________________
तेविसइमं कम्मपयडीपयं पद पढमो उद्देसो अत्थाहिगारा कहबंधति दारं
દ્વાર કહેવામાં આવ્યું. ૧/૫૯૯॥
श्री प्रज्ञापना सूत्र भाग २
વંપત્તિ વારં ||
|| कहणं भंते! जीवे अट्ठ कम्मपगडीओ बन्धति ? गोयमा ! णाणावरणिज्जस्स कम्मस्स उदएणं दरिसणावरणिज्जं कम्मं नियच्छति, दरिसणावरणिज्जस्स कम्मस्स उदरणं दंसणमोहणिज्जं कम्मं नियच्छति, दंसणमोहणिज्जस्स कम्मस्स उदएणं मिच्छत्तं नियच्छति, मिच्छत्तेणं उदिण्णेणं' गोयमा ! एवं खलु जीवो अट्ठ कम्मपगडीओ बन्धइ ! कहणं भंते! नेरइए अट्ठ कम्मपगडीओ बन्धति । गोयमा ! एवं चेव, एवं जाव वेमाणिए । कहण्णं भंते! जीवा अट्ठ જન્મપાડીઓ વન્ધતિ? ગોયમા! વં ચેવ, નાવ વેમાળિયા સૢ૦-૨||૬૦૦||
(મૂળ) હે ભગવન્! જીવ કેવી રીતે આઠ કર્મપ્રકૃતિઓ બાંધે છે? હે ગૌતમ! જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી દર્શનાવરણીય કર્મનો
ઉદય થાય છે. દર્શનાવરણીય કર્મના ઉદયથી દર્શનમોહનીય કર્મનો ઉદય થાય છે, દર્શનમોહનીય કર્મના ઉદયથી મિથ્યાત્વનો ઉદય થાય છે અને મિથ્યાત્વના ઉદયથી હે ગૌતમ! એ પ્રમાણે ખરેખર જીવ આઠ કર્મ પ્રકૃતિઓ બાંધે છે. હે ભગવન્!નૈરયિક આઠ કર્મપ્રકૃતિઓ કેમ બાંધે? હે ગૌતમ! એમજ જાણવું. એ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું. હે ભગવન્! જીવો આઠ કર્મપ્રકૃતિઓ કેમ બાંધે? એમજ બાંધે છે. એ પ્રમાણે યાવત્ વૈમાનિકો સુધી જાણવું. IR IIFColl
(ટી૦) હવે એ આઠ પ્રકૃતિઓ કેવી રીતે બાંધે–એ બીજાદ્વારનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર કહે છે—હં ખં મંતે'! ઇત્યાદિ. હે ભગવન્! ë–કયા પ્રકારે જીવ આઠ કર્મ પ્રકૃતિઓ બાંધે? ભગવાન્ ઉત્તર આપે છે–ગૌતમ! જ્ઞાનાવરણીયના કર્મના ઉદય વડે દર્શનાવરણ કર્મ ‘નિયતિ'–નિશ્ચિત-અવશ્ય નિર્ગઋતિ-પ્રાપ્ત થાય છે; એટલે તે વિશિષ્ટ ઉદ્દયને પ્રાપ્ત થાય છે. તાત્પર્ય એ છે કે ઉત્કૃષ્ટ જ્ઞાનાવરણીય કર્મને ઉદય વડે અનુભવ કરતો દર્શનાવરણીય કર્મને ઉદય વડે વેદે છે. કારણ કે જેઓનું અન્તઃકરણ કુશાન વડે વાસિત છે એવા શૂન્યવાદી પ્રમુખ અન્યતીર્થિકો વિપરીત દૃષ્ટિવાળા જણાય છે.દર્શનાવરણીયકર્મના ઉદય વડે દર્શનમોહનીયકર્મ ‘નિÎતિ'વિપાકાવસ્થારૂપ ઉદય વડે પ્રાપ્ત થાય છે. તે દર્શનમોહનીયકર્મના ઉદયવડેમિથ્યાત્વનો ઉદય થાય છે. અને તેથી તે અતત્ત્વને તત્ત્વરૂપે અને તત્ત્વને અતત્ત્વરૂપે માને છે. મિથ્યાત્વના ઉદયથી જીવ આઠે કર્મપ્રકૃતિઓ બાંધે છે. ‘હજુ’ શબ્દ પ્રાયોવૃત્તિ બતાવવા માટે છે. એટલે ઉપર કહ્યા પ્રમાણે પ્રાયઃ જાણવું. જો એમ ન હોય તો કોઇ સમ્યગ્દષ્ટિ પણ આઠે કર્મ પ્રકૃતિઓ બાંધે છે, અને કોઇ સમ્યગ્દષ્ટિ બાંધતા પણ નથી. જેમકે સૂક્ષ્મસંપરાયાદિ ગુણસ્થાનકવર્તી જીવ કોઇપણ કર્મનો બંધ કરતો નથી, પણ તે પ્રકાર અહીં કહ્યો નથી. અહીં તાત્પર્યાર્થ આ છે—પૂર્વ કર્મના પરિણામના સામર્થ્યથી ઉત્તર કર્મ બંધાય છે. એ સંબંધે કહ્યું છે કે—
" जीवपरिणामहेऊ कम्मत्ता पोग्गला परिणमंति । पुग्गलकम्मनिमित्तं जीवो वि तहेव परिणमइ" ॥
જીવના પરિણામરૂપ નિમિત્તથી પુદ્ગલો કર્મપણે પરિણમે છે, અને પુદ્ગલ કર્મના નિમિત્તે જીવ પણ તે પ્રમાણે પરિણમે છે, ઉપર કહેલા અર્થનું ચોવીશ દંડકના ક્રમથી નિરૂપણ કરે છે—‘હાં મંતે! ગેરપ્’-હે ભગવન્!નૈરયિક કયા પ્રકારે આઠ કર્મનો બંધ કરે? ઇત્યાદિ પાઠ સુગમ છે. એમ એકવચન વડે દંડક કહ્યો. હવે બહુવચનવડે દંડક કહે છે—‘દાં મંતે નીવા’-હે ભગવન્! જીવો કયા પ્રકારે આઠ કર્મનો બંધ કરે? ઇત્યાદિ પાઠસિદ્ધ છે. એમ બીજું દ્વાર કહ્યું.
૨II૬૦૦
૧ અહીં ટીકાકારનું તાત્પર્ય એ છે કે શાનાવરણીય કર્મના ઉદય સાથે નિયત દર્શનાવરણ કર્મનો ઉદય હોય છે. દર્શનાવરણના ઉદયની સાથે દર્શનમોહનીયનો નિયત ઉદય હોય છે, દર્શનમોહનીયકર્મના ઉદય વડે મિથ્યાત્વનો નિયત ઉદય હોય છે. અને મિથ્યાત્વનો ઉદય એ આઠે કર્મબન્ધનો હેતુ છે. અને મિથ્યાત્વના ઉદયનું કારણ દર્શનમોહનીય અને દર્શનમોહનીયના ઉદયનું કારણ શાનાવરણ-દર્શનાવરણ કર્મ છે. જેનો વિશેષાવબોધ વિપરીત હોય છે તેનો સામાન્ય અવબોધ પણ વિપરીત હોય છે. વિશેષાવબોધ અને સામાન્ય અવબોધના વિપર્યયથી દર્શનમોહનીયનો ઉદય થાય છે એટલે કે દર્શનમોહનીયના ઉદયમાં વિપરીત સામાન્યાવબોધ અને સામાન્યાવબોધના વિપર્યયમાં વિપરીત વિશેષાવબોધ હેતુ છે—કારણભૂત છે. લોકમાં પણ એમ જ જણાય છે કે કુશાનવાસિત અન્તઃક૨ણવાળાને દર્શનમોહનીયનો ઉદય છે અને તેથી તેને જિનોક્ત તત્ત્વની રુચિ થતી નથી.
197