Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 315
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ तेत्तीसइमं ओहिपयं ओहिभेय दारं પ્રમાણ (અસંખ્યાતા) ખંડોને જાણે છે. કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી રૂપ અતીત અને અનાગત કાળને જાણે છે અને ભાવથી અનન્ત પર્યાયોને જાણે છે, કારણ કે દરેક દ્રવ્યના સંખ્યાતા કે અસંખ્યાતા પર્યાયોને જાણે છે. કેમ કે “gri ā રેષ્ઠ વંશમનું વાસ પજ્ઞવે તસ્સા ૩ોસમન્નેિ સંલેને પછg #ોડ઼ “કોઈક અવધિજ્ઞાની એક પરમાણુ કે સ્કન્વરૂપ દ્રવ્યોને જોતો તેના ઉત્કૃષ્ટથી સંખ્યાતા કે અસંખ્યાતા પર્યાયોને જુએ છે. એવું શાસ્ત્રવચન છે. તેમાં સર્વ જઘન્ય અને મધ્યમ અવધિ દેશાવધિ કહેવાય છે અને સર્વોત્કૃષ્ટ અવધિને પરમાવધિ કે સર્વાવધિ કહેવાય છે. તથા અવધિની ક્ષય અને વૃદ્ધિ કહેવાની છે. તાત્પર્ય એ છે કે હીયમાન અને વર્ધમાન અવધિજ્ઞાન કહેવાનું છે. તેમાં તથાવિધ સામગ્રીના અભાવથી પૂર્વ અવસ્થાથી હાનિને પ્રાપ્ત થતું હીયમાન અવધિ કહેવાય છે. કહ્યું છે કે “રીમાળવે જુવાવસ્થાતો હો હો હમા" તિ–હીયમાન અવધિ પૂર્વ અવસ્થાથી નીચે નીચે ઘટતું જાય છે, અને જેમ અધિક અધિક ઈન્જનના નાંખવા વગેરે વડે અગ્નિની જ્વાલાને સમૂહ વધતો જાય તેમ જે પૂર્વાવસ્થાથી યથાયોગ્યપણે વિશુદ્ધતર અધ્યવસાય થવાથી વધતું જાય તે વર્ધમાન અવધિ કહેવાય છે. તથા પ્રતિપાતી અને અપ્રતિપાતી, તથા ચ શબ્દ અનુક્ત અર્થનો સમુચ્ચય કરનાર હોવાથી આનુગામિક અને અનાનુગામિક અવધિ પણ કહેવા યોગ્ય છે. તેમાં પડવાના સ્વભાવવાળું હોય તે પ્રતિપાતી. જે અવધિ ઉત્પન્ન થઈ ક્ષયોપશમને યોગ્ય કેટલાક કાળ સુધી રહીને પ્રદીપની પેઠે સર્વથા નાશ પામે તે પ્રતિપાતી અવધિ કહેવાય છે. (પ્ર)–હીયમાન અને પ્રતિપાતીમાં શો ભેદ છે? (૧૦)–પૂર્વાવસ્થાથી નીચે નીચે હાનિ પામતું હોય તે હીયમાન અવધિ કહેવાય છે અને એક કાળે નિર્મૂળ નાશ પામે તે પ્રતિપાતી કહેવાય છે. જે-૫ડે નહિ તે અપ્રતિપાતી, જે કેવળ જ્ઞાન સુધી કે મરણ પર્યન્ત નાશ ન પામે તે અપ્રતિપાતી. તથા ગમન કરનાર પુરુષને જે આ-સમતા-સર્વથા અનુસરે તે આનુગામિક. અહીં સ્વાર્થમાં ‘ક’પ્રત્યય થયો છે. અથવા અનુગમ-અનુસરવું એ જેનું પ્રયોજન છે તે આનુગામિક. જે લોચનની પેઠે જનારા પુરુષને અનુસરે, સાથે જાય તે આનુગામિક અવધિ કહેવાય છે એ ભાવાર્થ છે. જે આનુગામિક નથી તે અનાનુગામિક. સાંકળથી બાંધેલા દીવાની પેઠે જે ગમન કરનાર પુરુષને અનુસરતું નથી એ ભાવાર્થ છે. એ પ્રમાણે અધિકારનું પ્રતિપાદન કરવા માટે દ્વાર ગાથા કહી છે. ll૧/૬૬૯ IIકોફિમેદવાર || कइविहा णं भंते! ओही पण्णत्ता? गोयमा! दुविहा ओही पन्नत्ता, तं जहा-भवपच्चइया य खओवसमिया य, दोण्हं भवपच्चइया, तं जहा–देवाण य नेरइयाण य, दोण्हं खओवसमिया, तं जहा–मणूसाणं પરિસિવિશ્વનોળિયાય સૂ૦-૨૬૭૦ || (મૂળ) હે ભગવન્! કેટલા પ્રકારે અવધિજ્ઞાન કહ્યું છે. હે ગૌતમ! અવધિ બે પ્રકારે કહ્યું છે. જેમ કે-ભવપ્રત્યયિક અને લાયોપથમિક. એને ભવપ્રત્યયિક અવધિ છે. તે આ પ્રમાણે-દેવો અને નારકોને, અને બેને સાયોપથમિક અવધિ છે. જેમ કે-મનુષ્યો અને પંચેન્દ્રિય તિર્યંચોને. //ર ૬૭ll (ટી) હવે “થોદ્દેશં ર્વેિશ:” “ઉદેશના ક્રમ પ્રમાણે નિર્દેશ થાય છે એ ન્યાયને અનુસરી પ્રથમથી અવધિના ભેદનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર કહે છે‘વિહા નું અંતે!' હે ભગવન્! અવધિ કેટલા પ્રકારે કહ્યું છે -ઇત્યાદિ. સૂત્રમાં સ્ત્રીલિંગનો નિર્દેશ પ્રાકૃત હોવાથી કર્યો છે. ભગવાન ઉત્તર કહે છે-હે ગૌતમ! બે પ્રકારે અવધિજ્ઞાન કહ્યું છે. જેમકે મવશ્વથા ય વગોવસમિયા 'ભવપ્રત્યયિક અને ક્ષયોપથમિક. મતિ મન'–જેમાં કર્મને વશવતી પ્રાણીઓ ઉત્પન્ન થાય છે તે ભવ-નારકાદિનો જન્મ. અધિકરણમાં “ઘ' પ્રત્યય થયો છે. ભવ એજ પ્રત્યય કારણ જેનું છે તે ભવપ્રત્યય. અહીં પ્રત્યય શબ્દ કારણવાચી છે. “પ્રત્યય; શપથજ્ઞાનવિશ્વાસનિશ" પ્રત્યય શબ્દ શપથ, જ્ઞાન, હેત, વિશ્વાસ અને નિશ્ચય અર્થમાં છે. તેને સ્વાર્થિક “ક” પ્રત્યય થવાથી ભવપ્રત્યયક થાય છે. તથા અવધિજ્ઞાનાવરણીય કર્મના ઉદયાવલિકામાં રહેલા અંશના વેદવા વડનાશ થવો તે ક્ષય અને અનુદય 306.

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404