________________
श्री प्रज्ञापना सूत्र भाग २
बावीसतिमं किरियापयं पावद्वाणविरएसु जीवाईसु किरियाभेय परूवणं
તેઓનો ઉત્કૃષ્ટ છ માસનો વિરહ હોય છે. જ્યારે તેઓ હોય છે ત્યારે પણ જઘન્યપદે એક અથવા બે અને ઉત્કૃષ્ટ પદે એકસો આઠ હોય છે. તેથી આઠ પ્રકૃતિને બાંધનારા ન હોય ત્યારે ષવિધબન્ધક પદ વડે પણ બે ભાંગા થાય છે. અબન્ધક અયોગી કેવલી હોય છે અને તે પણ કદાચિત્ હોય અને કદાચિત્ ન હોય. કારણ કે તેઓનો પણ ઉત્કૃષ્ટ છ માસનો વિરહ હોય છે, જ્યારે તેઓ હોય છે ત્યારે જઘન્ય પદે એક, બે અને ઉત્કૃષ્ટપદે એકસો આઠ હોય છે. તેથી આઠ પ્રકૃતિને બાંધનારા ન હોય ત્યારે અબન્ધક પદ વડે પણ બે ભાંગા થાય છે. એ પ્રમાણે એક પહેલો ભાંગો અને એક એકના સંયોગે છબીજા ભાંગાઓ–એમ બધા મળી સાત ભાંગા થાય છે. હવે દ્વિકસંયોગી ભાંગા બતાવાય છે—તેમાં સપ્તવિધબંધક અને એકવિધબન્ધક અવસ્થિત છે. કારણ કે બન્ને હમેશાં ઘણાં હોય છે. તેથી પ્રત્યેક અષ્ટવિધબન્ધક પદ અને ષવિધબન્ધકપદમાં એકવચન રૂપ પહેલો ભાંગો. અષ્ટવિધબન્ધક પદમાં એકવચન અને ષવિધબન્ધકપદના બહુવચનરૂપ બીજો ભાંગો. એ બે ભાંગા અષ્ટવિધબન્ધક પદના એક વચન વડે થાય છે અને એજ બે ભાંગા બહુવચન વડે થાય છે. એમ ચાર ભાંગા થયા, એમજ ચાર ભાંગા અષ્ટવિધબન્ધક અને અબન્ધક પદ વડે જાણવા. એ પ્રમાણે ચાર ભાંગા ષવિધબન્ધક અને અબન્ધક પદ વડે જાણવા. બધા મળી દ્વિકસંયોગના બાર ભાંગા થાય છે. અષ્ટવિધબન્ધક અને અબન્ધકરૂપ ત્રણ પદના સંયોગે પ્રત્યેકના એકવચન અને બહુવચન વડે આઠ ભાંગા થાય છે. સર્વ મળી સત્યાવિશ ભાંગા થાય છે. અહીં અન્ય શંકા કરે છે—વિરતિવાળાને કેમ બંધ થાય? કારણ કે વિરતિ બંધનો હેતુ નથી, જો વિરતિ પણ બંધનો હેતુ થાય તો મોક્ષના અભાવનો પ્રસંગ થાય. કારણ કે મોક્ષનો કોઇ ઉપાય નથી. તેનો ઉત્તર એ છે કે વિરતિ બન્ધનો હેતુ નથી, પરન્તુ વિરતિવાળાને જે કષાય અને યોગો છે તે બન્ધનું કારણ છે. તે આ પ્રમાણે–સામાયિક, છેદોપસ્થાન અને પરિહારવિશુદ્ધિક ચારિત્રમાં પણ જે ઉદયને પ્રાપ્ત થયેલા સંજ્વલનરૂપ કષાયો અને યોગો છે તેથી વિરતિવાળાને પણ દેવાયુષ્ય વગેરે શુભપ્રકૃતિઓનો કષાય અને યોગનિમિત્તક બન્ધ થાય છે. જેમ પ્રાણાતિપાતની વિરતિવાળાને સત્યાવિશ ભાંગા કહ્યા, તેમ મૃષાવાદની વિરતિવાળાને, યાવત્ માયાતૃષાની વિરતિવાળાને જાણવા.
મિથ્યાદર્શનશલ્યની વિરતિવાળાને આશ્રયી સૂત્ર કહે છ—“મિચ્છાવંસળસ વિરŌ!"-મિથ્યાદર્શનશલ્યનીવિરતિવાળો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે!–ઇત્યાદિ સૂત્ર સુગમ છે, પરન્તુ તેઓ સાવિધબન્ધક, અષ્ટવિધબન્ધક, ષવિધબન્ધક એકવિધબન્ધક અને અબન્ધક હોય છે. મિથ્યાદર્શનશલ્યની વિરતિ અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી આરંભી અયોગી કેવલી સુધી હોય છે. નૈયિકાદિ ચોવીશ દંડકના વિચારમાં મનુષ્ય સિવાય બાકીના બધા સ્થાનોમાં સપ્તવિધબન્ધક કે અષ્ટવિધબન્ધક હોય છે, પણ ષધિબન્ધકાદિ હોતા નથી, કારણ કે તેઓને શ્રેણિની પ્રાપ્તિનો અસંભવ છે. જેમ જીવપદમાં કહ્યું તેમ મનુષ્યપદમાં કહેવું. કારણ કે મનુષ્યોમાં સર્વભાવનો સંભવ છે. હવે બહુવચન વડે આ સંબન્ધે સૂત્ર કહે છે—‘મિચ્છાવસળસવિયા ાં અંતે નીવા' મિથ્યાદર્શનશલ્યની વિરતિવાળા જીવો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? ઇત્યાદિ. અહીં પણ પૂર્વે કહેલા તેજ સત્યાવીશ ભાંગા જાણવા. નૈયિકપદમાં ત્રણ ભાંગા હોય છે. તેમાં બધા સાત કર્મને બાંધનારા હોય–એ પ્રથમ ભંગ, આ ભાંગો જ્યારે એક પણ આઠ પ્રકૃતિઓ બાંધનાર ન હોય ત્યારે હોય છે. જ્યારે એક નૈરયિક આઠ પ્રકૃતિઓનો બંધ કરે ત્યારે ઘણા સાત પ્રકૃતિ બાંધનારા અને એક આઠ પ્રકૃતિ બાંધનાર હોય એ બીજો ભાંગો, જ્યારે આઠ પ્રકૃતિ બાંધનારા ઘણા હોય ત્યારે ઘણા સાત કર્મ બાંધનારા અને આઠ કર્મ બાંધનારા હોય એ ત્રીજો ભાંગો. એમ ત્રણ ભાંગા વૈમાનિક સૂત્ર સુધી જાણવા. પરન્તુ મનુષ્યપદમાં સત્યાવીશ ભાંગા જેમ જીવપદમાં કહ્યા તેમ કહેવા. ।।૧૪।।૫૯૬॥
|| पावट्ठाणविरएसु जीवाईसु किरियाभेय परूवणं ||
पाणाइवायविरयस्स णं भंते! जीवस्स किं आरंभिया किरिया कज्जति, ""जाव मिच्छादंसणवत्तिया किरिया कज्जति ?" गोयमा ! पाणाइवायविरयस्स जीवस्स आरंभिया किरिया सिय कज्जति, सिय नो कज्जति । पाणाइपातविरयस्स णं भंते! जीवस्स पारिग्गहिया किरिया कज्जति ? गोयमा ! णो इणट्टे समट्ठे ।
1. " * આ ચિન્હવાળા પાઠને મ.વિ.વાળા પન્નવણા સૂત્રમાં અસંગત માનેલ છે.
192