________________
एगूणतीसइमं उवओगपयं जीवाईसु उवओगभेय-पभेय परूवणं
श्री प्रज्ञापना सूत्र भाग २ || एगूणतीसइमं उवओगपयं ||
|| जीवाईसु उवओगभेय-पभेय परूवणं ।। कइविहे णं भंते! उवओगे पन्नत्ते? गोयमा! दुविहे उवओगे पन्नत्ते, तंजहा-सागरोवओगे य अणागारोवओगे या सागरोवओगे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! अट्ठविहे पन्नत्ते, तं जहा-आभिणिबोहियनाणसागरोवओगे, सुयणाणसागरोवओगे, ओहिणाणसागरोवओगे, मणपज्जवनाणसागरोवओगे, केवलनाणसागरोवओगे, मतिअण्णाणसागरोवओगे, सुयअण्णाणसागरोवओगे, विभंगणाणसागरोवओगे। अणागारोवओगे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! चउविहे पन्नत्ते,तंजहा–चक्खुदंसणअणागारोवओगे,अचक्खुदंसणअणागारोवओगे, ओहिदंसणअणागारोवओगे, केवलदसणअणागारोवओगे य। एवं जीवाणं पि।।सू०-१।।६६१।। (મૂ૦) હે ભગવન્! કેટલા પ્રકારનો ઉપયોગ કહ્યો છે? હે ગૌતમ! બે પ્રકારનો ઉપયોગ કહ્યો છે. તે આ પ્રમાણે–સાકાર ઉપયોગ
અને અનાકાર ઉપયોગ. હે ભગવન્! સાકાર ઉપયોગ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! આઠ પ્રકારનો કહ્યો છે, તે આ પ્રમાણે–૧ આભિનિબોધિક જ્ઞાન સાકારોપયોગ, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન, ૫ કેવલજ્ઞાન, ૬ મતિઅજ્ઞાન, ૭ શ્રતઅજ્ઞાન, અને ૮ વિર્ભાગજ્ઞાન સાકારોપયોગ. હે ભગવન્! અનાકાર ઉપયોગ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ!ચાર પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે—૧ ચક્ષુદર્શન અનાકાર ઉપયોગ, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન, અને
૪ કેવલદર્શન. એ પ્રમાણે જીવોને કહેવું. 7/૧/૬૬૧ (ટી.) એમ અઠ્યાવીસમું “આહાર' નામે પદ કહ્યું. હવે ઓગણત્રીશમાં પદનો પ્રારંભ કરાય છે. એનો સંબન્ધ આછે-અહીંપૂર્વના પદમાં ગતિના પરિણામવિશેષ રૂપ આહારપરિણામ કહ્યો, અહીં જ્ઞાનના પરિણામવિશેષ રૂપ ઉપયોગનું પ્રતિપાદન કરાય છે. તેમાં આ પ્રથમ સૂત્ર છે—“વિદે ને અંતે ! કવો પujત્તે' સૂત્રમાં ‘' કાર માગધી ભાષાના નિયમથી આવેલો છે. ' વાક્યાલંકારમાં આવે છે. 'મા'!–પરમકલ્યાણયુક્ત હે ભગવન્! ઉપયોગ કેટલા પ્રકારનો કહ્યો છે?‘૩પયોગન'–ઉપયોગ. અહીં ક્રિયાના અર્થમાં “ઘ” પ્રત્યય સમજવો. અથવા ‘પયુ તેને'જે વડે જીવ વસ્તુનું જ્ઞાન કરવામાં પ્રવૃત્ત થાય તે ઉપયોગ. અહીં કરણમાં “ઘ' પ્રત્યય થયેલો છે એટલે જીવનો બોધરૂપ તાત્ત્વિક વ્યાપાર. તે કેટલા પ્રકારનો કહ્યો છે? ભગવાન કહે છે— ગૌતમ! ઇત્યાદિ. આકાર-પ્રતિનિયત અર્થને ગ્રહણ કરવાનો પરિણામ, કારણ કે મારો ય વિલેણો' એવું શાસ્ત્રવચન છે. આકારસહિત હોય તે સાકાર, એવા પ્રકારનો ઉપયોગ તે સાકરોપયોગ, તાત્પર્ય એ છે કે સચેતન કે અચેતન વસ્તુમાં ઉપયોગ કરતો આત્મા જ્યારે પર્યાય સહિત વસ્તુ જાણે છે ત્યારે તે ઉપયોગ સાકાર કહેવાય છે. અને તે ઉપયોગ કાળથી છદ્મસ્થને અન્તર્મુહૂર્ત કાળનો અને કેવલીને એક સમયનો હોય છે. ઉપર કહેલા સ્વરૂપવાળો આકાર જેમાં નથી તે અનાકાર ઉપયોગ, 'સ્કન્ધાવારના ઉપયોગની પેઠે વસ્તુનું જે સામાન્યરૂપે જ્ઞાન તે અનાકારોપયોગ. આ અનાકાર ઉપયોગ પણ છદ્મસ્થને અન્તર્મુહૂર્તનો છે, પણ અનાકાર ઉપયોગના કાળથી સાકાર ઉપયોગનો કાળ સંખ્યાતગુણ જાણવો, કારણ કે તે પર્યાયનો પરિચ્છેદ-બોધ કરતો હોવાથી તેમાં ઘણો કાળ લાગે છે અને તેનું કારણ છદ્મસ્થોનો તેવા પ્રકારનો સ્વભાવ છે. કેવલીને અનાકાર ઉપયોગ એક સમયનો હોય છે. ચ શબ્દો સ્વગત અનેક ભેદના સૂચક છે. णेरइयाणं भंते! कतिविहे उवओगे पन्नत्ते? गोयमा! दुविहे उवओगे पन्नत्ते,तंजहा-सागरोवओगे य अणागारोवओगे य। णेरयाइणं भंते। सागारोवओगे कतिविहे पण्णत्ते? गोयमा! छव्विहे पण्णत्ते। तं जहा-मतिणाण
૧. લશ્કરી છાવણીને સ્કન્ધાવાર કહે છે. તેમાં હાથી, ઘોડા, રથ અને પાયદળનું સૈન્ય હોવા છતાં જ્યાં તેનું વિશેષરૂપે જ્ઞાન ન હોય પણ સૈન્યરૂપે સામાન્ય
બોધ હોય તેના જેવો અનાકાર ઉપયોગ છે, યદ્યપિ નામજાત્યાદિની કલ્પનારહિત અનાકાર બોધ છે તેથી સ્કન્ધવારનો ઉપયોગ પણ વિશેષ ઉપયોગરૂપ છે તો પણ તેમાં હાથી, ઘોડા, રથ અને પાયદળરૂપ વિશેષ બોધના અભાવની સમાનતા હેવાથી દૂન્ત તરીકે તેનું ગ્રહણ કર્યું છે.'
289