________________
अट्ठावीसइमं आहारपयं बीओ उद्देसो णाणदारे आहारयाइपरूवणं
श्री प्रज्ञापना सूत्र भाग २ અવધિજ્ઞાન છે તેઓને જીવાદિ સંબન્ધ ત્રણ ભાંગા જાણવા. મન:પર્યવજ્ઞાનીજીવો અને મનુષ્યો એકવચન અને બહુવચન
વડે પણ આહારક છે પણ અનાહારક નથી. કેવલજ્ઞાની નોસંજ્ઞી-નોઅસંજ્ઞીની પેઠે જાણવા. દ્વાર ૮. I/૧૭૬૫૮ (ટી.) હવે જ્ઞાનદ્વાર કહે છ–“ના નહીં સમ્મિિત્તિ'જેમ પૂર્વે સમ્યગ્દષ્ટિ કહ્યો છે તેમ જ્ઞાની કહેવો. જેમકે-હે ભગવન! જ્ઞાની જીવ શું આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ!કદાચિત્ આહારક હોય અને કદાચિત્ અનાહારક હોય. હે ભગવી જ્ઞાનીનેરયિક શુંઆહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ! કદાચિત્ આહારક હોય અને કદાચિત્ અનાહારક હોય. એ પ્રમાણે એકેન્દ્રિય સિવાય વૈમાનિક સુધી કહેવું. હે ભગવન્! જ્ઞાની જીવ શું આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ! કદાચિત - આહારક પણ હોય અને કદાચિત્ અનાહારક હોય. હે ભગવન્! જ્ઞાની નૈરયિક શું આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ! ૧બધાય આહારકો હોય. ૨ અથવા બધા આહારકો હોય અને એક અનાહારક હોય. ૩ અથવા ઘણા આહારકો અને અનાહારકો હોય. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમારોને જાણવું. બેઇન્દ્રિય સંબંધે પ્રશ્ર હે ગૌતમ! ૧ બધાય આહારક હોય, ૨ અથવા બધા અનાહારક હોય, ૩ અથવા અનાહારક હોય અને એક અનાહારક હોય. ૪ અથવા એક આહારક હોય અને બધા અનાહારકો હોય.૫ અથવા બધા આહારકો હોય અને એક અનાહારક હોય.૬ અથવા ઘણા આહારકો અને અનાહારકો હોય. એમ તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયો કહેવા.બાકીના જીવોનેરયિકોની પેઠે વૈમાનિક સુધી જાણવા.સિદ્ધો સંબધે પૃચ્છા. હેગૌતમ!તેઓ અનાહારકો હોય. આભિનિબોધિક જ્ઞાની અને શ્રુતજ્ઞાની સૂત્રમાં એકવચનની અપેક્ષાએ પૂર્વની પેઠે જાણવું. અને બહુવચનની અપેક્ષાએ બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયમાં છ ભાંગા હોય છે. બાકીના જીવાદિ સ્થાનોમાં એકેન્દ્રિય સિવાય ત્રણ ભાગમાં હોય છે. તે આ પ્રમાણે હે ભગવન્! આભિનિબોધિક જ્ઞાની જીવો શું આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ ૧ બધા ય આહારક હોય, ર અથવા બધાય આહારક હોય અને એક અનાહારક હોય, ૩ અથવા ઘણા આહારક હોય અને ઘણા અનાહારક હોય-ઇત્યાદિ તે. પ્રમાણે સૂત્રકાર કહે છે કે “આમળવોદિયનાની સુચનાથી વેવિયતેવિયવલિતું છે મા, અવલે નીવાફો તિયો' આભિનિબોધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની બેઇન્દ્રિય, ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયમાં છ ભાંગા અને બાકીના સ્થાનોમાં જીવાદિ સંબધે ત્રણ ભાંગા જાણવા-ઇત્યાદિ સુગમ છે. “નવર નેષિ 'િ પરન્તુ જે જીવોને આભિનિબોધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય તેઓને ત્રણ ભાંગા કહેવા. બાકીના પૃથિવ્યાદિમાં ન કહેવા. અવધિજ્ઞાન સૂત્ર એકવચનમાં તેમજ જાણવું. બહુવચનના વિચારમાં અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચો આહારક હોય છે પણ અનાહારક હોતા નથી. શા હેતુથી?તનું કારણ એ છે કે અહીં પંચેન્દ્રિય તિર્યંચોનું અનાહારકપણું વિગ્રહગતિમાં હોય છે. અને તે સમયે તેઓને ગુણનિમિત્તે અવધિજ્ઞાનનો સંભવ નથી. કારણ કે ત્યારે ગુણોનોજ અસંભવ છે. તેમ અપતિત અવધિજ્ઞાન સહિત દેવ કે મનુષ્ય તિર્યંચમાં ઉત્પન્ન થતો નથી. તેથી અવધિજ્ઞાની છતાં પંચેન્દ્રિય તિર્યંચને અનાહારકપણાનો અસંભવ છે. એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સિવાયના બાકીના સ્થાનોમાં પ્રત્યેકને ત્રણ ભાંગા સમજવા. તે બાબત સત્રકાર કહે ‘ગોહીનામાં પંક્વિયિતિરિઉનયા માહાર, અવલેણ નીવાડ્યો નિયમો, વેલિબ્લ્યુિ ગોહિણામતિ'–“અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચો આહારક હોય છે, બાકીના સ્થાનોમાં જેઓને અવધિજ્ઞાન છે તેઓને જીવાદિ સંબધે ત્રણ ભાંગા જાણવા. મન:પર્યવજ્ઞાન મનુષ્યોનેજ હોય છે, તેથી તેના બે પદ છે, જેમકે જીવપદ અને મનુષ્યપદ બન્ને સ્થળે પણ એકવચન અને બહુવચનમાં મન:પર્યવજ્ઞાની આહારકજ કહેવા, પણ અનારક ન કહેવા. કારણ કે વિગ્રહગત્યાદિ અવસ્થામાં મન:પર્યવજ્ઞાનનો સંભવ નથી. કેવલજ્ઞાનીને જેમ પૂર્વેનોસંજ્ઞી–નોઅસંજ્ઞી સંબન્ધ કહ્યું તેમ કહેવું. તાત્પર્ય એ છે કે કેવલજ્ઞાનના વિચારમાં પણ ત્રણ પદ હોય છે. જેમકે–સામાન્ય જીવપદ. મનુષ્યપદ અને સિદ્ધપદ, તેમાં સામાન્ય જીવપદમાં અને મનુષ્યપદમાં એકવચનની અપેક્ષાએ કદાચિત્ આહારક હોય અને અનાહારક હોય’–એમ કહેવું. સિદ્ધપદમાં અનાહારક હોય'.બહુવચનની અપેક્ષાએ સામાન્યથી જીવપદમાં ‘આહારકો પણ હોય અને અનાહારકો પણ હોય', મનુષ્યપદમાં ત્રણ ભાંગા હોય છે અને તે પૂર્વે બતાવેલા છે. સિદ્ધપદમાં બધાય અનાહારકો હોય છે. અજ્ઞાની સૂત્ર-મતિઅજ્ઞાની સૂત્ર શ્રુતઅજ્ઞાની સૂત્ર એકવચનમાં પૂર્વની પેઠે કહેવું. બહુવચનના વિચારમાં જીવપદ અને પૃથિવ્યાદિ એકેન્દ્રિયોને વિષે પ્રત્યેકને
283