________________
श्री प्रज्ञापना सूत्र भाग २
विसइमं कम्पयडीपयं बीओ उद्देसो कम्मपयडीणं ठिइपरूवणं હોય છે. સૂક્ષ્મનામ સૂત્રમાં જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગવડે ન્યૂન સાગરોપમના નવ પાંત્રીશાંશ સ્થિતિ બેઇન્દ્રિય જાતિનામની પેઠે જાણવી. કારણ કે સૂક્ષ્મનામ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કોટાકોટી સાગરોપમ પ્રમાણ છે. કેમકે ‘અટ્ઠારસ સુહુમવિાતતિને' સૂક્ષ્મ અને વિકલેન્દ્રિયત્રિકની અઢાર કોટાકોટી સાગરોપમની સ્થિતિ છે—એવું શાસ્ત્રનું વચન છે. એમ અપર્યાપ્ત અને સાધારણ નામ કર્મને પણ જાણવું. બાદ૨, પર્યાપ્ત અને પ્રત્યેક નામની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન બે સપ્તમાંશ સાગરોપમની છે અને ઉત્કૃષ્ટ વીશ કોટાકોટી સાગરોપમ પ્રમાણ છે. તે સંબન્ધે સૂત્રકાર કહે છ— વાયરનામાÇ નહીં અપસત્યવિહાયોાફનામાણુ, વં પન્તત્તનામાÇ વિ' ઇત્યાદિ. બાદરનામની સ્થિતિ અપ્રશસ્તવિહાયોગતિનામની પેઠે જાણવી. એમ પર્યાપ્તનામ સંબન્ધે પણ જાણવું–ઇત્યાદિ. સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય રૂપ પાંચ પ્રકૃતિની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગવડે ન્યૂન એક સપ્તમાંશ સાગરોપમની છે. યશઃકીર્તિનામની જઘન્યથી આઠ મુહૂર્ત છે. કારણ કે ‘અદુ મુહૂત્તા નસુબ્વોયાળ' એવું શાસ્ત્ર વચન છે, છએ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કોટાકોટી સાગરોપમની છે, કારણ કે ‘થરા જેવડો
# 'સ્થિરાદિ ષટ્ક અને દેવદ્વિકની દસ કોટાકોટી સાગરોપમની સ્થિતિ છે–એવું શાસ્ત્રવચન છે. અસ્થિર, અશુભ, દુર્ભાગ, દુસ્વર, અનાદેય અને અયશઃકીર્તિનામની જધન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન બે સપ્તમાંશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ વીશ કોટાકોટી સાગરોપમની એમ નિર્માણનામ સંબન્ધ પણ કહેવું. તીર્થંકરનામની જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અન્તઃકોટાકોટી સાગરોપમની સ્થિતિ છે.
(પ્ર0)—જો તીર્થંકરનામની જઘન્યથી અન્તઃકોટાકોટી સાગરોપમ પ્રમાણ સ્થિતિ છે તો તેટલી સ્થિતિ તિર્યંચોના ભવ સિવાય પૂરી કરવી અશક્ય છે, માટે કેટલાક કાળ સુધી તીર્થંકરનામ કર્મની સત્તાવાળો પણ તિર્યંચ હોય અને આગમમાં તો તિર્યંચમાં તીર્થંકરનામની સત્તાનો નિષેધ કર્યો છે. કહ્યું છે ક—
तिरिएसु नत्थि तित्थयरनामसंतं ति देसियं समए । कह य तिरिओ न होही अयरोवमकोडाकोडीओ ॥
તિર્યંચોમાં તિર્થંક૨ નામ સત્તામાં નથી એમ સિદ્ધાન્તમાં કહ્યું છે, તો તેની અન્તઃકોટાકોટી સાગરોપમની સ્થિતિ હોવાથી તે
તિર્યંચ કેમ ન થાય?
(30)—અહીં જે નિકાચિત તીર્થંકર નામ કર્મ છે તેની સત્તાનો તિર્યંચ ગતિમાં નિષેધ કર્યો છે. જે ઉદ્ધર્તના અને અપવર્તના ને યોગ્ય તીર્થંકર નામ કર્મ છે તે તિર્યંચગતિમાં હોય તો પણ તેનો વિરોધ નથી. કહ્યું છે ક—
“जमिह निकाइयं तित्थं तिरियभवे तं निसेहियं संतं । इयरम्मि नत्थि दोसो उव्वट्टण - वट्टणासज्जे ॥'
જે અહીંનિકાચિત તીર્થંક૨ નામ કર્મ છે તેની સત્તાનો તિર્યંચ ભવમાં નિષેધ કર્યો છે, ૫૨ન્તુ અન્ય ઉદ્ધર્તના અને અપવર્તના સાધ્ય (અનિકાચિત) તીર્થંકરનામની સત્તામાં કંઇપણ દોષ નથી. ।।૨૬।।૬૨૪૫ उच्चागोयस्स णं॰ पुच्छा। गोयमा ! जहन्नेणं अट्ठ मुहुत्ता, उक्कोसेणं दस सागरोवमकोडाकोडीओ, दस य वाससताई अबाहा०। णीयागोयस्स पुच्छा। गोयमा ! जहा अप्पसत्थविहायगतिणामस्स ।।सू०-२७।। ६२५।। (મૂળ)ઉચ્ચગોત્ર સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી આઠ મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દસ કોટાકોટી સાગરોપમની સ્થિતિ તથા એક હજાર વરસનો અબાધકાળ જાણવો. નીચ ગોત્રની સ્થિતિ સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જેમ અપ્રશસ્તવિહાયોગતિ નામની સ્થિતિ કહી છે તેમ જાણવી. ।।૨૭૬૨૫॥
अंतराइयस्स णं॰ पुच्छा। गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ, तिण्णि य वाससहस्साइं अबाहा॰ अबाहूणिया कम्मट्टिती कम्मणिसेगो ।। सू० - २८ ।। ६२६ ।।
(મૂહ) અંતરાય સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રીશ કોટાકોટી સાગરોપમની સ્થિતિ તથા ત્રણ હજાર વરસનો અબાધાકાળ જાણવો અને અબાધાકાળ ન્યૂન કર્મની સ્થિતિ તે કર્મનો નિષેક સમજવો.૨૮ ૬૨૬।।
232