________________
तेविसइमं कम्मपयडीपयं पद पढमो उद्देसो अत्थाहिगारा कतिठाणबंध दारं
||તિવાળબંધ વાર ||
=
वे भंते! णाणावणिज्जं कम्मं कतिहिं ठाणेहिं बंधति ? गोयमा ! दोहिं ठाणेहिं, तं जहा - रागेण य दोसेण य । रागे दुविपन्नत्ते, तं जहा - माया य लोभे य। दोसे दुविहे पन्नत्ते, तं जहा- कोहे य माणे य, इच्चेतेहिं चउहिं ठाणेहिं विरियोवग्गहिएहिं एवं खलु जीवे णाणावरणिज्जं कम्मं बन्धति, एवं णेरइए जाव वेमाणिए । जीवा णं भंते! णाणावर णिज्जं कम्मं कतिहिं ठाणेहिं बन्धन्ति ? गोयमा ! दोहिं ठाणेहिं एवं चेव, एवं णेरइया जाव वेमाणिया । एवं दंसणावरणिज्जं जाव अंतराइयं, एवं एते एगत्त- पोहत्तिया सोलस दंडगा । | सू० - ३ । । ६०१ ।।
(મૂળ) હે ભગવન્! જીવ કેટલા સ્થાનો વડે જ્ઞાનાવરણીય કર્મ બાંધે? હે ગૌતમ! બે સ્થાન વડે બાંધે. તે આ પ્રમાણે–રાગથી અને દ્વેષથી. રાગના બે પ્રકાર છે. તે આ પ્રમાણે–માયા અને લોભ. દ્વેષના બે પ્રકાર છે, તે આ પ્રમાણે-ક્રોધ અને માન. વીર્ય વડે યુક્ત થઇ ચાર સ્થાનકો વડે આ પ્રમાણે જીવ ખરેખર જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. એમ નૈયિક યાવત્ વૈમાનિક સંબંધે જાણવું. હે ભગવન્! જીવો જ્ઞાનાવરણીય કર્મ કેટલા સ્થાનકો વડે બાંધે? હે ગૌતમ! બે સ્થાનકો વડે–બાંધે. ઇત્યાદિ એમજ જાણવું. એ પ્રમાણે નૈરયિકો યાવત્ વૈમાનિકો જાણવા. એમ દર્શનાવરણીય કર્મ યાવત્ અંતરાયકર્મ સંબંધે પણ જાણવું. એ પ્રમાણે એકવચન અને બહુવચનના સોળ દંડકો જાણવા. ૩૬૦૧॥
(ટી૦) હવે જીવ કેટલા સ્થાનો વડે કર્મ બાંધે છ—એ ત્રીજું દ્વાર કહે છે–‘નીવે ખં મંñ!' ઇત્યાદિ. હે ભગવન્! જીવ કેટલા સ્થાને જ્ઞાનાવરણીય કર્મ બાંધે? એ પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવાન્ ઉત્તર આપે છે—બે સ્થાનો વડે બાંધે છે. તે સ્થાનો નામના કથનપૂર્વક જણાવે છે—રાગ અને દ્વેષ વડે. આ રાગ અને દ્વેષનું સ્વરૂપ કેવું છે? ઉત્તર—રાગ પ્રીતિલક્ષણ છે અને અપ્રીતિરૂપ દ્વેષ છે. પ્રીતિ અને અપ્રીતિ રૂપ રાગદ્વેષ ક્રોધાદિથી અત્યંત ભિન્ન નથી, પરન્તુ તેઓનો તેમાં જ અન્તર્ભાવ થાય છે. અને તે અન્તર્ભાવ નયભેદથી વિચિત્ર છે. માટે શિષ્ય ઉપર ઉપકાર કરવા અહીં બતાવે છે—તેમાં સંગ્રહ નય માને છે કે ક્રોધ અપ્રીતિરૂપ પ્રસિદ્ધ જ છે. માન પણ બીજાના ગુણને નહિ સહન કરવારૂપ હોવાથી અપ્રીતિરૂપ છે. તેથી એ બન્ને અપ્રીતિરૂપ હોવાથી દ્વેષ છે, લોભ આસક્તિરૂપ હોવાથી પ્રીતિરૂપ સુપ્રસિદ્ધ છે. કોઇ વસ્તુની અભિલાષા કરતો મનુષ્ય બીજાને છેતરવારૂપ માયાને પણ આચરે છે. અને અભિલાષ પ્રીતિસ્વભાવવાળો છે માટે માયા પણ પ્રીતિરૂપ છે. તેથી એ બન્ને માયા અને લોભ પ્રીતિરૂપ હોવાથી રાગરૂપ છે. કહ્યું છે કે
"कोहं माणं चापीइजाइतो वेइ सङ्गहो दोसं । मायाए लोभेण य स पीइसामण्णतो रागं " ॥
श्री प्रज्ञापना सूत्र भाग २
સંગ્રહ નય ક્રોધ અને માનને અપ્રીતિની જાતિ હોવાથી દ્વેષ કહે છે અને માયા અને લોભની સાથે પ્રીતિનું સમાનપણું હોવાથી તેને રાગ કહે છે. અહીં ગાથાના ઉત્તરાર્ધની અક્ષરયોજના આ પ્રમાણે છે—માયા અને લોભની સાથે પ્રીતિજાતિનું સમાનપણું હોવાથી એટલે સમાન પ્રીતિની જાતિ હોવાથી સંગ્રહ નય બન્નેને–માયા અને લોભને રાગ કહે છે.
પુનઃ એ સંબંધે વ્યવહા૨ નય કહે છે—માયાનો ઉપયોગ બીજાનો ઉપઘાત કરવા માટે થાય છે, અને બીજાના ઉપઘાતનો પરિણામ દ્વેષરૂપ છે માટે માયાનો પણ દ્વેષમાં અન્તર્ભાવ થાય છે. અને જે ન્યાયપૂર્વક ઉપાર્જન કરવા વડે અર્થને વિષે મૂર્છાઆસક્તિ થવી તે બીજાના ઉપઘાત કરવાના પરિણામથી રહિત શુદ્ધ લોભ એ રાગ છે. એ પ્રમાણે વ્યવહાર નયના મતથી આવી રીતે વસ્તુની વ્યવસ્થા છે. ક્રોધ, માન અને માયા દ્વેષરૂપ છે અને લોભ રાગરૂપ છે. તે સંબંધે કહે છે કે
“मायंपि दोसमिच्छइ ववहारो जं परोवघाया य । नायोवायाणे च्चिय मुच्छा लोभेत्ति तो रागो" ॥
વ્યવહા૨ નય માયાને પણ દ્વેષ માને છે, કારણ કે માયા બીજાને ઉપઘાત કરવા માટે છે. અને ન્યાયપૂર્વક ઉપાર્જન કરેલા અર્થમાં મૂર્છા તે લોભ છે અને તેથી તે રાગરૂપ છે, અહીં ૠજુસૂત્ર નય કહે છે—ન્ક્રોધ અવશ્ય અપ્રીતિરૂપ છે અને તેથી તે બીજાને ઉપઘાત કરવારૂપ હોવાથી દ્વેષ કહેવાય છે. અને જે માન, માયા અને લોભ છે તે બે પ્રકારના સંભવે છે—પ્રીતિરૂપ અને અપ્રીતિરૂપ. તે આ પ્રમાણેમાન સ્વાભિમાનના ઉપયોગ સમયે સ્વગુણના બહુમાનપણાથી પ્રીતિસ્વરૂપ છે અને પરગુણના દ્વેષના ઉપયોગવેળા
198