________________
तेविसइमं कम्मपयडीपयं पद पढमो उद्देसो अत्थाहिगारा कतिठाणबंध दारं श्री प्रज्ञापना सूत्र भाग २ માર્યાદિ હોવાથી અપ્રીતિરૂપ છે. માયા પણ બીજાને છેતરવાનો ઉપયોગ હોય ત્યારે પરને ઉપઘાત કરવારૂપ હોવાથી
અપ્રીતિરૂપ છે. અને બીજાના દ્રવ્યને ગ્રહણ કરવાના વિચારમાં આસક્તિરૂપ હોવાથી પ્રીતિરૂપ છે. લોભ પણ ક્ષત્રિયાદિ સંબંધ વિચાર કરતા પ્રીતિ અને અપ્રીતિરૂપ સુપ્રસિદ્ધ છે. જેમકે ક્ષત્રિયો એમ માને છે કે બીજાનો દેશ લઈ લેવો તે અમારો ન્યાય-ધર્મ છે, કારણ કે ‘વીરોથા વસુંધરા'-વસુંધરા વીર પુરુષોવડે ઉપભોગ કરવા યોગ્ય છે એવો ન્યાય છે. તેથી જ્યારે બીજાનો દેશલેવા માટે તેના ઉપર અત્યંત હુમલો કરે ત્યારે તે અપ્રીતિરૂપ છે, કારણ કે તે બીજાને ઉપઘાત કરવારૂપ છે, જ્યારે બીજાના દેશને ગ્રહણ કરવાની ઇચ્છા થાય ત્યારે તે આસક્તિરૂપ હોવાથી પ્રીતિરૂપ છે. તેથી માન, માયા અને લોભ પ્રીતિ અને અપ્રીતિરૂપે બન્ને પ્રકારના વેદાય છે. જ્યારે પ્રીતિનો ઉપયોગ હોય ત્યારે અપ્રીતિનો ઉપયોગ હોતો નથી અને જ્યારે અપ્રીતિનો ઉપયોગ હોય ત્યારે પ્રીતિનો ઉપયોગ હોતો નથી, કારણ કે એક સમયે બે ઉપયોગ હોતા નથી. તેથી માન માયા અને લોભ પ્રીતિના ઉપયોગકાળે રાગ અને અપ્રીતિના ઉપયોગકાળે દ્વેષરૂપ છે. કહ્યું છે કે
"उज्जुसुयमयं कोहो दोसो सेसाणमयमणेगंतो । रागो त्ति दोसो त्ति य परिणामवसेण उ विसेसो ॥ माणो रागो त्ति मओ साहंकारोवओगकालंमि । सो चेव होइ दोसो परगुणदोसोवयोमम्मि ॥
मायालोभा चेवं परोवघाओवओगतो दोसो। मुच्छोवओगकाले रागोऽभिस्संगलिंगोत्तिं ॥" .
જુસૂત્રનયનો મત એ છે કે ક્રોધ દ્વેષરૂપ છે અને બાકીના કષાયો માટે અનેકાન્ત છે પરિણામના વશથી રાગરૂપ અને લેષરૂપ એ વિશેષ છે. સ્વાભિમાનના ઉપયોગકાલે માન રાગરૂપ છે અને પરગણના દ્વેષના ઉપયોગ સમયે દ્વેષરૂપ છે. માયા અને લોભ બીજાને ઉપઘાત કરવાના ઉપયોગકાળે દ્વેષરૂપ છે અને મૂચ્છના ઉપયોગ સમયે આસક્તિના ચિહ્નથકી રાગરૂપ છે. શબ્દાદિ ત્રણે નયો આ પ્રમાણે કહે છે અહીં ક્રોધ અને લોભ એ બે જ કષાયો છે. જે માન અને માયા છે તેનો ક્રોધ અને લોભમાં સમાવેશ થાય છે. તે આ પ્રમાણે માન અને માયામાં જે બીજાને ઉપઘાત કરવાના હેતભૂત જે અધ્યવસાયો છે તે અપ્રીતિરૂપ હોવાથી ક્રોધ છે અને જે સ્વગુણના ઉત્કર્ષરૂપ અને પરદ્રવ્યની મૂચ્છરૂપ અધ્યવસાયો છે તે લોભ છે, કારણ કે તે આસક્તિરૂપ છે. લોભ પણ લોકપ્રસિદ્ધ બે પ્રકારનો છે–પરને ઉપઘાત કરવારૂપ લોભ છે તે ક્ષત્રિયોને બીજાના રાષ્ટ્રનું અપહરણ કરવામાં હોય છે અને મૂછત્મક લોભ ન્યાયથી ઉપાર્જન કરેલા પોતાના દ્રવ્યમાં હોય છે. તેમાં જે પરને ઉપઘાત કરવારૂપ અધ્યવસાય છે તે ક્રોધ છે અને બધા પ્રકારનો ક્રોધ અપ્રીતિરૂપ હોવાથી તેનો પૂર્વોક્ત સ્વરૂપવાળા દ્વેષમાં સમાવેશ થાય છે અને કેવળ મૂચ્છરૂપ અધ્યવસાય તે લોભ છે અને તે રાગરૂપ છે. એ સંબંધે કહ્યું છે કે
"सद्दाइमयं माणे मायाए य सगुणोवरागा य । उपओगो लोहो च्चिय जतो स तत्थेव उवरद्धो॥ सेसंसा कोहो च्चिय सपरीवघाइयमइओ त्ति तो दोसो । तल्लक्खणो य लोभो अह मुच्छा केवलो रागी" ॥
શબ્દાદિનયોનો અભિપ્રાય છે કે માન અને માયામાં સ્વગુણના રાગથી જે ઉપયોગ પ્રવર્તે છે તે લોભરૂપ જ છે. કારણ કે તે તેમાં જ રંગાયેલો છે. બાકીના અંશો સ્વપરના ઉપઘાતની બુદ્ધિથી થયેલા હોવાથી ક્રોધરૂપ જ છે અને ઉપઘાત સ્વભાવવાળો લોભ દ્વેષ છે અને મૂછત્મક લોભ કેવળ રાગરૂપ છે. તેમાં સંગ્રહ નયના મતથી કહે છે કે વિદે પumત્તે –રાગ બે પ્રકારનો કહ્યો છે-ઇત્યાદિ સુગમ છે. કારણ કે તેનો વિચાર હમણાં જ કરવામાં આવ્યો છે. હવે ઉપસંહાર કરે છે ‘રૂવૅહિં વહિં ટાળેદિ' ઇત્યાદિ. એ પ્રમાણે હમણા જ કહેલા વીકૃતૈિઃ 'વીર્યવડે ઉપગૃહિત-ઉપસ્થિત કરાયેલા એટલે જીવ વીર્યવડે સહિત એ ચાર સ્થાનકોએ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે.
હવે આ જ બાબતનો ચોવીશ દંડકના ક્રમથી વિચાર કરે છે–પર્વ જેરા ગાવ વેમાળા' એ પ્રમાણે નરયિક યાવત્ વૈમાનિક સંબંધે જાણવું-ઇત્યાદિ સુગમ છે. પરંતુ સૂત્રપાઠ આ પ્રમાણે છે નરણાં ! નાણાવરન્નેિ વí વહિં સાહિં વિંધ'હે ભગવન્! નૈરયિક જ્ઞાનાવરણીય કર્મ કેટલા સ્થાને બાંધે' ઇત્યાદિ. એ પ્રમાણે એકવચન વડે વિચાર કર્યો હવે બહુવચન
– 199