________________
अट्ठावीसइमं आहारपयं चउवीसदंडएसु सचित्ताहारदारं-णेरइएसुर-८आहारद्विआइदारसत्तगं श्री प्रज्ञापना सूत्र भाग २ गिण्हति ते किं सव्वे आहारेन्ति, णो सव्वे आहारैति? गोयमा! ते सव्वे अपरिसेसिए आहारेन्ति। णेरइया णं भंते! जे पोग्गले आहारत्ताए गेण्हंति ते णंतेसिं पोग्गला कीसत्ताए भुज्जो भुज्जो परिणमंति? गोयमा! सोइंदियत्ताए जाव फार्सिदियत्ताए अणिद्वत्ताए अकंतत्ताए अप्पियत्ताए, असुभत्ताए, अमणुण्णत्ताए, अमणामत्ताए अणिच्छियत्ताए अ(ण)भिज्झियत्ताए अहत्ताए नो उडत्ताए, दुक्खत्ताए णो सुहत्ताए एएसिं [ते तेसिं] भुज्जो भुज्जो परिणमंति Iકૂ૦-૪૬૪૧ (મૂ૦) હે ભગવન્! નરયિકો જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે તે પુગલોના કેટલા ભાગનો ભવિષ્ય કાળે આહાર કરે છે,
કેટલા ભાગનો આસ્વાદ કરે છે? હે ગૌતમ! અસંખ્યાતમા ભાગનો આહારપણે ઉપયોગ કરે છે અને અનન્તમા ભાગનો આસ્વાદ લે છે. હે ભગવન્! નરયિકો જે પદ્દગલો આહારપણે ગ્રહણ કરે તે બધા પદ્ગલો આહાર કરે છે કે બધા પુદ્ગલોનો આહાર કરતો નથી? હે ગૌતમ! તે બધા અપરિશેષ પુદ્ગલોનો આહાર કરે છે. હે ભગવન્! નરયિકો જે પગલો આહારપણે ગ્રહણ કરે છે તે પદ્ગલો તેઓને કેવા રૂપે વારંવાર પરિણમે છે? હે ગૌતમ! તેઓને શ્રોત્રેન્દ્રિયપણે, થાવત્ સ્પર્શેન્દ્રિયપણે, અનિષ્ટપણે, અકાન્તપણે, અપ્રિયપણે, અશુભપણે, અમનોજ્ઞપણે, અમનોહરપણે, અનિચ્છનીયપણે, અનભિલાપિતરૂપે, અધોપણે-ભારેપણે પણ ઊર્ધ્વપણે-લઘુપણે નહિ, દુખરૂપે પણ સુખરૂપે નહિ એવા પ્રકારે એઓને
વારંવાર પરિણમે છે. ૪૬૪પ (ટી.) નેરડ્યા | મંત! ને પોતા ' ઇત્યાદિ. હે ભગવન્! નૈરયિકો જે પગલોને આહારપણે ગ્રહણ કરે છે, તે ગ્રહણ કરેલા પુદ્ગલોનો ‘સેવાર્તાસ' ભવિષ્ય કાળે એટલે ગ્રહણ કર્યા પછી ‘મા' કેટલામો ભાગ આહારરૂપે ઉપયોગ કરે છે તથા આહારરૂપે ગ્રહણ કરેલાં પુદ્ગલદ્રવ્યોના ‘તિમા ' કેટલામા ભાગનો આસ્વાદ લે છે? કારણ કે આહારરૂપે ગ્રહણ કરાતા બધા પુદ્ગલો આસ્વાદને પ્રાપ્ત થતા નથી માટે જુદો પ્રશ્ન કર્યો છે. ભગવાન્ ઉત્તર આપે છેહે ગૌતમ! ગ્રહણ કરેલા પુગલોના અસંખ્યાતમા ભાગને આહારપણે ગ્રહણ કરે છે. બીજા પુદ્ગલો જેમ ગાય વગેરે ઘાસનો મોટો કોળીઓ ભરે ત્યારે તેમાંથી પડી જાય તેમ પડી જાય છે. આહારપણે ગ્રહણ કરાતા પુદ્ગલોના અનન્તમા ભાગનો આસ્વાદ લે છે. બાકીના પગલદ્રવ્યો આસ્વાદ લીધા સિવાય શરીર પરિણામને પ્રાપ્ત થાય છે. નેફયા ને અંતે'!–હે ભગવન્!ૌરયિકો જે પગલો આહારપણે ગ્રહણ કરે છે તે પુદ્ગલો તેઓને કેવા સ્વરૂપે પરિણમે છે? ઇત્યાદિ. અહીં વિશિષ્ટ ગ્રહણ સમજવું. તેથી જેના શેષ ભાગનો ત્યાગ કર્યો છે એવા અને કેવળ આહાર પરિણામને યોગ્ય પુદ્ગલ દ્રવ્યો છે તે આહારરૂપે ગ્રહણ કરાયેલા પુગલો સંબન્ધ અહીં પ્રશ્ન જાણવો. જો એમ ન હોય તો ઉત્તર સૂત્રની અપેક્ષાએ પૂર્વાપરવિરોધનો પ્રસંગ પ્રાપ્ત થાય. પરન્તુ ભગવન્તના વચનમાં વિરોધની સંભાવના પણ નથી, માટે આ પ્રમાણે વ્યાખ્યા કરવી બરોબર છે. તેથી આવા પ્રકારના પૂર્વાપર વિરોધની આશઠ્ઠી દુર કરવા માટે પૂર્વાચાર્યોએ કાલિકસૂત્રનો અનુયોગ (વ્યાખ્યાનો કર્યો છે. એ સંબધે કહ્યું છે કે
"जं जह सुत्ते भणियं तहेव तं जइ वियालणा नत्थि । किं कालियाणुजोगो दिट्ठो दिट्ठिपहाणेहिं" ॥
જો સૂત્રમાં જેમ કહ્યું છે તે તેમજ છે અને તેમાં વિચાર કરવાનો અવકાશ નથી તો દૃષ્ટિપ્રધાન પૂર્વાચાર્યોએ કાલિકસૂત્રના અનુયોગનો કેમ ઉપદેશ કર્યો? એટલે સૂત્રમાં વ્યાખ્યાનની આવશ્યકતા છે અને તેથી જ વિશેષાર્થનો નિશ્ચય થાય છે. એથી જ પૂર્વાચાર્યોએ કાલિકસૂત્રના અનુયોગનો ઉપદેશ કર્યો છે. તે બધા પુદ્ગલો આહારરૂપે ગ્રહણ કરે છે કે બધા ગ્રહણ કરતો નથી? ભગવાઉત્તર આપે—તે અશેષ–બધા પુદ્ગલોનો આહાર કરે છે, કેમકે ગ્રહણ કરતાં છૂટી જાય તે સિવાયના બાકી રહેલા અને કેવળ આહારના પરિણામને યોગ્ય બધાય પુદ્ગલો ગ્રહણ કરેલાં છે.
| ‘નર ' ઇત્યાદિ. હે ભગવન્! નરયિકો જે પગલો આહારપણે ગ્રહણ કરે છે તે પુદ્ગલો તેઓને કેવા સ્વરૂપે વારંવાર પરિણમે છે?ભગવાન્ ઉત્તર આપે છે–પેગૌતમ!શ્રોત્રેન્દ્રિય રૂપે, યાવત્ શબ્દથી ચહ્યુઇન્દ્રિયરૂપે,ધ્રાણેન્દ્રિયરૂપે અને જિન્દ્રિયરૂપે
261