________________
अट्ठावीसइमं आहारपयं बीओ उद्देसो सरीरदारे - पज्जत्तिदारे आहारयाइपरूवणं
શરીરદ્વાર સમાપ્ત.
હવે પર્યાપ્તદ્વાર કહે છ—તેમાં આગમમાં પાંચ પર્યાપ્તિઓ કહેલી છે. કારણ કે ભાષા અને મન:પર્યાપ્તિની એકપણે વિવક્ષા કરી છે. આહા૨૫ર્યાપ્તિવડે પર્યાપ્ત, શ૨ી૨૫ર્યાસિવડે પર્યાપ્ત, ઇન્દ્રિયપર્યાસિવડે પર્યાપ્ત, શ્વાસોચ્છ્વાસપર્યાપ્તિવડે પર્યાપ્ત તથા ભાષા અને મનઃપર્યાપ્તિવડે પર્યાપ્તાનો વિચાર કરતાં, અહીં સર્વ પર્યાપ્તિઓની સઙ્ગલના–સંખ્યા કહે છે—‘તાસુ પદ્મવ્રુત્તિ પાંતિપુ' અહીં ‘સમર્થિતાનું નિયમાનાપુ' એ પદનો અધ્યાહાર કરવો. એટલે સંપૂર્ણ કરેલી એ પાંચ પર્યાપ્તિઓનો વિચાર કરતાં એ પાંચ પર્યાપ્તિઓ વડે પર્યાપ્તાને એકવચનની અપેક્ષાએ જીવપદ અને મનુષ્યપદમાં કદાચિત્ આહારક હોય અને કદાચિત્ અનાહારક હોય. અને બાકીના સ્થાનોમાં આહારક હોય. બહુવચનમાં ‘નીવેસુ મજૂસેસુ ય તિયમો’ત્તિ જીવપદ અને મનુષ્યપદને વિશે ત્રણ ભાંગા કહેવા. અને તેનો ઔદારિકશરીરવાળા સૂત્રની પેઠે વિચાર કરવો. બાકીના બધા ય આહારકો કહેવા. પરન્તુ ભાષામનઃપર્યાતિ પંચેન્દ્રિયોને જ હોય છે. માટે તેના સૂત્રમાં એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયો ન કહેવા પરન્તુ બાકીના જીવો કહેવા એ જ બાબત સૂત્રકાર કહે છે—‘ માસામળપત્ત્તત્તી પવિડિયાળ, અવશેસાળ નસ્થિ'ભાષા–મન:પર્યામિ પેચેન્દ્રિયોને હોય છે બીજાને નથી. આહા૨૫ર્યાસિવડે અપર્યાપ્તાના સૂત્રમાં એકવચનની અપેક્ષાએ બધે ય અનાહારક કહેવો, પણ આહારક ન કહેવો. આહારપર્યામિવડે અપર્યાપ્ત વિગ્રહગતિમાં જ હોય છે. કારણ કે ઉત્પત્તિસ્થાનને પ્રાપ્ત થયેલો જીવ પ્રથમ સમયે જ આહા૨૫ર્યાસિવર્ડે પર્યાપ્ત હોય છે. જો એમ ન હોય તો તે સમયે આહારકપણું ન ઘટે. બહુવચનની અપેક્ષાએ તો ‘અનાહારકો હોય'. શ૨ી૨પર્યાપ્તિવડે અપર્યાપ્ત સૂત્રમાં એકવચનની અપેક્ષાએ ‘કદાચિત્ આહારક હોય અને કદાચિત્ અનાહારક હોય'. તેમાં વિગ્રહગતિમાં અનાહારક અને ઉપપાતક્ષેત્રને પ્રાપ્ત થયેલો શ૨ી૨૫ર્યાપ્તિની સમાપ્તિ સુધી આહા૨ક હોય છે. એ પ્રમાણે ઇન્દ્રિયપર્યાસિવર્ડ અપર્યાપ્તસૂત્રમાં, શ્વાસોચ્છ્વાસપર્યાપ્તિવડે અપર્યાપ્તસૂત્રમાં અને ભાષામનઃપર્યાપ્તિવડે અપર્યાપ્તસૂત્રમાં પ્રત્યેકને એકવચનની અપેક્ષાએ ‘કદાચિત્ આહારક હોય અને કદાચિત્ અનાહારક હોય' એમ કહેવું. બહુવચનની અપેક્ષાએ ‘વરિાિયાસુ’ઉપરની શરીર અપર્યાપ્તિપ્રમુખ ચાર અપર્યાપ્તિઓનો વિચાર કરતા નારક, દેવ અને મનુષ્યોમાં પ્રત્યેકને છ ભાંગા કહેવા. જેમકે ૧ ‘કદાચિત્ બધા ય અનાહારકો જ હોય ૨ ‘કદાચિત્ બધા ય આહારકો જ હોય. ૩ કદાચિત્ એક આહારક હોય અને એક અનાહારક હોય. ૪ કદાચિત્ એક આહારક હોય અને ઘણા અનાહારકો હોય. ૫ કદાચિત્ ઘણા આહારકો હોય અને એક અનાહારક હોય અને ૬ કદાચિત્ ઘણા આહારકો અને ઘણા અનાહારકો હોય'. બાકીના નારક, દેવ અને મનુષ્ય સિવાય બીજા જીવોને જીવપદ અને એકેન્દ્રિયો વિના ત્રણ ભાંગા કહેવા. જેમક—૧ બધા ય આહારકો હોય. ૨ અથવા બધા આહા૨કો હોય અને એક અનાહારક હોય. ૩ અથવા ઘણા આહારકો અને ઘણા અનાહારકો હોય, જીવપદ અને એકેન્દ્રિયપદોને વિષે શ૨ી૨૫ર્યાપ્તિ વડે અપર્યાપ્ત સૂત્રમાં, ઇન્દ્રિયપર્યાન્નિવડે અપર્યાપ્તસૂત્રમાં અને શ્વાસોચ્છ્વાસપર્યાન્નિવડે અપર્યાપ્તસૂત્રમાં પ્રત્યેકને આશ્રયી ભાંગાઓનો અભાવ છે. કેમકે તેઓ આહારકો પણ હોય છે અને અનાહારકો પણ હોય છે. કારણ કે આહા૨ક અને અનાહારક બન્ને પ્રકારના જીવો હમેશાં ઘણા હોય છે. ભાષા મન:પર્યાપ્તિવડે અપર્યાપ્તા એકેન્દ્રિયો અને વિકલેન્દ્રિયો હોતા નથી, પરન્તુ પંચેન્દ્રિયો જ હોય છે જેઓને ભાષામનઃપર્યાપ્તિનો સંભવ છે તેઓ જ તે પર્યાપ્તિ વડે અપર્યાપ્તા કહેવાય છે. પણ બીજા કહેવાતા નથી. તેથી તેના સૂત્રમાં બહુવચનની અપેક્ષાએ જીવપદમાં અને પંચેન્દ્રિય તિર્યંચ પદમાં ત્રણ ભાંગા કહેવા. પંચેન્દ્રિય તિર્યંચો સંમૂર્છિમો હમેશાં ઘણા હોય છે. તેથી જ્યાં સુધી હજી બીજો પંચેન્દ્રિય તિર્યંચ વિગ્રહગતિને પ્રાપ્ત થયેલો ન હોય ત્યાં સુધી ‘બધાય આહારકો હોય' એ ભાંગો હોય છે. તે એક વિગ્રહગતિને પ્રાપ્ત થયેલો હોય ત્યારે બીજો ભાંગો—બધા આહારક હોય અને એક અનાહારક હોય. જ્યારે વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા પણ ઘણા હોય ત્યારે ઘણા આહા૨કો અને ઘણા અનાહારકો હોય–એ ત્રીજો ભાંગો હોય. જીવપદ વિષે ત્રણ ભાંગા એ અપેક્ષાએ જાણવા. નારક, દેવ અને મનુષ્યમાં પ્રત્યેકને છ ભાંગા હોય છે અને તે પૂર્વે કહેલા છે.
અહીં ભવ્યપદથી આરંભી પ્રાયઃ એકવચન અને બહુવચનવડે જુદા સૂત્રો જીવાદિ દંડકના ક્રમથી કહ્યા નથી, તેથી મન્દ બુદ્ધિવાળાને ભ્રાન્તિ ન થાય માટે તે સંબન્ધે અતિદેશ-સાદૃશ્ય પ્રતિપાદક સૂત્ર કહે છ—‘સવ્વપલ્લુ
ત્તે' ઇત્યાદિ. સર્વ
287
श्री प्रज्ञापना सूत्र भाग २