________________
एगूणतीसइमं उवओगपयं जीवाईसु सागाराणागारोवओग परूवणं
श्री प्रज्ञापना सूत्र भाग २ દર્શન-સામાન્ય જ્ઞાન તે અવધિદર્શન. કેવળ–સંપૂર્ણ જગતમાં રહેલી સર્વ વસ્તુઓનું સામાન્ય જ્ઞાનરૂપ દર્શન તે કેવળદર્શન..
(પ્ર0) મન:પર્યવજ્ઞાનનું દર્શન કેમ નથી હોતું? જેથી પાંચમો અનાકાર ઉપયોગ થતો નથી?
(૧૦) મનના પર્યાય સંબધે જે જ્ઞાન થાય તે મનના પર્યાયને જ (પ્રથમથી) વિશેષરૂપે ગ્રહણ કરતું ઉત્પન્ન થાય છે. પર્યાય-વિશેષ, અને વિશેષવિષયક જ્ઞાન જ કહેવાય પણ દર્શન કહેવાતું નથી. માટે મન:પર્યવજ્ઞાનના દર્શનનો અભાવ છે, માટે પાંચમા અનાકાર ઉપયોગનો અસંભવ છે. “એ પ્રમાણે જીવોને કહેવું.' એમ સામાન્ય ઉપયોગની પેઠે જીવોને પણ ઉપયોગ બે પ્રકારનો કહેલો છે એમ જાણવું. તેમાં પણ સાકાર ઉપયોગ આઠ પ્રકારનો છે. અને અનાકાર ઉપયોગ ચાર પ્રકારનો છે. તાત્પર્ય એ છે કે જેમ પૂર્વે જીવપદરહિત ઉપયોગસૂત્ર સામાન્યથી કહ્યું તેમ જીવપદસહિત કહેવું. જેમ કે “હે ભગવન્! જીવોને કેટલા પ્રકારનો. ઉપયોગ કહ્યો છે? હે ગૌતમ! બે પ્રકારનો ઉપયોગ કહ્યો છે તે આ પ્રમાણે–સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગ. હે ભગવન! જીવોને સાકાર ઉપયોગ કેટલા પ્રકારનો કહ્યો છે. હે ગૌતમ!આઠ પ્રકારનો કહ્યો છે'-ઈત્યાદિ. એ પ્રમાણે સામાન્ય પણ જીવોના ઉપયોગનો વિચાર કર્યો.
હવે ચોવીશ દંડકના ક્રમથી નૈરયિકાદિના ઉપયોગનો વિચાર કરે છે... રિયા નું અંતે! હે ભગવન?રયિકોને કેટલા પ્રકારનો ઉપયોગ છે? ઈત્યાદિ, નૈરયિકો બે પ્રકારના છે–સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ. અવધિજ્ઞાન પણ તેઓને ભવનિમિસકે અવશ્ય ઉત્પન્ન થાય છે. કારણ કે મવપ્રત્યયો નાર-હેવાના” (તત્ત્વા૦ અ. ૧. સુ. ૨૨) એવું વચન છે. તેમાં સમ્યગ્દષ્ટિને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અવધિજ્ઞાન હોય છે અને મિથ્યાદષ્ટિને મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અને વિભજ્ઞાન હોય છે. એટલે સામાન્યપણે નૈરયિકોને છ પ્રકારનો સાકાર ઉપયોગ હોય છે. અનાકાર ઉપયોગ ત્રણ પ્રકારનો છે. જેમક-ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન. એ ત્રણ પ્રકારનો અનાકાર ઉપયોગ સમ્યગ્દષ્ટિ અને મિશ્રાદષ્ટિને સામાન્યપણે જાણવો. કારણ કે સૂત્રમાં બન્નેને અવધિદર્શન કહેલું છે. એ પ્રમાણે અસુરકુમારથી આરંભી સ્વનિતકુમાર સુધીના ભવનપતિને જાણવું. પૃથિવીકાયિકોને સાકાર ઉપયોગ બે પ્રકારનો છે. જેમકે-મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન. અનાકાર ઉપયોગ એક અચક્ષુદર્શનરૂપ છે. બાકીના ઉપયોગો તેઓને હોતા નથી. કારણ કે તેઓ સમ્યગ્દર્શનાદિ લબ્ધિ રહિત છે. એ પ્રમાણે અપ, તેજસ્, વાયુ અને વનસ્પતિને પણ જાણવું. બેઇન્દ્રિયોને સાકાર ઉપયોગ ચાર પ્રકારનો છે. જેમકે-મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન. તેમાં અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદનપણાને પ્રાપ્ત થયેલા કેટલાકને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે અને બાકીનાને મતિઅજ્ઞાન અને શ્રતઅજ્ઞાન હોય છે. તથા અચક્ષુદર્શનરૂપ એક અનાકાર ઉપયોગ હોય છે. બાકીના ઉપયોગો તેઓને હોતા નથી. પણ સમજવું. ચઉરિન્દ્રિયોને પણ એમજ જાણવું. પરન્તુ એટલી વિશેષતા છે કે તેઓને અનાકાર ઉપયોગ બે પ્રકારનો હોય છ– ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન.પંચેન્દ્રિય તિર્યંચોને સાકાર ઉપયોગ છ પ્રકારનો છે. જેમક–૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મતિઅજ્ઞાન, ૫ શ્રુતઅજ્ઞાન, અને ૬ વિભંગજ્ઞાન. અનાકાર ઉપયોગ ત્રણ પ્રકારનો છે. જેમકે ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન. કારણ કે કેટલાએક પંચેન્દ્રિય તિર્યંચોમાં અવધિજ્ઞાન અને અવધિદર્શનનો સંભવ છે. મનુષ્યોને યથાસંભવ આઠેય સાકાર ઉપયોગો અને ચારેય અનાકાર ઉપયોગો હોય છે, કારણ કે તેઓમાં સર્વ જ્ઞાનો અને દર્શનોની લબ્ધિનો સંભવ છે. વ્યત્તર,
જ્યોતિષિક અને વૈમાનિકો નૈરયિકોની પેઠે જાણવા. એ પ્રમાણે સામાન્યથી ચોવીશ દંડકના ક્રમથી જીવોના ઉપયોગનો વિચાર કર્યો. હવે મન્દબુદ્ધિવાળાને સ્પષ્ટ બોધ થાય માટે જીવો જ તે તે ઉપયોગ સહિત ચોવીશ દંડકના ક્રમથી વિચારાય –‘ગીવા અંતે'! હે ભગવન જીવો ઇત્યાદિ સુગમ છે. ૩૬૬૩
પ્રજ્ઞાપના સૂત્રની ટીકાના અનુવાદમાં ઓગણત્રીશમું ઉપયોગ પદ સમાપ્ત.
993