________________
श्री प्रज्ञापना सूत्र भाग २
तेविसइमं कम्मपयडीपयं कतिविधाणुभाव दारं
સૂક્ષ્મબુદ્ધિથી વિચાર કરવો. ‘પુત્તે વા' જે વેણુ-વીણા વગેરે ઘણા પુદ્ગલો વેદે છે, જે બ્રાહ્મી ઔષધી વગેરે આહારના પરિણામરૂપ પુદ્ગલપરિણામને વેદે છે, જે વિસસા–સ્વભાવ વડે શુભ મેઘાદિ પુદ્ગલોના પરિણામને વેદે છે, તથા કાજળના જેવી કાન્તિવાળા ચઢેલા મેઘને જોઇને મસ્ત યુવતિઓ રેલ્લુક રૂપ ઇષ્ટ સ્વર ગાય છે. તેના પ્રભાવથી શુભનામ કર્મ વેદે છે. અને શુભનામ કર્મનું ફળ ઇષ્ટ સ્વરાદિ અનુભવે છે. એટલા વડે પરને આશ્રયી વિપાક કહ્યો. હવે સ્વતઃ ઉદય કહે છે—‘તેસિં વા ત્યેન’તે શુભનામ કર્મ પુદ્ગલોના ઉદયથી ઇષ્ટ શબ્દાદિ વેદે છે. ‘એ શુભનામ કર્મ છે’ ઇત્યાદિ ઉપસંહાર વાક્ય જાણવું. ‘દુહનામસ્મ નં મંતે'! ઇત્યાદિ. હે ભગવન્! અશુભનામ કર્મનો વિપાક કેટલા પ્રકારનો છે–ઇત્યાદિ પ્રશ્નસૂત્ર પૂર્વની જેમ જાણવું. ઉત્તરસૂત્ર પૂર્વે કહેલા । શુભનામ કર્મના અર્થથી વિપરીતપણે જાણવું. ।।૧૦૬૦૮
उच्चागोयस्स णं भंते!कम्मस्स जीवेणं० पुच्छा। गोयमा ! उच्चागोयस्स कम्मस्स जीवेणं बद्धस्स जाव अट्ठविहे अणुभावे पन्नत्ते, तं जहा - जातिविसिया १, कुलविसिया २, बलविसिट्टया ३, रूवविसिट्टया ४, तवविसिट्ठया ५, सुयविसिया ६, लाभविसिया ७, इस्सरियविसिट्ठया ८, जं वेदेति पोग्गलं वा पोग्गले वा पोग्गलपरिणामं वा वीससा वा पोग्गलाणंं परिणामं वा उदएणं जाव अट्ठविहे अणुभावे पण्णते । णीयागोयस्स णं भंते! ० पुच्छा। गोयमा ! एवं चेव, णवरं जातिविहीणया, जाव इस्सरियाविहीणया, जं वेदेति पुग्गलं वा पोग्गले वा पोग्गलपरिणामं वा वीससा वा पोग्गलाणं परिणामं तेसिं वा उदएणं जाव अट्ठविहे अणुभावे पण्णत्ते ।। सू० - ११ । ।६०९ ।। (મૂળ) હે ભગવન્ ! જીવે બાંધેલા ઉચ્ચ ગોત્રના કર્મનો કેટલા પ્રકારનો વિપાક છે? હે ગૌતમ! જીવે બાંધેલા ઉચ્ચગોત્ર કર્મનો આઠ
.
પ્રકારનો વિપાક કૈહ્યો છે. તે આ પ્રમાણે—-૧ જાતિવિશિષ્ટતા, ૨ કુલવિશિષ્ટતા, ૩ બલવિશિષ્ટતા, ૪ રૂપવિશિષ્ટતા, ૫ તપવિશિષ્ટતા, ૬ શ્રુતવિશિષ્ટતા, હું લાભવિશિષ્ટતા, અને ૮ એશ્વર્યવિશિષ્ટતા. જે પુદ્ગલ, પુદ્ગલો, પુદ્ગલપરિણામ કે વિસસા પુદ્ગલોના પરિણામને વેદે છે, અને તેના ઉદય વડે (ઉચ્ચગોત્ર કર્મ વેદે છે) એ પ્રમાણે યાવત્ આઠ પ્રકારનો ઉચ્ચ ગોત્રનો વિપાક કહ્યો છે. હે ભગવન્! નીચગોત્ર કર્મનો કેટલા પ્રકારનો વિપાક છે? હે ગૌતમ! એમજ જાણવો. પરન્તુ જાતિ હીનપણું, યાવત્ એશ્વર્યહિનપણું. જે પુદ્ગલ, પુદ્ગલો, પુદ્ગલપરિણામ કે વિસસાપુદ્ગલોના પરિણામને વેદે છે અને તેઓના ઉદય વડે (નીચગોત્ર કર્મ વેદે છે.) યાવત્ આઠ પ્રકારનો વિપાક કહ્યો છે. II૧૧૬૦૯॥
(ટી૦) ગોત્ર કર્મ બે પ્રકારે છે–ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. તેમા ઉચ્ચગોત્ર સંબંધે સૂત્ર કહે છે–‘ઇન્વોયલ્સ મંતે!'હે ભગવન્! ઉચ્ચ ગોત્રનો કેટલા પ્રકારનો વિપાક છે? ઇત્યાદિ પ્રશ્નસૂત્ર પૂર્વની પેઠે જાણવું. ઉત્તર–આઠ પ્રકારનો વિપાક કહ્યો છે. તે આઠ પ્રકાર બતાવે છે–૧ ‘જાતિવિશિષ્ટતા’ ઇત્યાદિ. જાતિ વગેરે સુપ્રસિદ્ધ છે. શબ્દાર્થ આ પ્રમાણે છે–જાતિ–જન્મ વડે વિશિષ્ટપણું. ઉચ્ચ જાતિમાં જન્મ થવો. ‘ખં વેજ્ઞ પુણે વા' ઇત્યાદિ—જે બાહ્મી દ્રવ્યાદિરૂપ પુદ્ગલને અનુભવે છે. જેમ કે દ્રવ્યના સંબન્ધથી કે રાજા વગેરે વિશિષ્ટ પુરુષના સ્વીકાર કરવાથી નીચ જાતિના કુળમાં ઉત્પન્ન થયો હોય તો પણ જાત્યાદિ સંપન્ન હોય તેમ લોકમાન્ય થાય છે. ‘બલવિશિષ્ટતા’ પણ મલ્લોની પેઠે લાઠી વગેરેના ભમાવવાથી જાણવી. ‘રૂપવિશિષ્ટતા’ ઉત્તમ તેવા પ્રકારના વસ્રલંકારાદિ રૂપના સંબંધથી જાણવી. ‘તપોવિશિષ્ટતા’ પર્વતોના શિખરાદિ ઉપર ચઢવા વડે આતાપના લેનારને હોય છે. ‘શ્રુતવિશિષ્ટતા’ મનોહર પૃથિવી પ્રદેશના સંબંધથી સ્વાધ્યાયાદિ કરનારને હોય છે. ‘લાભવિશિષ્ટતા' ઉત્તમ રત્નાદિના યોગથી હોય છે. ‘એશ્વર્યવિશિષ્ટતા' ધન અને કનક વગેરેના સંબંધથી હોય છે. ‘પુત્તે વા' જે એવા બહુ પ્રકારના પુદ્ગલો વેદે છે, ‘પુદ્ગલપરિણામ’ જે દિવ્ય ફળાદિ આહારના પરિણામરૂપ પુદ્ગલપરિણામને વેદે છે. અને જે અકસ્માત્ કહેલ મેઘના આગમના સૂચક વગેરે લક્ષણવાળા વિસ્રસા–સ્વભાવ વડે પુદ્ગલોના પરિણામને અનુભવે છે તેના પ્રભાવથી ઉચ્ચ ગોત્રને વેદે છે. એટલે ઉચ્ચગોત્ર કર્મનું ફળ જાતિવિશિષ્ટાદિ વેદે છે. એ કથન વડે પ૨ને આશ્રયી ઉદય કહ્યો. હવે સ્વત ઉદય કહે છે–‘સિં વા ૩૬Ī' તે ઉચ્ચ કર્મના ગોત્ર કર્મના ઉદય વડે જાતિવિશિષ્ટતાદિ થાય છે. ‘સ ાં ગોયમા'! હે ગૌતમ! એ આઠ પ્રકારનો વિપાક
208