Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 301
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ एगूणतीसइमं उवओगपयं जीवाईसु सागाराणागारोवओग परूवणं सुतअण्णाणोवउत्ता ते णं पुढविक्काइया सागारोवउत्ता, जे णं पुढविक्काइया अचक्खुदंसणोवउत्ता ते णं पुढविक्काइया अणागारोवउत्ता, से तेणटेणं गोयमा! एवं वुच्चति जाव वणप्फइकाइया। बेइंदियाणं [भंते!] अट्ठहिया तहेव पुच्छा। गोयमा! जाव जे णं बेइंदिया आभिणिबोहियणाण-सुयणाण-मतिअण्णाणसुयअणाणोवउत्ता ते णं बेइंदिया सागारोवउत्ता,जेणं बेइंदिया अचक्खुदसणोवउत्ता ते णं बेइंदिया अणागारोवउत्ता, से तेणटेणं गोयमा! एवं वुच्चति, एवं जाव चउरिदिया, णवरं चक्खुदंसणं अब्भइयं चउरिदियाणं। पंचेंदियतिरिक्खजोणिया जहा णेरइया, मणूसा जहा जीवा, वाणमंतर-जोतिसिय-वेमाणिया जहा णेरइया पण्णवणाए भगवईए एगूणतीसइमं उवओगपयं समत्तं। (મૂળ) હે ભગવન્! જીવો શું સાકાર ઉપયોગવાળા છે કે અનાકાર ઉપયોગવાળા છે? હે ગૌતમ! સાકાર ઉપયોગવાળા પણ છે અને અનાકાર ઉપયોગવાળા પણ છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે જીવો સાકાર ઉપયોગવાળા પણ છે અને અનાકાર ઉપયોગવાળા પણ છે. હે ગૌતમ!જે હેતુથી જીવો આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અને વિભાજ્ઞાનના ઉપયોગવાળા હોય છે તે હેતુથી જીવો સાકાર ઉપયોગવાળા છે. જે હેતુથી જીવો ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શનના ઉપયોગવાળા હોય છે તે હેતુથી જીવો અનાકાર ઉપયોગવાળા છે. તે માટે હે ગૌતમ! એમ કહેવાય છે કે જીવો સાકાર ઉપયોગવાળા પણ હોય છે અને અનાકાર ઉપયોગવાળા પણ છે. હે ભગવન્! નરયિકો સાકાર ઉપયોગવાળા છે કે અનાકાર ઉપયોગવાળા છે? હે ગૌતમ! સાકાર ઉપયોગવાળા પણ હોય છે અને અનાકાર ઉપયોગવાળા પણ છે. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો? હે ગૌતમ! જે હેતુથી નૈરયિકો આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અને વિભક્કજ્ઞાનના ઉપયોગવાળા હોય છે તે હેતુથી નરયિકો સાકાર ઉપયોગવાળા છે. જે હેતુથી નૈરયિકો ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શનના ઉપયોગવાળા હોય છે તે હેતુથી નરયિકો અનાકાર ઉપયોગવાળા હોય છે, તે માટે હે ગૌતમ! એમ કહું છુ કેયાવત્ સાકાર ઉપયોગવાળા હોય છે અને અનાકાર ઉપયોગવાળા હોય છે. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું. પૃથિવીકાયિકો સંબધે પૃચ્છા. હે ગૌતમ! તેમજ કહેવું. વાવ જે હેતુથી પૃથિવીકાયિકો મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના ઉપયોગવાળા હોય છે તે હેતુથી પૃથિવીકાયિકો સાકાર ઉપયોગવાળા છે. જે હેતુથી પૃથિવીકાયિકો અચક્ષુદર્શનના ઉપયોગવાળા હોય છે તે હેતુથી પૃથિવીકાયિકો અનાકાર ઉપયોગવાળા છે, તે માટે હે ગૌતમ! એમ કહું છું. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું. હે ભગવન્! બેઈન્દ્રિયોના અર્થ-પ્રયોજન દણ્ડક સહિત તેમજ પૃચ્છા કરવી. હે ગૌતમ! યાવત્ જે હેતુથી બેઈન્દ્રિયો આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાનના ઉપયોગવાળા છે તે હેતુથી બેઈન્દ્રિયો સાકાર ઉપયોગવાળા છે. જે હેતુથી બેઈન્દ્રિયો અચસુદર્શનના ઉપયોગવાળા છે તે હેતુથી અનાકાર ઉપયોગવાળા છે. તે માટે હે ગૌતમ! હું એમ કહું છું. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પરન્તુ ચઉરિન્દ્રિયોને ચક્ષુદર્શન અધિક કહેવું. પંચેન્દ્રિય તિર્યંચો નરયિકોની પેઠે અને મનુષ્યો જીવોની પેઠે સમજવા. વ્યત્તર, જ્યોતિર્ષિક અને વૈમાનિકો નૈરયિકોની જેમ જાણવા. /a૬૬૩ 1. પ્રજ્ઞાપના ભગવતીમાં ઓગણત્રીશમું ઉપયોગપદ સમાપ્ત. (ટી) અનાકાર ઉપયોગના ભેદો જણાવે છે– Iોવોને જે અંતે'! હે ભગવન્! અનાકાર ઉપયોગ કેટલા પ્રકારે છે? ઇત્યાદિ. તેમાં ચક્ષુઇન્દ્રિય વડેદર્શન-રૂપ સામાન્યનું ગ્રહણ કરવું તે ચક્ષુદર્શન,તે રૂપ અનાકારોપયોગ તે ચક્ષુદર્શન અનાકારોપયોગ, અચક્ષુ-ચક્ષુ સિવાયની બાકીની ઇન્દ્રિયો અને મન વડે પોતપોતાના વિષયનું સામાન્ય જ્ઞાન તે અચક્ષુદર્શન. તે પછી અનાકાર * ઉપયોગની સાથે વિશેષણસમાસ કરવો. એ પ્રમાણે પછીના સૂત્રોમાં પણ જાણવું. અવધિરૂપ-મર્યાદિત–માત્ર રૂપી દ્રવ્ય વિષયક . 292

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404