________________
तेविसइमं कम्मपयडीपयं बीओ उद्देसो मूलोत्तरपयडिभेद परूवणं
श्री प्रज्ञापना सूत्र भाग २ પણ જાણવું. ‘સંષયળનામે' સંહનન–અસ્થિની રચના વિશેષ, મૂલટીકાકાર કહે છે કે– “સંહનનમસ્થિરત્નનાવિશેષ:” તેથી જે એમ કહે છે કે સૂત્રમાં શક્તિ વિશેષજ સંઘયણ છે. અને તે પ્રમાણે તેના ગ્રન્થમાં કહ્યું છે કે-‘‘પુત્તે સત્તિવિશેશો સંધયાં''તે ભ્રાન્ત છે. સૂત્રને અનુસરનારા મૂલટીકાકારે પણ સંહનન અસ્થિની રચના વિશેષરૂપે છે એમ પ્રતિપાદન કર્યું છે. અન્ય સ્થળે એકેન્દ્રિયોને જે સેવાર્તા સંઘયણ કહ્યું છે તેનું ટીકાકારે સમાધાન કર્યું છે કે “ઔદારિક શ૨ી૨ હોવાથી ઉપચારથી આ કહેલું જાણવું, પણ વાસ્તવિક ન સમજવું. જો સંઘયણ શક્તિવિશેષ હોત તો દેવો અને નૈરયિકોને સંઘયણ કહ્યું હોત. અને તેઓ તો સૂત્રમાં સાક્ષાત્ સંઘયણ રહિત કહ્યા છે. એમ ઉત્સૂત્રના પ્રરુપકની ચેષ્ટાઓ સંબન્ધે વિશેષ કહેવાની જરુર નથી. તે અસ્થિની રચના વિશેષ ઔદારિક શરીરને વિષેજ હોય છે, બીજા શરીરોમાં હોતી નથી, કારણ કે અસ્થિરહિત છે. તે સંઘયણ છ પ્રકારે છે–જેમકે વજ્રૠષભનારાચ, ૠષભનારાચ, નારાચ, અર્ધનારાચ, કીલિકા અને સેવાર્ત. તેમાં વજ—ખીલી. ઋષભ-વીંટવાનો પાટો અને નારાચ–બન્ને તરફ મર્કટબંધ. કહ્યું છે કે—
"रिसहो य होइ पट्टो वज्जं पुण कीलिया मुणेयव्वा । उभओ मक्कडबंधो नारायं तं वियाणाहि "॥
ઋષભ એટલે પાટો અને વજ્ર એટલે ખીલી જાણવી. તથા બન્ને તરફ મર્કટબન્ધ તેને નારાચ જાણવો. તેથી બે અસ્થિ મર્કટબન્ધથી બન્ધાયેલા હોય અને તેના ઉપર પાટાની આકૃતિવાળું ત્રીજું અસ્થિ વીંટાયેલું હોય અને ત્રણ અસ્થિને ભેદનાર વજ– ખીલી નામે અસ્થિ જેને વિષે હોય તે વજૠષભનારાચ. જે કિલિકા રહિત હોય તે ઋષભનારાચ જ્યાં અસ્થિઓનો મર્કટબન્ધજ કેવળ હોય તે નારાચસંહનન. જ્યાં એક તરફ કેવળ મર્કટબંધ હોય અને બીજી બાજુએ કીલિકા-ખીલી હોય તે અર્ધનારાચ સંહનન. જ્યાં અસ્થિઓ કેવળ કીલિકા-ખીલી વડેજ બંધાયેલા હોય તે કીલિકા સંઘયણ. જ્યાં અસ્થિઓ એક બીજાના છેડાને સ્પર્શ ક૨વા રૂપ સેવાને પ્રાપ્ત થયેલાં હોય, અથવા હમેશાં તૈલાદિ સ્નેહના મર્દનાદિરૂપ સેવાની અપેક્ષા રાખે તે સેવાર્તાસંહનન. એનું કારણભૂત સંઘયણનામ કર્મ પણ છ પ્રકા૨ે છે. જેમ ક–વજૠષભનારાચ સંઘયણનામ, ૠષભનારાચ સંઘયણનામ, નારાચ સંઘયણનામ, અર્ધનારાચ સંઘયણનામ, કીલિકા સંઘયણનામ, અને સેવાર્ત સંઘયણનામ. તેમાં જેના ઉદયથી વજૠષભનારાચ સંઘયણ હોય તે વજૠષભનારાચ સંઘયણનામ. એ પ્રમાણે બાકીના સંઘયણ નામ કર્મ સંબન્ધે પણ જાણવું. તથા ‘સંસ્થાન’— આકારવિશેષ, ગ્રહણ કરેલાં, જત્થારૂપે કરાયેલા અને બાંધેલા તે ઔદારિકાદિ પુદ્ગલોને વિષે જે કર્મના ઉદયથી સંસ્થાન-આકાર વિશેષ થાય તે સંસ્થાનનામ. તેના છ પ્રકા૨ છે. જેમ કે સમચતુરસ્રસંસ્થાન નામ, ન્યગ્રોધપરિમંડલ સંસ્થાનનામ, સાદિસંસ્થાનનામ, વામનસંસ્થાનનામ, કુબ્જસંસ્થાનનામ, અને હુડકસંસ્થાનનામ. તેમાં જે કર્મના ઉદયથી પ્રાણીઓને સમચતુસ્ર સંસ્થાન થાય તે સમચતુસ્રસંસ્થાન નામ. જે કર્મના ઉદયથી ન્યગ્રોધપરિમંડલસંસ્થાન ઉપજે તે ન્યગ્રોધપરિમંડલ સંસ્થાનનામ, એ પ્રમાણે બાકીના સંસ્થાનો જાણી લેવા. ‘વŻતે અનેનેતિ વળે:' જે વડે શરીર સુશોભિત થાય તે વર્ણ, તેના પાંચ પ્રકાર છે—શ્વેત, પીત–પીળો, રક્ત–રાતો, નીલ–લીલો, અને કૃષ્ણ-કાળો. તેનું કારણ નામકર્મ પણ પાંચ પ્રકારનું છે જેમ કે શ્વેતવર્ણનામ, પીતવર્ણનામ, રક્તવર્ણનામ, નીલવર્ણનામ અને કૃષ્ણવર્ણનામ. તેમાં જેના ઉદયથી પ્રાણીઓના શ૨ી૨ને વિષે બગલાની પેઠે શ્વેતવર્ણ થાય તે શ્વેતવર્ણનામ. એમ બાકીના વર્ણનામો પણ જાણી લેવા. ગન્ધ્યતેઞપ્રાયતે–જે સુંઘાય તે ગન્ધ. તેના બે પ્રકાર છે—સુરભિગન્ધ અને દુરભિગન્ધ. તેનું કારણ ગન્ધનામ પણ બે પ્રકારનું છે. જેમ કે સુરભિગન્ધનામ અને દુરભિગન્ધનામ. જેના ઉદયથી પ્રાણીઓના શરીરને વિષે કમલ માલતીપુષ્પ વગેરેની પેઠે સુરભિગન્ધ ઉત્પન્ન થાય તે સુરભિગન્ધનામ. જેના ઉદયથી પ્રાણીઓના શરીરમાં લસણ વગેરેની જેમ દુરભિગન્ધ ઉત્પન્ન થાય તે દુરભિગન્ધનામ. રસ્યતે-માસ્વાદ્યતે–જેનો આસ્વાદ કરાય તે રસ. તિક્ત–તીખો, કટુક–કડવો, કષાયતુરો, અમ્લ-ખાટો અને મધુર-મીઠો-એમ પાંચ પ્રકારનો છે. તેનું કારણ રસનામ પણ પાંચ પ્રકારે છે. જેમ કે તિક્તનામ, કટુનામ, કષાયનામ,અમ્લનામ અને મધુરનામ. તેમાં જેના ઉદયથી પ્રાણીઓના શરીરને વિષે મરી વગેરેની પેઠે તીખો १ सूरनेरइया “ छण्हं संघयणाणं असंघयणी" । जीवाभिगम.सू. ३२ प. ३३-१
217