચો સંબધે લોમાહાર અને પ્રક્ષેપાહારને આશ્રયી ચઉભંગી જાણવી તેમાં પ્રક્ષેપાહારની અપેક્ષાએ આ પ્રમાણે વિચાર છે કેટલાએક પંચેન્દ્રિયતિર્યંચો છે જેઓ પ્રક્ષેપાહારને જાણે છે, કારણ કે તેઓ સમજ્ઞાની હોવાથી તેનું તેઓને યથાવસ્થિત પરિજ્ઞાન હોય છે, તેમચક્ષુઇન્દ્રિય હોવાથી દેખે છે અને એ પ્રમાણે આહાર કરે છે. ર તથા કેટલાએક છે જેઓ પૂર્વની પેઠે જાણે છે, પરન્તુ ચક્ષુદર્શનનો અંધકારાદિ વડે તથા અનુપયોગવડે પ્રતિબંધ થયેલો હોવાથી દેખતા નથી. કેટલાએક તિર્યંચ પંચેન્દ્રિયો છે જેઓ જાણતા નથી, કારણ કે મિથ્યાજ્ઞાનવાળા હોવાથી તેઓને તેનું સમ્યજ્ઞાન નથી, પરન્ત ચઇન્દ્રિયના ઉપયોગથી દેખે છે. ૪ તથા કેટલાએક છે જેઓ મિથ્યાજ્ઞાન હોવાથી જાણતા નથી, તેમ પૂર્વની પેઠે દેખતા પણ નથી અને એ પ્રમાણે આહાર કરે છે. લોમહારની અપેક્ષાએ આ પ્રમાણે વિચાર છે–૧ કેટલાએક તિર્યંચ પંચેન્દ્રિયો છે જેઓ લોમાહારને જાણે, કારણ કે તે વિશિષ્ટ અવધિજ્ઞાન વડે સહિત છે. તેમ તેવા પ્રકારનો ક્ષયોપશમ હોવાથી અને ઇન્દ્રિયનું સામર્થ્ય અતિ વિશુદ્ધ હોવાથી દેખે છે અને એ પ્રમાણે આહાર કરે છે. ૨ કેટલાએક છે જેઓ પૂર્વની પેઠે જાણતા નથી, અને તેવા પ્રકારનું ઇન્દ્રિયનું સામર્થ્ય નહિ હોવાથી દેખતા પણ નથી. ૩ કેટલાએક છે જેઓ જાણતા નથી પરન્તુ તે વિષયનું ઇન્દ્રિયસામર્થ્ય હોવાથી દેખે છે. ૪ તથા કેટલાએક છે જેઓ મિથ્યાજ્ઞાની હોવાથી, અવધિજ્ઞાનરહિત હોવાથી અને અવધિજ્ઞાનના વિષયથી અતીત હોવાને લીધે જાણતા નથી અને તેવા પ્રકારના ઇન્દ્રિયના સામર્થ્યના અભાવથી દેખતા પણ નથી. એ પ્રમાણે મનુષ્યોને પણ લોમાહાર અને પ્રક્ષેપાહારની અપેક્ષાએ ચોભંગી વિચારવી. “વાસંતરગોસિયા નહીં નેરફયા' બન્નર અને જ્યોતિષ્ઠો નૈરયિકોની પેઠે જાણવા'. કારણ કે નૈરયિકોના અવધિજ્ઞાનની પેઠે બન્નર અને જ્યોતિષ્કના અવધિજ્ઞાનનો પણ તેઓ મનોભક્ષી (મન માત્ર વડે આહાર કરનારા) હોવા છતાં આહારના પુદ્ગલોનો વિષય નથી. અર્થાત્ નૈરયિકોની પેઠે અવધિજ્ઞાન વડે તેઓ આહારના પુદ્ગલો જાણતા નથી. માણિયાણ પુચ્છાવૈમાનિકો સંબ પ્રશ્ન. વૈમાનિકોને જુદું સૂત્ર કહેવું ‘વેમાળિયા મંત! ને પોતાને નારીરત્તા મેણંતિ તે વિં નાગતિ પાસંતિ, મહાતિ, ૩૨ાહું ન જાતિ ને પતિ, મહાતિર' હે ભગવન્! વૈમાનિકો જે પુદ્ગલોને આહારપણે ગ્રહણ કરે છે તે શું જાણે 316