________________
श्री प्रज्ञापना सूत्र भाग २
अट्ठावीसइमं आहारपयं चउवीसदंडएसु मणभक्खीदारं (ટી0) હવે એકેન્દ્રિય શરીરાદિ સંબન્ધ અધિકાર કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે–“રફયા નું અંતે!' હે ભગવન્!નરયિકો એકેન્દ્રિયના શરીરોનો આહાર કરે છે? ઇત્યાદિ પ્રશ્નસૂત્ર સુગમ છે. ઉત્તરસૂત્ર કહેછ–“ોયમા'! હે ગૌતમ!પૂર્વભાવની પ્રજ્ઞાપના-પ્રરૂપણાને આશ્રયી એકેન્દ્રિયના શરીરોનો પણ આહાર કરે છે, યાવત્ શબ્દ કહેવાથી બેઈદ્રિય તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયના શરીરો ગ્રહણ કરવા. તથા પંચેન્દ્રિયશરીરોનો પણ આહાર કરે છે. અહીં તાત્પર્ય આ છે-જ્યારે આહારપણે ગ્રહણ કરાતા પુદ્ગલોના અતીત-ભૂતકાળના ભાવ–પરિણામનો વિચાર કરીએ ત્યારે તે કેટલા એક કોઈ કાળે એકેન્દ્રિય શરીર રૂપે પરિણમેલા હતા, કદાચિત્ બેઇન્દ્રિય શરીર રૂપે પરિણમેલાં, કદાચિત્ તે ઇન્દ્રિય શરીરરૂપે, કદાચિત્ ચઉરિન્દ્રિય શરીરરૂપે અને કદાચિત્ પંચેન્દ્રિય શરીરરૂપે પરિણમેલાં હતાં, તેથી જ્યારે ભૂતકાળના પરિણામનો અત્યારે વર્તમાનમાં આરોપ કરીને વિવફા કરીએ ત્યારે નરયિકો એકેન્દ્રિય શરીરોનો પણ યાવત્ પંચેન્દ્રિય શરીરોનો પણ આહાર કરે છે. “પડુપનાવ૫ઇવ પડુત્ર' ઇત્યાદિ. પ્રત્યુત્પન્ન-વર્તમાન ભાવની પ્રજ્ઞાપના-પ્રરુપણાને આશ્રયી અવશ્ય પંચેન્દ્રિય શરીરોનો આહાર કરે છે. કેવી રીતે કરે છે? તેનો ઉત્તર આ પ્રમાણે છ–અહીંઋજુસૂત્ર નય વર્તમાન કાળના ભાવની પ્રરૂપણા કરે છે, પણ બાકીના નૈગમાદિ નયો કરતા નથી. ઋજુસૂત્ર નય ‘શિયમાાં વકૃતમ્' કરાતું હોય તે કરેલું, જેનો આહાર કરાતો હોય તે આહાર કરેલું અને પરિણમતું હોય તે પરિણમેલું માને છે. આહર કરાતા પુદ્ગલ તે કહેવાય છે કે જે સ્વશરીરરૂપે પરિણમે છે. જેનો આહાર કરાતો હોય તે આહાર કરેલું અને પરિણમતું હોય તે પરિણમેલું હોવાથી તેના મતે સ્વશરીરનો જ આહાર કરાય છે અને નૈરયિકોનું સ્વશરીર પંચેન્દ્રિય શરીર છે, અને પંચેન્દ્રિય શરીર હોવાથી કહ્યું છે કે તેઓ અવશ્ય પંચેન્દ્રિય શરીરોનો આહાર કરે છે. એ પ્રમાણે અસુરકુમારથી આરંભી સ્વનિતકુમાર સુધીના ભવનપતિ દેવો કહેવા. પૃથિવીકાયિક સૂત્રમાં પ્રત્યુત્પન્ન-વર્તમાન ભાવની પ્રરુપણાના વિચારમાં તેઓ અવશ્ય એકેન્દ્રિય શરીરોનો અહાર કરે છે એમ કહેવું. કારણ કે તેઓ એકેન્દ્રિય હોવાથી તેઓના શરીરો એકેન્દ્રિય શરીરો છે. એમ બેઇન્દ્રિયસૂત્રમાં “અવશ્ય બેઇન્દ્રિયના શરીરોનો આહાર કરે છે એમ કહેવું તે ઇન્દ્રિયસૂત્રમાં અવશ્ય તે ઇન્દ્રિયશરીરોનો અને અને ચઉરિન્દ્રિયસૂત્રમાં અવશ્ય ચઉરિન્દ્રિય શરીરોનો આહાર કરે છે. તિર્યંચ પંચેન્દ્રિયો, મનુષ્યો, વ્યન્તર, જ્યોતિષિકો અને વૈમાનિકો નિરયિકની પેઠે કહેવા. તે પ્રમાણ સૂત્રકાર “ઢવીવાફયાનું પુજી' ઇત્યાદિ સૂત્ર કહે છે. હવે લોમહારનો વિચાર કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર આ સૂત્ર કહે છે “રયા નું અંત! વિંદ્ર તોમાહારી પવવેવાણીરા'? હે ભગવન્! નરયિકો લોકાહારવાળા છે કે પ્રક્ષેપાહારવાળા છે? ઇત્યાદિ સૂત્ર સુગમ છે, પરન્ત નરયિકોને વેક્રિય શરીરોનો તેવા પ્રકારનો સ્વભાવ હોવાથી પ્રક્ષેપાહાર હોતો નથી, લોમાહાર પણ પર્યાપ્તને જાણવો, પણ અપર્યાપ્ત હોતો નથી. એ પ્રમાણે નૈરયિકોને કહ્યું છે તેમ પૃથિવી, પાણી, અગ્નિ, વાયું અને વનસ્પતિ રૂપ એકેન્દ્રિયો તથા અસુરકુમારથી માંડી વૈમાનિક સુધી બધા દેવોને કહેવું. તેમાં એકેન્દ્રિયોને મુખ નહિ હોવાથી પ્રક્ષેપાહાર હોતો નથી, અને અસુરકુમારાદિને વૈક્રિય શરીર હોવાથી અને તેના તેવા પ્રકારના સ્વભાવથી પ્રક્ષેપાહાર હોતો નથી.બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો લોમાહારવાળા અને પ્રક્ષેપાહારવાળા પણ કહેવા. કારણ કે બન્ને પ્રકારના આહારનો પણ તેઓને સંભવ છે. ૯ll૬૫૦
| ચડવીર દંડસુ મખમરવીવાર || णेरइया णं भंते! किं ओयाहारा मणभक्खी? गोयमा! ओयाहारा, णो मणभक्खी, एवं सव्वे ओरालियसरीरा वि। देवा सव्वे जाव वेमाणिया ओयाहारा वि मणभक्खी वि। तत्थ णं जे ते मणभक्खी देवा तेसि णं इच्छामणे समुप्पज्जइ 'इच्छामो णंमणभक्खणं करित्तए', तए णं तेहिं देवेहिं एवं मणसीकते समाणे खिप्पामेवजे पोग्गला इट्ठा कंता जाव मणामा ते तेसिं मणभक्खत्ताए परिणमंति, से जहाणामए सीता पोग्गला सीयं पप्पा सीयं चेव अइवइत्ताणं चिट्ठति, उसिणा वा पोग्गला उसिणं पप्पा उसिणं चेव अतिवइत्ताणं चिट्ठति, एवामेव तेहिं देवेहि मणभक्खणे कते समाणे गोयमा! से इच्छामणे खिप्पामेव अवेति ।।सू०-१०।।६५१।।
पन्नवणाए आहारपए पढमो उद्देसो समत्तो २३-१ । :270