________________
तेविसइमं कम्मपयडीपयं बीओ उद्देसो मूलोत्तरपयडिभेद परूवणं
श्री प्रज्ञापना सूत्र भाग २ સૂક્ષ્મ નામ છે. જેના ઉદયથી ઘણા મળેલાં છતાં પણ જીવોનું શરી૨ ચક્ષુથી ગ્રાહ્ય થતું નથી. શ્રાવકપ્રજ્ઞપ્તિની મૂળ ટીકામાં કહ્યું છે કે– “સૂક્ષ્મનામ યવુયાત્ સૂક્ષ્મો મવતિ-અત્યન્તસૂક્ષ્મોતીન્દ્રિય ત્યર્થ:।" સૂક્ષ્મ-અત્યંત સૂક્ષ્મ-અતીન્દ્રિય થાય એ તેનો અર્થ છે.
‘પર્યાપ્તકનામ’ જેના ઉદયથી પોતાને યોગ્ય પર્યાપ્તિને પૂર્ણ કરવામાં સમર્થ થાય તે પર્યાપ્તનામ. પર્યાપ્તિ એટલે આહારાદિ પુદ્ગલોને ગ્રહણ કરવા અને તેનું પરિણમન કરવામાં હેતુ આત્માની શક્તિવિશેષ. તેનું સ્વરૂપ પૂર્વે કહેવામાં આવ્યું છે. તેથી વિપરિત અપર્યાપ્તનામ છે. જેના ઉદયથી એક એક જીવનું ભિન્ન ભિન્ન શરીર હોય તે પ્રત્યેકનામ. જેના ઉદયથી અનન્ત જીવોનું સાધારણ–એક શરીર હોય તે સાધારણનામ. જેના ઉદયથી શરીરના અવયવ–શિર, અસ્થિ અને દાંતની સ્થિરતા હોય તે સ્થિરનામ. તેથી વિપરિત તે અસ્થિરનામ. જેના ઉદયથી નાભિના ઉપરના મસ્તક વગેરે અવયવો શુભ-પ્રશસ્ત હોય તે શુભનામ. જેના ઉદયથી નાભિની નીચેના પગ વગેરે અવયવો અશુભ હોય તે અશુભનામ. જેમકે મસ્તક વડે જેનો સ્પર્શ કરવામાં આવે તે ખુશ થાય છે અને પગ વડે સ્પર્શ કરવામાં આવે તો તે ગુસ્સે થાય છે.
(પ્ર0)–સ્રીના પગ વડે સ્પર્શ કરાયેલો મનુષ્ય ખુશ થાય છે, તેથી ઉપરના કથનમાં વ્યભિચાર–ઉત્પન્ન થાય છે. (ઉ0)—એમ નથી, તે ખુશ થાય છે તેનું કારણ મોહનીય કર્મ છે, અને અહીંતો વસ્તુસ્થિતિનો વિચાર કરવાનો છે માટે દોષ નથી. જેના ઉદયથી ઉપકાર નહિ કરવા છતાં પણ સર્વના મનને પ્રિય થાય તે સુભગનામ. તેથી વિપરિત દુર્ભાગનામ, કે જેના ઉદયથી ઉ૫કા૨ ક૨વા છતાં પણ મનુષ્યને અપ્રિય થાય. કહ્યું છે ક—
'अणुवकए वि बहूणं जो पिओ तस्स सुभगनामुदओ । उवकारकारगोवि हु न रुच्चए दुब्भगस्सुदए || सुभगुदए विहु कोइ किंचि आसज्ज दुब्भगो जइवि । जइवि तद्दोसाओ जहा अभव्वाण तित्थयरो || "
1
“ઉપકાર નહિ કરવા છતં પણ જે ઘણા મનુષ્યને પ્રિય થાય તેને સુભગ નામનો ઉદય છે અને દુર્ભાગનામના ઉદયમાં ઉપકાર ક૨ના૨ પણ રુચે નહિ”. જો કે સુભગનામના ઉદયમાં પણ કોઇને આશ્રયી તેના દોષને લીધે કોઇ દુર્ભાગ–અપ્રિય થાય છે. જેમ અભવ્યોને તીર્થંકર અપ્રિય લાગે છે. જેના ઉદયથી જીવનો સ્વર સાંભળનારને પ્રીતિનું કારણ થાય તે સુસ્વરનામ. તેથી વિપરીત હોય તે દુઃસ્વરનામ, કે જેના ઉદયથી સ્વર સાંભળનારને અપ્રીતિ થાય. તથા જેના ઉદયથી જે કરે અથવા બોલે તે સર્વલોક માન્ય કરે. જોવા માત્રથી લોક તેનો અભ્યુત્થાનાદિ સત્કા૨ ક૨ે તે આદેયનામ. તેથી વિપરીત અનાદેયનામ, કે જેના ઉદયથી યુક્તિયુક્ત બોલવા છતાં પણ લોકમાન્ય વચન ન થાય, તેમજ ઉ૫કા૨ ક૨વા છતાં પણ મનુષ્ય તેનો અભ્યુત્થાનાદિ સત્કાર ન કરે. . તપ, શૌર્ય અને ત્યાગ વગેરેથી ઉપાર્જન ક૨ેલા યશ વડે સ્તુતિ થાય તે યશઃકીર્તિ. અથવા યશ એટલે સામાન્ય ખ્યાતિ અને કીર્તિ–ગુણની સ્તુતિ-પ્રશંસા અથવા સર્વદિશામાં વ્યાપ્ત કે પરાક્રમથી કરાયેલ સર્વ મનુષ્યો વડે ગુણની સ્તુતિ તે યશ; એક દિશામાં વ્યાપ્ત અથવા પુણ્યથી કરાયેલી ખ્યાતિ તે કીર્તિ, તે જેના ઉદયથી થાય તે યશઃકીર્તિનામ, જેના ઉદયથી મધ્યસ્થ મનુષ્યને પ્રશંસા કરવા યોગ્ય ન હોય તે અયશઃકીર્તિનામ. જેના ઉદયથી પ્રાણીઓના શ૨ી૨ને વિષે પોતપોતાની જાતિને અનુસારે અંગો અને પ્રત્યંગો પ્રતિનિયત સ્થાને હોય તે નિર્માણનામ. તે કર્મ સૂથારના જેવું છે. તેના અભાવે તેના નૃત્ય જેવા અંગોપાંગાદિનામ વગેરે વડે ઉત્પન્ન થયેલાં પણ મસ્તક, ઉર અને ઉદરાદિ અવયવોનું નિયત સ્થાને રહેવાપણું ન હોય. જેના ઉદયથી અષ્ટમહાપ્રાતિહાર્યાદિ ચોત્રીશ અતિશયો પ્રગટ થાય તે તીર્થંકરનામ. એ પ્રમાણે નામના બૅતાળીશ ભેદો કહ્યા. હવે ગત્યાદિના અવાન્તર–પેટા ભેદો બતાવવા માટે સૂત્રકાર કહે છ-‘નામેાં મંતે! મે વિદે પન્નત્તે? ગતિનામ કર્મ કેટલા પ્રકા૨ે છે?’ ઇત્યાદિ બધું પાઠ સિદ્ધ છે. એમ નામકર્મના ભેદો કહ્યા. ।।૧૮।।૬૧૬॥
44
गोणं भंते! कम्मे कइविहे पन्नत्ते ? गोयमा ! दुविहे पन्नत्ते, तं जहा - उच्चागोए य णीयागोए य । उच्चागोए णं भंते! વિષે પત્નત્તે? ગોયમા! અદૃવિષે પત્તે, તં નહા—નાવિત્તિયા, નાવ રૂTMયિનિતિક્રયા, ડ્યું ળીયાળોવિ, णवरं जातिविहीणया जाव इस्सरियविहीणया ।। सू० - १९ । । ६१७।।
219