Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 323
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ चउत्तीसइमं परियारणापयं चउवीसदंडएसु अणंतराहार दारं (૧૦) હે ભગવન્! નરયિકો અનત્તરાહાર–ઉત્પત્તિ સમયે તુરત આહાર કરનારા હોય?તે પછી શરીરની ઉત્પત્તિ, તે પછી પર્યાદાન-પુદ્ગલોનું ગ્રહણ, તે પછી તેના પરિણામ, તે પછી પરિચારણા–વિષયોપભોગ અને ત્યાર બાદ વિદુર્વણા કરે છે? હા ગૌતમ! નરયિકો ઉત્પત્તિ સમયે તુરત આહાર કરનારા હોય છે, તે પછી શરીરની ઉત્પત્તિ થાય છે, ત્યાર બાદ પુદ્ગલોનું ગ્રહણ થાય છે, તે પછી તેના પરિણામ, તે પછી પરિચારણા અને પછી વિદુર્વણા કરે છે. હે ભગવન્! અસુર કુમારો ઉત્પત્તિસમયે તુરત આહાર કરનારા હોય છે, તે પછી શરીરની ઉત્પત્તિ, તે પછી પુદ્ગલોનું ગ્રહણ, તે પછી પરિણામ, પછી વિકુવા, અને તે પછી પરિચારણા કરે છે?હા ગૌતમ! અસુરકુમારો ઉત્પત્તિ સમયે તુરત આહાર કરે છે, પછી શરીરની ઉત્પત્તિ થાય છે, યાવતું તે પછી પરિચારણા કરે છે. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી કહેવું. હે ભગવન્! પૃથિવીકાયિકો અનન્તરાહાર–ઉત્પત્તિ સમયે તુરત આહાર કરનારા હોય છે?તે પછી શરીરની ઉત્પત્તિ, પછી પુદ્ગલોનું ગ્રહણ, પછી તેના પરિણામ, પછી પરિચારણા–વિષયોપગભોગ અને તે પછી વિદુર્વણા કરે છે? હા ગૌતમ! તેમજ જાણવું, યાવત્ પરિચારણા કરે છે, પણ વિફર્વણા કરતા નથી. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પરન્તુ વાયુકાયિકો, પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યો નરયિકોની પેઠે સમજવા. વ્યત્તર, જ્યોતિર્ષિક અને વૈમાનિકો અસુરકુમારોની પેઠે જાણવા. //ર //૬૭૯ (ટી.) હવે ‘થો નિર્વેશ:' ઉદેશના ક્રમને અનુસરી નિર્દેશ થાય છે-એ ન્યાયથી પ્રથમ અનન્તરાગત આહારની વક્તવ્યતા કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર આ સૂત્ર કહે છ– નેરડ્રયા મંત'! ઇત્યાદિ. હે ભગવન્! નરયિકો અનાર/હાર:-ઉત્પત્તિ સમયે તરત આહાર કરનારા છે? ઇત્યાદિ. હે ભદન્ત!–પરમ કલ્યાણના યોગવાળા પરમ સુખના યોગવાળા હે ભગવન્! નૈરયિકો ‘ણે” વાક્યાલઠ્ઠારમાં વપરાય છે. “અનન્તરીતમદા:' ઉત્પત્તિ ક્ષેત્રની પ્રાપ્તિ સમયે જ આહાર કરનારા હોય?તે પછી ઉત્પત્તિ સમયે આહારના ગ્રહણથી આરંભી અનુક્રમે તેઓના શરીરની નિર્વતના-ઉત્પત્તિ થાય છે? ‘તતો યાયા” તે પછી શરીરની ઉત્પત્તિથી આરંભી પર્યાદાન-યથાયોગ્યપણે અક અને પ્રત્યકોવડેલોમાહારાદિ દ્વારા ચોતરફથી પદગલોનું ગ્રહણ થાય છે.?‘તતો પરિણામયા' તે પુલો ગ્રહણ કર્યા પછી તરત તે પુદ્ગલોનો ઇન્દ્રિયાદિરૂપે પરિણામ થાય છે? ઇન્દ્રિયાદિરૂપે પરિણામ થયા પછી યથાયોગ્ય પ્રમાણ પરિચારણા-શબ્દાદિ વિષયનો ઉપભોગ થાય છે? તે પછી વિદુર્વણા-વૈક્રિયલમ્બિવડે અનેક પ્રકારે અનેક રૂપવાળા વૈક્રિય શરીર થાય છે? એ પ્રશ્ન કર્યો એટલે ભગવાન ઉત્તર આપે છે—હત્તા જોયા'! ઇત્યાદિ. હા ગૌતમ! અહીં હન્ત' સ્વીકારના અર્થમાં છે. નરયિકો ‘મનન્તરીહરિ:'ઉત્પત્તિ સમયે તરત આહાર કરનારા હોય છે. ઈત્યાદિ એ પ્રમાણે જેમ નરયિકોની અનન્તરાહારાદિની વક્તવ્યતા કહી તેમ અસુરકુમારથી આરંભી સ્વનિતકુમાર સુધીના ભવનપતિ દેવોની પણ કહેવી. પરંતુ એટલું વિશેષ છે કે અસુરકુમારાદિને પૂર્વે વિદુર્વણા હોય છે અને પછીથી પરિચારણા-વિષયોપભોગ હોય છે. કારણ કે તેઓ વિશિષ્ટ શબ્દાદિ વિષયોના ઉપભોગની ઇચ્છા થતાં પૂર્વે ઇષ્ટવૈક્રિયરૂપ કરે છે અને પછીથી શબ્દાદિ વિષયનો ઉપભોગ કરે છે એ નિયમ છે. બાકીના જીવો શબ્દાદિ વિષયના ઉપભોગની પ્રાપ્તિ થતાં હર્ષના વશથી અત્યંત વિશિષ્ટ શબ્દાદિના ઉપભોગની ઇચ્છાથી કે બીજા કોઈ પણ કારણથી વિમુર્વણા કરે છે. તેથી તેઓને પૂર્વે શબ્દાદિ વિષયના ઉપભોગરૂપ પ્રવિચારણા હોય છે અને પછીથી વિફર્વણા હોય છે. પૃથિવીકાયના વિષયમાં પ્રશ્નસૂત્ર તેમજ કહેવું, અને ઉત્તરસૂત્ર પરિચારણા સુધી કહેવું. કારણ કે તેઓને પણ સ્પર્શના ઉપભોગનો સંભવ છે. ‘નો વેવ ને વિધ્વાયા'પરન્તુ તેઓને વિદુર્વણા ન કહેવી. કારણ કે તેઓને વૈક્રિયલબ્ધિનો અસંભવ છે. એ પ્રમાણે–પૃથિવીકાયિકની પેઠે વાયુકાય સિવાયના અખાયથી માંડી ચઉરિન્દ્રિય સુધી જાણવા. કારણ કે તેઓને પણ વૈક્રિયલબ્ધિ નહિ હોવાથી સૂત્રનું સમાનપણું છે. વાયુકાય સંબંધે વિશેષતા કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર સમાન પાઠ હોવાથી વાયુકાય સહિત પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોનું અતિદેશ-સમાનપણું બતાવે છે. નવર' ઇત્યાદિ. “નહી નેફયા' જેમ નેરયિકો કહ્યા તેમ વાયુકાયિકાદિ કહેવા. તાત્પર્ય એ છે કે નરયિકોની પેઠે વિદુર્વણા પણ એઓને કહેવી. કારણ કે તેઓને વૈક્રિયલબ્ધિનો સંભવ છે. પણ તે પ્રવિચારણા-વિષયોપભોગની પછી હોય છે. વાળમંતરનોફવેપયા નહીં અસુરકુમાર'-વ્યન્તર, 314

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404