________________
वीसइमं अंतकिरियापयं वीसइमंपयस्स भवियदव्वदेवउववायपरूवणं
श्री प्रज्ञापना सूत्र भाग २ सोहम्मे कप्पे, चरग-परिव्वायगाणं जहन्नेणं भवणवासीसु, उक्कोसेणं बंभलोए कप्पे, किब्बिसियाणं जहन्नेणं सोहम्मे कप्पे, उक्कोसेणं लंतए कप्पे, तिरिच्छियाणं जहन्नेणं भवणवासीसु, उक्कोसेणं सहस्सारे कप्पे, आजीवियाणंजहन्नेणं भवणवासीसु, उक्कोसेणं अच्चुए कप्पे,एवं आभिओगाण वि,सलिंगीणंदसणवावण्णगाणं जहन्नेणं भवणवासीसु, उक्कोसेणं उवरिमगेवेज्जएसुसू०-१२।।५६७।। (મૂળ) હે ભગવન્! દેવલોકમાં ઉત્પન્ન થતા અસંયત ભવ્ય-દેવલોકમાં ઉત્પન્ન થવાને યોગ્ય દ્રવ્યદેવો, અવિરાધિત સંયમવાળા
જેમણે સંયમની વિરાધના કરી નથી એવા, વિરાધિત સંયમવાળા-જેણે સંયમની વિરાધના કરી છે એવા, અવિરાજિત દેશવિરતિવાળા-જેણે દેશવિરતિની વિરાધના કરી નથી એવા, વિરાધિત દેશવિરતિવાળા-જેણે દેશવિરતિની વિરાધના કરી છે એવા, અસંશી, તાપસો, કાંદપિકો, ચરક-પરિવ્રાજકો, કિલ્બિષિકો, તિર્યંચો, આજીવકો, આભિયોગિકો અને દર્શનભ્રષ્ટ થયેલા-સમ્યગ્દર્શનરહિત સ્વલિંગીઓમાં કોનો ક્યાં ઉપપાત કહ્યો છે? હે ગૌતમ! અસંયત ભવ્ય દ્રવ્યદેવોનો જઘન્યથી ભવનવાસીમાં અને ઉત્કૃષ્ટ ઉપરના રૈવેયકોમાં અવિરાધિત સંયમવાળાનો જઘન્યથી સૌધર્મ કલ્પમાં અને ઉત્કૃષ્ટથી સવથિસિદ્ધમાં, વિરાધિત સંયમવાળાનો જઘન્યથી ભવનવાસીમાં અને ઉત્કૃષ્ટથી સૌધર્મ કલ્પમાં, અવિરાધિત દેશવિરતિવાળાનો જઘન્યથી સૌધર્મ કલ્પમાં અને ઉત્કૃષ્ટથી અશ્રુત કલ્પમાં, વિરાધિત દેશવિરતિવાળાનો જઘન્યથી ભવનવાસીમાં અને ઉત્કૃષ્ટથી જ્યોતિષિકોમાં, અસંશીઓનો જઘન્યથી વ્યસ્તરોમાં અને ઉત્કૃષ્ટથી ભવનવાસીમાં, તાપસોનો જઘન્યથી ભવનવાસીમાં અને ઉત્કૃષ્ટથી જ્યોતિષિકોમાં, કાંદપિંકોનો જઘન્યથી ભવનવાસીમાં અને ઉત્કૃષ્ટથી સૌધર્મ કલ્પમાં, ચરક-પરિવ્રાજકોનો જઘન્યથી ભવનવાસીમાં અને ઉત્કૃષ્ટથી બ્રહ્મદેવલોકમાં, કિલ્બિષિકોનો જઘન્યથી સૌધર્મ કલ્યમાં અને ઉત્કૃષ્ટથી લાંતક કલ્પમાં, તિર્યંચોનો જઘન્યથી ભવનવાસીમાં અને ઉત્કૃષ્ટથી સહસ્ત્રાર કલ્યમાં, આજીવકોનો જઘન્યથી ભવનવાસીમાં અને ઉત્કૃષ્ટથી અશ્રુત કલ્પમાં અને એ પ્રમાણે આભિયોગિકોનો પણ જાણવો. દર્શનથી ભ્રષ્ટ થયેલા–સમ્યગ્દર્શન રહિત સ્વલિંગીઓનો જઘન્યથી ભવનવાસીઓમાં અને ઉત્કૃષ્ટથી ઉપરના રૈવેયકોમાં
ઉપપાત કહ્યો છે. I/૧૨//પ૬૭ll (ટી.) હવે ઉપપાત સંબધે કાંઇક વિશેષ કહેવાનું છે તે સૂત્રકાર કહે છે—'સદ અંતે!' ઇત્યાદિ. અથ' શબ્દ પ્રશ્ન અર્થમાં છે. “અસંવમવિયળદેવા' ઇતિ–અસંયત-ચારિત્રના પરિણામ રહિત, ભવ્ય-દેવપણાને યોગ્ય અને એ જ હેતથી દ્રવ્યદેવો–એટલે ચારિત્રના પરિણામરહિત, મિથ્યાદૃષ્ટિ દેવોમાં ઉત્પન્ન થવાને યોગ્ય તે અસંયત ભવ્ય દ્રવ્યદેવો. તેમાં કેટલાએક આચાર્યો કહે છે કે–એઓ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગ્રહણ કરવા, કારણ કે તેઓની દેવોમાં ઉત્પત્તિ થાય છે. એ સંબધે આગમમાં કહ્યું છે કે—“મવ્યયમહત્રહ ય વાતાવો]નક્ઝરી ચા કેવાસથે નિબંધ સમ્પલી ય નો નીવો' જે સમ્યગ્દષ્ટિ જીવ છે તે અણુવ્રત અને મહાવ્રત વડે તથા બાલ તપ અને અકામનિર્જરા વડે દેવનું આયુષ્ય બાંધે છે. તે અયુક્ત છે, કારણ કે અસંયતભવ્યદ્રવ્ય દેવોનો ઉપપાત ઉત્કૃષ્ટથી ઉપરના રૈવેયકમાં હમણાં કહેશે અને સમ્યગ્દષ્ટિદેશવિરતિ હોય તો પણ એઓની ત્યાં ઉત્પત્તિ થતી નથી, કારણ કે દેશવિરતિ શ્રાવકો પણ અચુત દેવલોકથી ઉપર ઉપજતા નથી. એ નિહ્નવો પણ ન સમજવા, કારણ કે તેઓને અહીં જુદા કહેલા છે. માટે મિથ્યાદૃષ્ટિ અભવ્ય કે ભવ્ય શ્રમણના ગુણને ધારણ કરનારા સર્વ સામાચારી અને ક્રિયા યુક્ત દ્રવ્ય લિંગ-બાહ્ય વેષને ધારણ કરનારા અસંયત ભવ્ય દ્રવ્ય દેવો જાણવા. તેઓ પણ કેવળ ક્રિયાના પ્રભાવથી ઉપરના રૈવેયકમાં ઉત્પન્ન થાય છે. વળી તેઓ અસંયત છે. કારણ કે અનુષ્ઠાન-ક્રિયાનું પાલન કરવા છતાં પણ ચારિત્રના પરિણામ શુન્ય છે. તેઓનો ‘વિરહિયાંના'-દીક્ષાના સમયથી આરંભી જેનો ચારિત્રપરિણામ અભગ્ન૧. અસંશીઓ માટે મૂળમાં જે વિધાન છે તેમાં ભાષાંતર કરનારે ?” પ્રશ્નચિહ્ન મૂકીને અર્થમાં સુધારો કરેલ છે. મહાવીર વિદ્યાલય તરફથી
છપાયેલ પન્નવણા સૂત્રના મૂળમાં તો ઉપરનો જ પાઠ આપેલ છે. ટીકામાં પણ આના વિષયમાં કોઈ ઉલ્લેખ કરેલ નથી.
125