________________
श्री प्रज्ञापना सूत्र भाग २
एगूणतीसइमं उवओगपयं जीवाईसु सागाराणागारोवओग परूवणं सुतअण्णाणोवउत्ता ते णं पुढविक्काइया सागारोवउत्ता, जे णं पुढविक्काइया अचक्खुदंसणोवउत्ता ते णं पुढविक्काइया अणागारोवउत्ता, से तेणटेणं गोयमा! एवं वुच्चति जाव वणप्फइकाइया। बेइंदियाणं [भंते!] अट्ठहिया तहेव पुच्छा। गोयमा! जाव जे णं बेइंदिया आभिणिबोहियणाण-सुयणाण-मतिअण्णाणसुयअणाणोवउत्ता ते णं बेइंदिया सागारोवउत्ता,जेणं बेइंदिया अचक्खुदसणोवउत्ता ते णं बेइंदिया अणागारोवउत्ता, से तेणटेणं गोयमा! एवं वुच्चति, एवं जाव चउरिदिया, णवरं चक्खुदंसणं अब्भइयं चउरिदियाणं। पंचेंदियतिरिक्खजोणिया जहा णेरइया, मणूसा जहा जीवा, वाणमंतर-जोतिसिय-वेमाणिया जहा णेरइया
पण्णवणाए भगवईए एगूणतीसइमं उवओगपयं समत्तं। (મૂળ) હે ભગવન્! જીવો શું સાકાર ઉપયોગવાળા છે કે અનાકાર ઉપયોગવાળા છે? હે ગૌતમ! સાકાર ઉપયોગવાળા પણ છે
અને અનાકાર ઉપયોગવાળા પણ છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે જીવો સાકાર ઉપયોગવાળા પણ છે અને અનાકાર ઉપયોગવાળા પણ છે. હે ગૌતમ!જે હેતુથી જીવો આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અને વિભાજ્ઞાનના ઉપયોગવાળા હોય છે તે હેતુથી જીવો સાકાર ઉપયોગવાળા છે. જે હેતુથી જીવો ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શનના ઉપયોગવાળા હોય છે તે હેતુથી જીવો અનાકાર ઉપયોગવાળા છે. તે માટે હે ગૌતમ! એમ કહેવાય છે કે જીવો સાકાર ઉપયોગવાળા પણ હોય છે અને અનાકાર ઉપયોગવાળા પણ છે. હે ભગવન્! નરયિકો સાકાર ઉપયોગવાળા છે કે અનાકાર ઉપયોગવાળા છે? હે ગૌતમ! સાકાર ઉપયોગવાળા પણ હોય છે અને અનાકાર ઉપયોગવાળા પણ છે. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો? હે ગૌતમ! જે હેતુથી નૈરયિકો આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અને વિભક્કજ્ઞાનના ઉપયોગવાળા હોય છે તે હેતુથી નરયિકો સાકાર ઉપયોગવાળા છે. જે હેતુથી નૈરયિકો ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શનના ઉપયોગવાળા હોય છે તે હેતુથી નરયિકો અનાકાર ઉપયોગવાળા હોય છે, તે માટે હે ગૌતમ! એમ કહું છુ કેયાવત્ સાકાર ઉપયોગવાળા હોય છે અને અનાકાર ઉપયોગવાળા હોય છે. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું. પૃથિવીકાયિકો સંબધે પૃચ્છા. હે ગૌતમ! તેમજ કહેવું. વાવ જે હેતુથી પૃથિવીકાયિકો મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના ઉપયોગવાળા હોય છે તે હેતુથી પૃથિવીકાયિકો સાકાર ઉપયોગવાળા છે. જે હેતુથી પૃથિવીકાયિકો અચક્ષુદર્શનના ઉપયોગવાળા હોય છે તે હેતુથી પૃથિવીકાયિકો અનાકાર ઉપયોગવાળા છે, તે માટે હે ગૌતમ! એમ કહું છું. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું. હે ભગવન્! બેઈન્દ્રિયોના અર્થ-પ્રયોજન દણ્ડક સહિત તેમજ પૃચ્છા કરવી. હે ગૌતમ! યાવત્ જે હેતુથી બેઈન્દ્રિયો આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાનના ઉપયોગવાળા છે તે હેતુથી બેઈન્દ્રિયો સાકાર ઉપયોગવાળા છે. જે હેતુથી બેઈન્દ્રિયો અચસુદર્શનના ઉપયોગવાળા છે તે હેતુથી અનાકાર ઉપયોગવાળા છે. તે માટે હે ગૌતમ! હું એમ કહું છું. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પરન્તુ ચઉરિન્દ્રિયોને ચક્ષુદર્શન અધિક કહેવું. પંચેન્દ્રિય તિર્યંચો નરયિકોની પેઠે અને મનુષ્યો જીવોની પેઠે સમજવા. વ્યત્તર, જ્યોતિર્ષિક અને વૈમાનિકો નૈરયિકોની જેમ જાણવા. /a૬૬૩
1. પ્રજ્ઞાપના ભગવતીમાં ઓગણત્રીશમું ઉપયોગપદ સમાપ્ત. (ટી) અનાકાર ઉપયોગના ભેદો જણાવે છે– Iોવોને જે અંતે'! હે ભગવન્! અનાકાર ઉપયોગ કેટલા પ્રકારે છે? ઇત્યાદિ. તેમાં ચક્ષુઇન્દ્રિય વડેદર્શન-રૂપ સામાન્યનું ગ્રહણ કરવું તે ચક્ષુદર્શન,તે રૂપ અનાકારોપયોગ તે ચક્ષુદર્શન અનાકારોપયોગ, અચક્ષુ-ચક્ષુ સિવાયની બાકીની ઇન્દ્રિયો અને મન વડે પોતપોતાના વિષયનું સામાન્ય જ્ઞાન તે અચક્ષુદર્શન. તે પછી અનાકાર * ઉપયોગની સાથે વિશેષણસમાસ કરવો. એ પ્રમાણે પછીના સૂત્રોમાં પણ જાણવું. અવધિરૂપ-મર્યાદિત–માત્ર રૂપી દ્રવ્ય વિષયક . 292