________________
श्री प्रज्ञापना सूत्र भाग २ तेविसइमं कम्मपयडीपयं बीओ उद्देसो एगिदिएसु कम्मपयडीणं ठिइबंधपरूवणं (મૂળ) હે ભગવન્! એકેન્દ્રિય જીવો જ્ઞાનાવરણીય કર્મની કેટલી સ્થિતિ બાંધે? હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા
ભાગ વડે ન્યૂન સાગરોપમના ત્રણ સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ સાગરોપમના ત્રણ સપ્તમાંશ સ્થિતિ બાંધે. એ પ્રમાણે પાંચ નિદ્રા અને ચાર દર્શનાવરણની પણ સ્થિતિ જાણવી. હે ભગવન્! એકેન્દ્રિય સાતાવેદનીય કર્મની કેટલી સ્થિતિ બાંધે? હે ગૌતમ! જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગવડન્યૂનસાગરોપમનો દોઢ સક્ષમાંશ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ દોઢ સમમાંશ સાગરોપમની સ્થિતિ બાંધે. અસતાવેદનીયની જ્ઞાનાવરણીયની પેઠે જાણવી. હે ભગવન્! એકેન્દ્રિયો સમ્યક્ત વેદનીય કર્મની કેટલી સ્થિતિ બાંધે? હે ગૌતમ કંઈપણ ન બાંધે. હે ભગવન! એકેન્દ્રિય જીવો મિથ્યાત્વ વંદનીય કર્મની કેટલી સ્થિતિ બાંધે? હે ગૌતમ! જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ એક સાગરોપમ બાંધે. હે ભગવન્! એકેન્દ્રિય જીવો સમ્યમિથ્યાત્વની વેદની કેટલી સ્થિતિ બાંધે? હે ગૌતમ! કંઈ પણ ન બાંધે. હે ભગવન! એકેન્દ્રિયો બાર કષાયની કેટલી સ્થિતિ બાંધે?હે ગૌતમ!જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગવડે ન્યૂન સાગરોપમના ચાર સપ્તમાંશ પ્રમાણ બાંધે અને ઉત્કૃષ્ટ પુરા ચાર સપ્તમાંશ સાગરોપમ બાંધે. એ પ્રમાણે સંજ્વલન ક્રોધ યાવતુ સંજવલન લોભની પણ સ્થિતિ જાણવી. સ્ત્રીવેદની સ્થિતિ સાતાવેદનીયની પેઠે જાણવી. એકેન્દ્રિયો પુરુષવેદ કર્મની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન એક સસમાંશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ તેજ સ્થિતિ બાંધે. એકેન્દ્રિયો નપુંસકવેદની સ્થિતિ જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન બે સપ્તમાંશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ તેટલી જ સ્થિતિ બાંધે. હાસ્ય અને રતિની સ્થિતિ પુરુષવેદના જેટલી બાંધે. અરતિ, ભય, શોક અને જુગુપ્સાની સ્થિતિ નપુંસકવેદના જેટલી બાંધે. નરયિકાયુષ્ય, દેવાયુષ્ય, નરકગતિનામ, દેવગતિનામ, વૈક્રિયશરીરનામ, આહારકર્શરીરનામ, નરકાનુપૂર્વીનામ, દેવાનુપૂર્વનામ અને તીર્થંકરનામ એ નવ પ્રકૃતિઓ બાંધતો નથી. તિર્યંચાયુષ્યની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાત હજાર અને એક હજારના ત્રીજા ભાગ વડે અધિક પૂર્વ કોટી વર્ષની બાંધે. એમ મનુષ્પાયુષ્યની પણ સ્થિતિ જાણવી. તિર્યંચગતિનામની સ્થિતિ નપુંસકવેદના જેટલી અને મનુષ્યગતિ નામની સ્થિતિ સાતાવંદનીયના જેટલી સમજવી. એકેન્દ્રિયનામની અને પંચેન્દ્રિયનામની નપુંસકવેદની સ્થિતિ પ્રમાણે જાણવી. બેઈન્દ્રિય અને ઇન્દ્રિય નામની જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન સાગરોપમના નવ પાંત્રીશાંશ અને ઉત્કૃષ્ટ સંપૂર્ણ તેટલીજ સ્થિતિ બાંધે. ચઉરિન્દ્રિયનામન પણ જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમાં ભાગે ન્યૂન સાગરોપમના નવ પાંત્રીશાંશ અને ઉત્કૃષ્ટ સંપૂર્ણ તેટલી જ સ્થિતિ બાંધે. એ પ્રમાણે જ્યાં સાગરોપમના બે સપ્તમાંશ, ત્રણ કે ચાર સપ્તમાંશ અથવા અઠ્યાવીસ ભાગની સ્થિતિ હોય ત્યાં તેટલા ભાગ જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન કહેવા. અને
જ્યાં જઘન્યથી એક કે દોઢ સહમાંશની સ્થિતિ હોય ત્યાં તેજ ભાગ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન કહેવો અને ઉત્કૃષ્ટ તેજ ભાગ પરિપૂર્ણ બાંધે એમ સમજવું. યશકીર્તિ અને ઉચ્ચગોત્રની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન સાગરોપમનો સસમાંશ અને ઉત્કૃષ્ટ તેજ પરિપૂર્ણ બાંધે છે. અન્તરાય સંબજો પ્રશ્ન. હે ગૌતમ! જેમ
જ્ઞાનાવરણીયની સ્થિતિ કહી છે તેમ કહેવી. યાવત્ ઉત્કૃષ્ટપણે તેજ પરિપૂર્ણ બાંધે છે. //ર૯૬૨૭l (ટી) હવે એકેન્દ્રિયોને આશ્રયી સર્વઉત્તરપ્રવૃતિઓની સ્થિતિનું પરિણામ કહે છે–‘ડિયા અંતે! નીવા નાવળિજ્ઞ
મસ્ત જિં વંઘંતિ'? હે ભગવન્!એકેન્દ્રિય જીવો જ્ઞાનાવરણીય કર્મની કેટલી સ્થિતિ બાંધે? ઇત્યાદિ. અહીં આ પ્રકારનો નિયમ છે કે જે જે કર્મની જે જે ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વે કહી છે તે તે સ્થિતિને મિથ્યાત્વની સિત્તેર કોટાકોટી સાગરોપમ પ્રમાણ સ્થિતિ વડે ભાગતા જે આવે તેથી પલ્યોપમના અસંખ્યાતમે ભાગે જૂન જઘન્ય સ્થિતિ જાણવી. અને તેજ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ સહિત પરિપૂર્ણ ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. આ પરિભાષાને ખયાલમાં રાખી સર્વ એકેન્દ્રિયના સૂત્રનો સ્વયં વિચાર કરવો. તો પણ શિષ્યના ઉપર ઉપકાર કરવા સ્થિતિનું પરિમાણ બતાવીએ છીએ-પાંચ જ્ઞાનાવરણ, નવ દર્શનાવરણ, અસતાવેદનીય અને પાંચ " અંતરાય કર્મનો એકેન્દ્રિયોને જઘન્ય સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન સાગરોપમના ત્રણ સપ્તમાંશ હોય છે અને
234