________________
चवीसइमं कम्मबंधपयं णाणावरणिज्जबंधएसु-दंसणावरणिज्जबंधएसु जीवाईसु कम्मपयडिबंध परूवणं
श्री प्रज्ञापना सूत्र भाग २ કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? હે ગૌતમ! બધા ય સાત પ્રકૃતિ બાંધે. અથવા સાત બાંધે અને એક આઠ પ્રકૃતિ બાંધે. અથવા બધા સાત બાંધે અને આઠ પ્રકૃતિ બાંધે. એમ ત્રણ ભાંગા થાય છે. એ પ્રમાણે યાવત્ સ્તનિતકુમાર સુધી જાણવું. પૃથિવીકાયિકો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? હે ગૌતમ! સાત પ્રકૃતિના બાંધનારા પણ હોય. અને આઠ પ્રકૃતિના પણ બાંધનારા હોય. એમ વનસ્પતિકાયિકો સુધી જાણવું. વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચોને ત્રણ ભાંગા સમજવા. બધા ય સાત પ્રકૃતિ બાંધનારા, અથવા સાત બાંધનારા અને એક આઠ બાંધનાર, અથવા સાત પ્રકૃતિ બાંધનારા અને આઠ પ્રકૃતિઓ બાંધનારા હોય છે. હે ભગવન્! મનુષ્યો જ્ઞાનવરણીયનો બંધ કરતા કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? હે ગૌતમ! ૧ બધા ય સાત પ્રકૃતિઓ બાંધનારા હોય, ર અથવા સાત પ્રકૃતિઓ બાંધનારા અને એક આઠ કર્મપ્રકૃતિ બાંધનાર હોય, ૩ અથવા સાત પ્રકૃતિ બાંધનારા અને આઠ કર્મ પ્રકૃતિઓ બાંધનારા હોય, ૪ અથવા સાત કર્મ પ્રકૃતિઓ બાંધનારા અને એકં છ કર્મ બાન્ધનાર હોય, ૫ અથવા સાત કર્મ બાંધનારા અને છ કર્મ બાંધનારા હોય, ૬ અથવા સાત કર્મ બાંધનારા એક આઠ કર્મ બાંધનાર અને એક છ કર્મ બાંધનાર હોય, ૭ અથવા સાત કર્મ બાંધનારા, એક આઠ કર્મ બાંધનાર અને છ કર્મ બાંધનારા હોય. ૮ અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મબાંધનારા અને એક છ કર્મ બાંધનારા હોય. ૯ અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મ બાંધનારા અને છ કર્મ બાંધનારા હોય. એ નવ ભાંગા થયા. બાકીના વ્યન્તરથી આરંભી વૈમાનિક સુધીના દેવો નૈયિકોની પેઠે સવિધાદિ બન્ધક કહ્યો છે તેમ કહેવા. એ પ્રમાણે જેમ જ્ઞાનાવરણના બન્ધ કરનારા જ્યાં કહ્યા છે, ત્યાં દર્શનાવરણનો પણ બન્ધ કરનારા જીવાદિ એકવચન અને બહુવચન વડે કહેવા. ૧II૬૩૫॥
(ટી૦) તેવીશમા પદની વ્યાખ્યા કરી, હવે ચોવીશમાં પદનો પ્રારંભ કરાય છે. તેનો આ સંબન્ધ છે—પૂર્વના પદમાં કર્મબન્ધાદિરૂપ પરિણામ વિશેષનો વિચાર કર્યો, તેજ કર્મબન્ધાદિ પરિણામનો વિચાર હવે પછી કહેવાના ચારે પદોમાં કોઇ કોઇ સ્થળે કરવાનો છે. તેમાં ચોવીશમાં પદનું આ પ્રથમ સૂત્ર છે—‘દ્ ાં મંતે! જમ્મપાડીઓ પળત્તાઓ'? ‘હે ભગવન્! કેટલી પ્રકૃતિઓ કહી છે’– ઇત્યાદિ. પૂર્વે આ સૂત્રપાઠ કહેવામાં આવ્યો છતાં અહીં તેનું ફરીથી કથન તે વિશેષતા જણાવવા માટેછે. એ પ્રમાણે પછીના સૂત્રમાં પણ જાણવું. હવે કયું કર્મ બાંધતો કઇ કર્મપ્રકૃતિઓ બાંધે એમ બન્ધના સંબન્ધનો વિચાર કરવાની ઇચ્છાવાળા આચાર્ય પ્રથમથી જ્ઞાનાવરણીય કર્મ સાથે સંબન્ધનો વિચાર કરે છે—‘બાળાવળનું માં બંધમાળે ડ્ મ્મપાડીઓ અંધજ્ઞ' હે ભગવન્! જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધતો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે' ઇત્યાદિ સુગમ છે, પરન્તુ આયુષ્ય બન્ધના અભાવકાળે સાત કર્મનો બન્ધ કરે છે, અને આયુષ્યને બાંધતો હોય ત્યારે આઠ કર્મનો બન્ધ કરે છે. મોહનીય અને આયુષ્યનો બન્ધ ન કરે ત્યારે છ કર્મનો બન્ધ કરે છે. અને તે સૂક્ષ્મસંપરાયે છે. કહ્યું છે કે—“સત્તવિબંધ હૌંતિ પાળિનો આડાવખ્તવાળું તુા તહ સુહુમસંપરાયા છબિહવંધા વિનિધિદ્વાા મોહાયવન્ગાનું પયડીનું તે ૩ બંધ મળિયા” પ્રાણીઓ આયુષ્ય સિવાય સાત કર્મપ્રકૃતિના બંધક છે અને સૂક્ષ્મસં૫રાય મોહનીય અને આયુષ્ય સિવાય છ કર્મપ્રકૃતિના બાંધનારા કહ્યા છે. એક કર્મનો બન્ધક હોતો નથી. કારણ કે એક કર્મના બંધક ઉપશાન્તકષાયાદિ હોય છે. તે સંબન્ધે કહ્યું છે – “વસંતણીખમોદા જેવતિનો વિહવંધા તે પુન સમયદ્રિયમ્સ બંધા ન ૩૫ સંપરાયસ્મા" ઉપશાંતમોહ, ક્ષીણમોહ અને કેવલજ્ઞાની એક કર્મનો બંધ કરે છે. અને તે બે સમયની સ્થિતિવાળા (સાતાવેદનીય) કર્મના બન્ધક છે, પરન્તુ સંપરાય (કાષાયિક) કર્મના બન્ધક હોતા નથી. વળી ઉપશાન્તકષાયાદિ જ્ઞાનાવરણીય કર્મ બાંધતા નથી, કારણ કે તેનો બન્ધ સૂક્ષ્મસંપ૨ાયના છેલ્લા સમયે વિચ્છેદ થાય છે. પણ કેવળ સાતાવેદનીય બાંધે છે, એજ બાબતનો નૈરયિકાદિ દંડકના અનુક્રમથીવિચાર કરે છે–‘નેપ્ ં મંતે!'ઇત્યાદિ. હે ભગવન્! નૈરયિક જ્ઞાનાવરણ કર્મ બાંધતો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? ઇત્યાદિ. અહીં મનુષ્ય સિવાય બાકીના બધા સ્થાનોમાં બેજ ભાંગા જાણવા. સાત કર્મના બન્ધક કે આઠ કર્મના બન્ધક હોય, પરન્તુ ‘છ કર્મના બન્ધક' એ ત્રીજો ભાંગો ન હોય. કારણ કે તેઓને સૂક્ષ્મસં૫રાય ગુણસ્થાનકનો અસંભવ છે. મનુષ્યના સ્થાનમાં ત્રણે ભાંગા કહેવા. કારણ કે તેને સૂક્ષ્મસંપ૨ાય ગુણસ્થાનકનો સંભવ છે. તેજ પ્રમાણે સૂત્રકાર કહે છે—‘વં ખાવ વેમાપ્િ' એ પ્રમાણે બે ભાંગા વૈમાનિક સુધી કહેવા. ‘નવાં મનુસે નન્હા નીવે' પરન્તુ મનુષ્યને જીવની પેઠે કહેવું. એમ એક વચનને આશ્રયી દંડક કહ્યો. હવે બહુવચનને આશ્રયી સૂત્ર કહે છે–‘નીવા ખં ભંતે!’ઇત્યાદિ. હે ભગવન્! જીવો
245