________________
बावीसतिमं किरियापयं पावट्ठाणविरएसु जीवाईसु कम्मपगडिबंधपरूवणं
श्री प्रज्ञापना सूत्र भाग २ ઘણા સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા એકછ પ્રકૃતિઓ બાંધનાર અને ઘણા અબંધક હોય. ૩અથવા ઘણા સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા (એક) છ પ્રકૃતિઓ બાંધનાર અને અબંધક હોય. ૪ અથવા (ઘણા) સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા છ પ્રકૃતિઓ બાંધનારા અને અબંધક હોય. ૧ અથવા ઘણા સાત પ્રવૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા એક આઠ પ્રકૃતિઓ બાંધનાર એક છ પ્રકૃતિઓ બાંધનાર અને અબજૂક હોય. ૨ અથવા (ઘણા) સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા એક આઠ પ્રકૃતિઓ બાંધનાર એક છ પ્રકૃતિઓ બાંધનાર અને (ચણા) અબન્ધક હોય. ૩ અથવા (વણા) સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા (એક) આઠ પ્રકૃતિઓ બાંધનાર, (ઘણા) છ પ્રકૃતિઓ બાંધનારા અને (એક) અબજૂક હોય. ૪ અથવા (ઘણા) સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા (એક) આઠ પ્રકૃતિઓ બાંધનાર (ઘણા) છ પ્રકૃતિઓ બાંધનાર અને ઘણા અબજૂક હોય.૫ અથવા (ઘણા) સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા આઠ પ્રકૃતિઓ બાંધનારા (એક) છ પ્રકૃતિઓ બાંધનાર અને એક અબન્ધક હોય. ૬ અથવા (ઘણા) સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા આઠ પ્રકૃતિઓ બાંધનારા (એક) છ પ્રકૃતિઓ બાંધનાર અને ઘણા અબજૂક હોય. ૭ અથવા (ઘણા) સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા, આઠ પ્રકૃતિ બાંધનારા, છ પ્રકૃતિઓ બાંધનારા અને (એક) અબન્ધક હોય. ૮ અથવા (વણા) સાત પ્રકૃતિઓ બાંધનારા, એક પ્રકૃતિ બાંધનારા આઠ પ્રકૃતિઓ બાંધનારા છ પ્રકૃતિઓ બાંધનારા અને અબન્ધક હોય. એ પ્રમાણે એ આંઠ ભાંગાં થયાં. બધા મળીને સત્યાવિશ ભાંગા થાય છે. એમ મનુષ્યને પણ એજ સત્યાવીશ ભાંગા કહેવા. એ રીતે મૃષાવાદની વિરતિવાળા, યાવત્ માયામૃષાવાદની વિરતિવાળા જીવને અને મનુષ્યને જાણવું. હે ભગવન્! મિથ્યાદર્શનશલ્યની વિરતિવાળો જીવ કેટલી કર્મ પ્રવૃતિઓ બાંધે? હે ગૌતમ! સાત પ્રકૃતિઓ બાંધે, આઠ પ્રકૃતિઓ બાંધે, છ પ્રકૃતિઓ બાંધે, એક પ્રકૃતિ બાંધે અને અબંધક હોય. હે ભગવન!મિથ્યાદર્શન શલ્યની વિરતિવાળો નૈરયિક કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? હે ગૌતમ! સાત પ્રકૃતિઓ અને આઠ પ્રકૃતિઓ યાવત્ પંચેન્દ્રિય તિર્યંચ સુધી બાંધે. મનુષ્યને જીવની પેઠે બંધ જાણવો. વ્યત્તર, જ્યોતિષિક અને વૈમાનિકને નરયિકની પેઠે સમજવું મિથ્યાદર્શનશલ્યની વિરતિવાળા જીવો કેટલી કર્મપ્રવૃતિઓ બાંધે?હે ગૌતમ!તે (પૂર્વોક્ત) સત્યાવીશ ભાંગા કહેવા. મિથ્યાદર્શનશલ્યની વિરતિવાળા નરયિકો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? હે ગૌતમ! બધા ય જીવો સાત પ્રકૃતિઓ બાંધે. ૧ અથવા (ઘણા) સાત પ્રકૃતિઓ બાંધે અને (એક) આઠ પ્રકૃતિ બાંધે. ૨ અથવા (ઘણા) સાત પ્રકૃતિઓ બાંધે અને આઠ પ્રકૃતિઓ બાંધનારા હોય. એ પ્રમાણે યાવત્ વૈમાનિકો સુધી
જાણવું. પરન્તુ મનુષ્યને જીવની પેઠે સમજવું //૧૪ll૫૯૬/l (ટી) હવે પ્રાણાતિપાતની વિરતિવાળાને કર્મ બંધ થાય છે કે નથી થતો? થાય છે અને નથી પણ થતો. એજ બાબત પ્રશ્રના સૂત્રપૂર્વક કહે છે-“પાણાફવાયવરણ અંતે'-પ્રાણાતિપાતની વિરતિવાળો જીવ કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? ઇત્યાદિ સૂત્ર સુગમ છે. બહુવચનમાં પણ પ્રશ્નસૂત્ર સુગમ છે. ઉત્તર સૂત્રમાં ૧ બધાય જીવો સાત પ્રકૃતિના બાંધનારો અને એક પ્રકૃતિના બાંધનારા હોય. અહીં પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણ, અને અનિવૃત્તિબાદરસપરાય સાત પ્રકૃતિઓ બાંધે છે. તેમાં પ્રમત્ત અને અપ્રમત્ત આયુષ્યના બન્ધનકાળે આઠ પ્રકૃતિઓ બાંધે છે. કારણ કે તે આયુષ્યનો પણ બંધ કરે છે. અને આયુષ્યનો બન્ધ કદાચિત્ હોય છે, તેથી કોઇ કાળે સર્વથા પણ ન હોય માટે પ્રમત્ત અને અપ્રમત્ત હમેશાં ઘણા હોય છે. અપૂર્વકરણ અને અનિવૃત્તિનાદર કદાચિત્ ન પણ હોય. કારણ કે આગમમાં તેઓનો વિરહ પણ કહેલો છે. એક પ્રકૃતિ બાંધનારા ઉપશાન્તમોહ, ક્ષણમોહ અને સયોગી કેવલી છે, તેમાં ઉપશાન્તમોહ અને ક્ષીણમોહકદાચિત્ હોય અને કદાચિત ન હોય. કારણ તેઓનું અત્તર પણ સંભવે છે. સયોગી કેવલી હમેશાં હોય છે, કારણ કે તેઓ અન્ય અન્ય ક્ષેત્રમાં હોવાથી તેઓનો વિચ્છેદ થતો નથી. તેથી સાત પ્રકૃતિના બન્ધ કરનારા અને એક પ્રકૃતિના બંધ કરનારા ઘણા અવસ્થિત હોય છે. એમ આઠ પ્રકૃતિના બન્ધ કરનારા વગરેના અભાવમાં પ્રથમ ભંગ થાય છે. અથવા સાત પ્રકૃતિના બાંધનારા અને એક પ્રકૃતિના બાંધનારા ઘણા હોય છે અને એક આઠ પ્રકૃતિનો બાંધનાર હોય છે-એ બીજો ભંગ. આઠ પ્રકૃતિ બાંધનારા ઘણા હોય ત્યારે ત્રીજો ભાંગો. છ પ્રકૃતિના બંધ કરનારા પણ કદાચ હોય અને કદાચંન હોય, કારણ કે
191