________________
तेविसइमं कम्मपयडीपयं पद पढमो उद्देसो अत्थाहिगारा कतिपयडी दारं
श्री प्रज्ञापना सूत्र भाग २ ।। तेविसइमं कम्मपयडीपयं पद ||
|| વઢનો ૩દેરો અત્યાદિરા IT 'कति पगडी 'कह बन्धति 'कइहि वि ठाणेहिं बन्धए जीवो। 'कति वेदेइ य पयडी 'अणुभावो कइविहो कस्स।।
| ઇતિચડી વાર ||. कति णं भंते! कम्मपगडीओ पण्णत्ताओ? गोयमा! अट्ठ कम्मपगडीओ पण्णत्ताओ। तंजहा--णाणावरणिज्ज १, दसणावरणिज्ज २,वेदणिज्नं ३, मोहणिज्जं ४, आउयं ५, णामं ६, गोयं ७, अंतराइयं ८। णेरइयाणं भंते कति कम्मपगडीओ पन्नत्ताओ? गोयमा! एवं चेव, एवं जाव वेमाणियाणं १ ।।सू०-१।।५९९।।
તેવીશમું કર્યપ્રકૃતિ પદ પ્રથમ ઉદ્દેશક (મૂ૦) ૧ કેટલી કર્મપ્રકૃતિઓ છે? ૨ જીવ કેવી રીતે બાંધે છે?૩ કેટલા સ્થાને બાંધે છે?૪ કેટલી પ્રકૃતિઓ વેદે છે? ૫ કયા કર્મનો
કેટલા પ્રકારનો અનુભાવ (વિપાક) છે? એટલા દ્વારા આ ઉદેશકમાં કહેવાના છે. હે ભગવન્! કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે? હે ગૌતમ! આઠ કર્મપ્રકૃતિઓ કહી છે. તે આ પ્રમાણે-૧ જ્ઞાનાવરણીય, ૨ દર્શનાવરણીય, ૩ વેદનીય, ૪ મોહનીય, પ આયુષ્ય, નામ, ૭ ગોત્ર ૮ અને અંતરાય. હે ભગવન્!નરયિકોને કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે? હે ગૌતમ! એ પ્રમાણે
(આઠ કર્મ પ્રકૃતિઓ) કહી છે. એમ વૈમાનિકો સુધી કહેવું. ////પ૯૯ll (ટી.) એ પ્રમાણે બાવીશમું ક્રિયાપદ કહ્યું. હવે તેવીશમાં પદનો પ્રારંભ થાય છે. એનો સંબન્ધ આ પ્રમાણે છે–અહિંપૂર્વના પદમાં નારકાદિ ગતિના પરિણામ વડે પરિણત થયેલા જીવોના પ્રાણાતિપાતાદિ ક્રિયાવિશેષનો વિચાર કર્યો, હવે તેઓના કર્મબન્ધાદિ પરિણામ વિશેષનો વિચાર કરવાનો છે. તેમાં પ્રથમ અધિકારોનું પ્રતિપાદન કરનારી આ દ્વાર ગાથા છ– પાડી' ઇત્યાદિ. કેટલી પ્રકૃતિઓ છે-ઇત્યાદિ સંબધે પ્રથમ અધિકાર, તથા કયા પ્રકારે તે પ્રકૃતિઓ બાંધે છે–એ વિષે બીજો અધિકાર, કેટલા સ્થાનોએ બાંધે છે-એ ત્રીજો અધિકાર, કેટલી પ્રકૃતિઓ વેદે છે-એ ચોથો અધિકાર, અને ક્યા કર્મનો કેટલા પ્રકારનો અનુભવવિપાક છે-એ પાંચમો અધિકાર. તેમા પ્રથમ અધિકારનું નિરુપણ કરવા માટે સૂત્રકાર કહે છે-“તિ નું અંતે વેમ્પાડીયો પત્તાગો'ઇતિ. ક્રિયાપદમાં કેટલી કર્મપ્રકૃતિઓ છે' એ કહેલું છે, તો અહીં શા માટે પ્રકૃતિઓની સંખ્યા સંબધે ફરીથી પ્રશ્ન કરે છે?વિશેષતા જણાવવા માટે આ પ્રશ્ન છે અને તે વિશેષતા આ પ્રમાણે છે–પૂર્વે જ્ઞાનાવરણીયાદિ કર્મ બાંધતો કેટલી ક્રિયાઓ વડે જોડાય છે–એમ કહ્યું છે, ક્રિયાઓ પ્રાણાતિપાતનું કારણ છે, પ્રાણાતિપાત જ્ઞાનાવરણીયાદિ કર્મબન્ધનું બાહ્ય કારણ છે અને કર્મબન્ધ કાર્ય છે. અહીં તો જ્ઞાનાવરણીય કર્મ જ કર્મબન્ધનું આન્સર કારણ છે–એ પ્રતિપાદન કરવાનું છે. અહીં ભગવદ્ ઉત્તર આપે છે—હે ગૌતમ! આઠ કર્મપ્રવૃતિઓ કહી છે. તેજપ્રકૃતિઓના નામનો ઉચ્ચાર કરીને દર્શાવે છે—જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય” ઇત્યાદિ. જ્ઞારે અન–જે વસ્ત જણાય-પરિચ્છેદ કરાય તે જ્ઞાન એટલે સામાન્ય વિશેષાત્મક વસ્તુમાં વિશેષને ગ્રહણ કરવારૂપ બોધ. ગાઝિયતે મને-જે વડે આચ્છાદન કરાય-ઢંકાય તે આવરણ. અહીં કરણના અર્થમાં ' મનીય' પ્રત્યય થયો છે. જ્ઞાનનું આચ્છાદન કરનાર કર્મતે જ્ઞાનાવરણીય. દૃશ્યતે નેન-જે વડે દેખાય તે દર્શન-સામાન્ય-વિશેષાત્મક વસ્તુમાં સામાન્યને ગ્રહણ કરવા રૂપ બોધ. કહ્યું છે કે
"जं सामन्नग्गहणं भावाणं नेव कटु आगारं । अविसेसिऊण अत्थे दंसणमिह वुच्चए समये" ||
ભાવ-પદાર્થોના આકાર સિવાય અર્થોની વિશેષતા ગ્રહણ કર્યા સિવાય સામાન્યનું ગ્રહણ કરવું તે સિદ્ધાન્તમાં દર્શન કહેવાય છે. તેનું આવરણભૂત કર્મ તે દર્શાનાવરણીય. વેદ્યતે યદ્જે સુખાદિ સ્વરૂપે વેદાય-અનુભવાય તે વેદનીય. અહીં કર્મ કારકના અર્થમાં ' મનીય'પ્રત્યય થયો છે. જો કે બધાં કર્મવેદાય છે તો પણ વેદનીય શબ્દ પંકજાદિ શબ્દની પેઠે રૂઢ-રૂઢિનો વિષય
195