________________
बत्तीसइमं संजयपयं जीवाईसु संजयाइ भेय परूवणं
श्री प्रज्ञापना सूत्र भाग २ શરીર અને મનનો અભાવ છે તે માટે સંયતાદિ ત્રણે અવસ્થાથી નિવૃત્ત થયેલા છે. એમ સામાન્યપણે જીવપદમાં સંયતાદિ ચારે અવસ્થા ઘટે છે, તેમ સૂત્રકાર કહે છે– હે ગૌતમ! જીવો સંયત પણ છે, કારણ કે સાધુઓ સંયત છે. અસંયત પણ છે, કારણ કે નારકો વગેરે અસંયત છે, સંયતાસંયત પણ છે કારણ કે પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યોને અંશથી સંયમ હોય છે. તથા નોસયતનોઅસંયત-નોસંયતાસંયત પણ હોય છે, કારણ કે સિદ્ધોને ત્રણેનો પ્રતિષેધ છે. ચોવીશ દંડકના સૂત્રો સુગમ છે. અહીં સંગ્રહણી ગાથા કહે છે–“સંત” ઇત્યાદિ. સંયત, અસંયત અને મિશ્ર સંયતાસંયત જીવો તેમજ મનુષ્યો હોય છે, તાત્પર્ય એ છે કે જીવપદ અને મનુષ્યપદમાં સંયતાદિત્રણે પદો ઘટે છે, પણ નથી ઘટતા એમ નથી, એ તાત્પર્યને જણાવનાર આ સૂત્ર છે. પરન્તુ અન્ય પદનો નિષેધ કરતું નથી, જો એમ ન હોય તો જીવપદમાં સંયતાદિ ત્રણે અવસ્થાના પ્રતિષેધ રૂપ ચોથું પદ પણ ઘટે છે, જે પ્રકારે પૂર્વે કહ્યું છે. તથા સંયતપદ રહિત ઉપલક્ષણથી ત્રણેના પ્રતિષેધ રહિત પંચેન્દ્રિય તિર્યંચો છે.
(પ્ર0) સંયત પદ રહિત તિર્યંચ પંચેન્દ્રિયો કેમ કહેવાય? કારણ કે તેઓમાં સવથ સંયતપણું ઘટે છે. જેમ કે સંમતપણું નિરવદ્ય યોગની પ્રવૃત્તિ અને સાવદ્ય યોગની નિવૃત્તિરૂપ છે અને તિર્યંચોને પણ નિરવદ્ય યોગમાં પ્રવૃત્તિ અને સાવઘ યોગથી નિવૃત્તિ સંભવે છે. કારણ કે તેઓ આયુષ્યના છેલ્લા કાળે પણ ચાર પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરી શુભ યોગમાં વર્તતા દેખાય છે. વળી સિદ્ધાન્તમાં તે તે સ્થળે તેઓ પોતાને વિષે મહાવ્રતોનું આરોપણ કરતા સંભળાય છે. કહ્યું છે કે-“તિરિયા વારિત્ત નિવરિત તદ ર મદ પુળો તેલિ સુબ્રડ઼ વહુયા વિય મર્બયારોવાં સમયે" તિર્યંચોને ચારિત્રનો નિષેધ કર્યો છે તો પણ તેઓમાં ઘણાને સિદ્ધાન્તમાં મહાવ્રતોનું આરોપણ સંભળાય છે.
(ઉ0)–તે અયુક્ત છે, કારણ કે સમ્યફપ્રકારે વસ્તુતત્ત્વનું જ્ઞાન નથી. અહીં સંમતપણે નિરવઘયોગની પ્રવૃત્તિ અને સાવધ યોગની નિવૃત્તિરૂપ આન્તર ચારિત્ર પરિણામ સહિત જાણવું, તે સિવાયનું નહિ. જેઓએ ચાર પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરેલું છે એવા અને મહાવ્રતોનું આરોપણ કરતા તેઓને ભવનિમિત્તે ચારિત્રનો પરિણામ થતો નથી, અને તે પરિણામ તો અચિત્ત્વ ચિન્તામણિ સમાન મનુષ્યભવમાંજ થાય છે, અને તે પણ કર્મના ક્ષયોપશમથી થાઈ છે, બીજી રીતે થતો નથી. માટે ભગવંતે આ મનુષ્યભવ અત્યંત દુર્લભ કહ્યો છે.
(પ્ર0)– તે પ્રમાણે મહાવ્રતાદિના આરોપણરૂપ ચેષ્ટા કરતા તિર્યંચોને આત્તર ચારિત્રનો પરિણામ નથી' એમ શાથી જણાય?
(ઉ0)–તેઓને કેવલજ્ઞાનાદિ નહિ થવાથી એમ જાણી શકાય છે. જો તિર્યંચોને પણ ચારિત્ર પરિણામ સંભવે તો કયાંઇક ક્યારે કોઇકને ઉત્કૃષ્ટ ભાવથી મન:પર્યવજ્ઞાન કે કેવલજ્ઞાન પણ થાય, કારણ કે તે બન્નેનું કારણચારિત્ર છે. પરન્તુ તેમ શાસ્ત્રમાં સંભળાતું નથી, માટે જણાય છે કે તેઓને ચારિત્ર પરિણામનો સંભવ નથી. કહ્યું છે કે-“મહબ્રયસમાવિ વરાપરિણામો તેહિ ન વંદ|| fપ નો વતસંબડું પરિણાનો “બહુ ગણવાળા એવા તેઓને મહાવ્રતનો સદ્ભાવ છતાં ચારિત્ર પરિણામનો સંભવ નથી. કારણ કે તેથી કેવલજ્ઞાનની ઉત્પત્તિનો પ્રસંગ થાય.” માટે ચારિત્ર પરિણામનો અભાવ હોવાથી તેઓ સંયત પદ રહિત છે. બાકીના સંસારી જીવો અસંમત-અસંયતિપદ સહિત છે. પણ બાકીના પદસહિત નથી. II૧TI૬૬૮
શ્રીમદ્દઆચાર્યમલયગિરિવિરચિત પ્રજ્ઞાપના ટીકાના અનુવાદમાં બત્રીશમું સંયત પદ સમાપ્ત.
અરિહંત ભગવંતની પ્રરૂપેલી આરાધના રૂપી સડક પર જે ભવ્યાત્માઓ માર્ગમાં દર્શાવેલી સૂચનાઓનું પૂર્ણ રૂપેણ પાલન કરવા દ્વારા જઈ રહ્યા છે તે મોક્ષનગરમાં પહોંચી જાય છે.
:- જયાનંદ
_ 303