________________
श्री प्रज्ञापना सूत्र भाग २
तेविसइमं कम्मपयडीपयं पद पढमो उद्देसो अत्थाहिगारा कतिपयडी दारं
હોવાથી સાતા અને અસાતા રૂપ કર્મ જ વેદનીય કહેવાય છે, બીજાં કર્મ કહેવાતા નથી. મોહયતિ–આત્માને સત્ અને અસા વિવેકથી રહિત કરે તે મોહનીય. અહીં કર્તાના અર્થમાં‘બનીય' પ્રત્યય થયો છે. ‘તિ-જ્ઞાતિ પ્રતિવન્યતામ્'—પોતે કરેલા કર્મ વડે બાંધેલી ન૨કાદિ દુર્ગતિથી નીકળવાની ઇચ્છાવાળા પ્રાણીને પ્રતિબન્ધકપણાને પામે તે આયુષ્ય. અથવા ઞ-સમન્તાત્ તિ–એક ભવથી બીજા ભવમાં ગમન કરતાં વિપાકોદયને પ્રાપ્ત થાય તે આયુષ્ય. બન્ને સ્થળે પણ ઔણાદિક ઉસ્ પ્રત્યય થયો છે, નામતિ–ગત્યાદિ પર્યાયનો અનુભવ ક૨વામાં જીવને નમાવે, તત્પ૨ ક૨ે તે નામ કર્મ. શૂયતે–શન્યતે–અનેક પ્રકા૨ના ઉચ્ચ-નીચ શબ્દ વડે બોલાવાય તે ગોત્ર–ઉચ્ચ અને નીચ કુલમાં ઉત્પન્ન થવારૂપ પર્યાય, તે વિપાક વડે વેદવા લાયક કર્મ પણ કાર્યમાં કારણના ઉપચારથી ગોત્ર કહેવાય છે. અથવા સૂયતેઽસ્મા-કર્મની અપાદાન તરીકે વિવક્ષા કરી છે. એટલે જે કર્મના ઉદયથી ઉચ્ચ-નીચ શબ્દ વડે આત્માને બોલાવાય તે ગોત્ર. નીવં ચ વાનાવિચ અન્તરા તિજીવ અને દાનાદિકનું અન્તર પાડવા માટે પ્રાપ્ત થાય તે અન્તરાય. તે દાનાદિ ક૨વાને તત્પર થયેલા જીવને પ્રતિબંધ ક૨ના૨ છે.
(પ્ર0)—આ પ્રમાણે ક્રમપૂર્વક જ્ઞાનાવરણીયાદીના કથનમાં કંઇપણ પ્રયોજન છે? અથવા પ્રયોજન સિવાય યથાકથંચિત્ આ ક્રમ પ્રવૃત્ત થયો છે?.
(ઉ0)—‘પ્રયોજન છે’.એમ અમે કહીએ છીએ. શું પ્રયોજન છે? તે દર્શાવે છે–અહીં જ્ઞાન અને દર્શન જીવનું સ્વરુપ છે. કારણ કે તેના અભાવમાં જીવત્વનો જ અસંભવ છે. ચેતના એ જીવનું લક્ષણ છે, તેથી તે જ્ઞાન અને દર્શનના અભાવમાં કેમ હોય? જ્ઞાન અને દર્શનમાં પણ જ્ઞાન પ્રધાન છે. કારણ કે તેનાથી જ સર્વ શાસ્ત્રાદિના વિચારની પરંપરા પ્રવર્તે છે. વળી સર્વ બ્ધિઓ પણ સાકાર ઉપયોગવાળા જીવને ઉત્પન્ન થાય છે, પણ દર્શનોપયોગવાળાને ઉત્પન્ન થતી નથી. ‘સવ્વાઓ જીગો સારોવગોવનત્તમ્સ, 7 અળારોવગોવત્તÆ'—સર્વ લબ્ધિઓ સાકાર ઉપયોગ વાળાને પ્રાપ્ત થાય છે, પણ અનાકાર ઉપયોગવાળાને થતી નથી– એક શાસ્ત્રનું વચન પ્રમાણરૂપ છે. વળી જે સમયે જીવ સર્વ કર્મથી મુક્ત થાય છે તે સમયે જ્ઞાનોપયોગવાળો હોય છે, પણ - દર્શનોપયોગવાળો હોતો નથી. કારણ કે તેને બીજે સમયે દર્શનોપયોગ હોય છે. તેથી જ્ઞાન પ્રધાન છે માટે તેનું આચ્છાદન કરનાર જ્ઞાનાવરણીય તેનાથી પ્રથમ કહ્યું છે, અને ત્યાર પછી દર્શનાવરણીય કર્મ કહ્યું છે. કારણ કે જ્ઞાનોપયોગથી પડીને જીવ દર્શનોપયોગમાં આવે છે. એ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય પોતાનો વિપાક દેખાડતા યથાયોગ્યપણે અવશ્ય સુખદુઃખરૂપ વેદનીય કર્મના વિપાકનું નિમિત્ત થાય છે. તે આ પ્રમાણે—અત્યન્ત ઉપચિત થયેલા જ્ઞાનાવરણ કર્મને વિપાકથી અનુભવતા, સૂક્ષ્મ અને સૂક્ષ્મતર વસ્તુનો વિચાર કરવાને પોતાને અસમર્થ માનતા ઘણા માણસો ખેદ પામે છે. અને જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલી બુદ્ધિની પટુતાયુક્ત થઇ સૂક્ષ્મ, સૂક્ષ્મતર વસ્તુને પોતાની પ્રજ્ઞાથી જાણતા અને ઘણા માણસોથી પોતાને શ્રેષ્ઠ માનતા સુખ વેદે છે. અતિગાઢ દર્શનાવરણના વિપાકોદયથી જન્માન્ધપણું વગેરે ઘણું દુ:ખ અનુભવે છે. દર્શનાવરણ કર્મના ક્ષયોપશમ જન્મ પટુતાયુક્ત પ્રાણી સ્પષ્ટ ચક્ષુ વગેરે ઇન્દ્રિયો સહિત યથાર્થપણે વસ્તુને જોતો પ્રમોદને અનુભવે છે તેથી એ અર્થને જાણવા માટે દર્શનાવરણીય કર્મ પછી વેદનીય કર્મનું ગ્રહણ કર્યુ છે. વેદનીય કર્મ ઇષ્ટ અને અનિષ્ટ વિષયના સંબન્ધથી સુખ–દુઃખ ઉત્પન્ન કરે છે. તેથી ઇષ્ટ અને અનિષ્ટ વિષયના સંબન્ધથી સંસારીને અવશ્ય રાગ દ્વેષ થાય છે અને રાગ–દ્વેષ મોહનીયનિમિત્તક છે. એ અર્થને જણાવવા વેદનીય પછી મોહનીય કર્મનું ગ્રહણ કર્યું છે. મોહનીય કર્મ વડે મૂઢ થયેલા પ્રાણીઓ બહુઆરંભ અને પરિગ્રહાદિમાં આસક્ત થઇ નરકાદિનું આયુષ્ય બાંધે છે તેથી મોહનીય કર્મની પછી આયુષ્ય કર્મનું ગ્રહણ કર્યું છે. નારકાદિ આયુષ્યના ઉદયમાં અવશ્ય નરકગત્યાદિ નામ કર્મ ઉદયમાં આવે છે. તેથી આયુષ્યકર્મના પછી નામકર્મનું ગ્રહણ કર્યું છે. નામકર્મના ઉદયમાં અવશ્ય ઉચ્ચ કે નીચ ગોત્ર કર્મનો વિપાકોદય પ્રાપ્ત થાય છે માટે નામકર્મ પછી ગોત્ર કર્મનું કથન કર્યું છે. ગોત્રકર્મના ઉદયમાં ઉચ્ચ ગોત્રમાં ઉત્પન્ન થયેલાને પ્રાયઃ દાન–લાભાન્તરાયાદિનો ઉપશમ હોય છે, કારણ કે રાજા પ્રમુખને અધિકપણે દાન-લાભાદિ જોવામાં આવે છે. નીચકુળમા ઉત્પન્ન થયેલાને દાન-લાભાન્તરાયાદિનો ઉદય હોય છે. કારણ કે અન્યજ જાતિમાં તે પ્રમાણે જોવામાં આવે છે. તેથી એ અર્થનું ગ્રહણ કરવા માટે ગોત્ર પછી અન્તરાય કર્મ કહ્યું છે. એ પ્રમાણે પ્રથમ
196