________________
इगवीसमं सरीरपयं आहारगसरीरे पमाणदारं
श्री प्रज्ञापना सूत्र भांग २ કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યને આહારક શરીર હોય, પણ અપ્રમત સંયત પર્યાપ્ત સમ્યગ્દષ્ટિ કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યને આહારક શરીર ન હોય. જો પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યને આહારક શરીર છે તો શું ઋદ્ધિપ્રાપ્ત પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યને આહારક શરીર હોય કે ઋદ્ધિને અપ્રાપ્ત પ્રમત્તસંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યને આહારક શરીર હોય? હે ગૌતમ! ઋદ્ધિપ્રાપ્ત પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યને આહારક શરીર હોય, પણ ઋદ્ધિને અપ્રાપ્ત પ્રમત્તસંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતાયુદ્ધ કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યને આહારક શરીર ન હોય. હે ભગવન્! આહારક શરીર કેવા પ્રકારના સંસ્થાનવાળું છે? હે ગૌતમ! એક સમચતુરસ સંસ્થાનવાળું છે. હે ભગવન્! આહારક શરીરની કેટલી મોટી શરીરવગાહના છે? હે ગૌતમ! જઘન્યથી કાંઈક ન્યૂન એક હાથ અને ઉત્કૃષ્ટ સંપૂર્ણ એક હાથ હોય
છે. ll૮પ૭૬/. (ટી) એ પ્રમાણે વૈક્રિય શરીરનું પણ વિધિ-પ્રકાર, સંસ્થાન અને પ્રમાણ કહ્યું, હવે આહારક શરીરના પ્રકારાદિ પ્રતિપાદન . કરવાની ઇચ્છાવાળા આચાર્ય કહે છે- બાહસિરીરે અંતે ! વિદે પત્તે' હે ભગવન્ ! આહારક શરીર કેટલા પ્રકારે છે? ઇત્યાદિ સુગમ છે, પરન્તુ સંનય 'ત્તિ સંયક્તિ મ-સર્વ સાવદ્યયોગોથી સમ્યક વિરામ પામે તેની વિરતિ કરે તે સંયતસર્વવિરતિ ચારિત્રવાળા. અહીં કર્તાના અર્થમાં ‘ત' પ્રત્યય કરવામાં આવ્યો છે. અસંમત-અવિરતિસમ્યગ્દષ્ટિ, સંયતાસંયતદેશવિરતિવાળા. તથા ‘પત્તિ'ત્તિ-પ્રમાન્તિ મ મોહનીયાદી કર્મના ઉદયના સામર્થ્યથી સંજ્વલન કષાય અને નિદ્રાદિમાંના , કોઈ પણ પ્રમાદના યોગથી સંયમયોગમાં શિથિલ થયેલા હોય તે પ્રમત્ત. અહીં પૂર્વેની પેઠે કર્તાના અર્થમાં 'પત્યય થયો છે. તેઓ પ્રાય: ગચ્છવાસી હોય છે. તેઓને ક્વચિત્ અનુપયોગનો–આત્મવિસ્મૃતિનો સંભવ છે. તેથી વિપરીત અપ્રમત્ત કહેવાય છે. તે પ્રાયઃ જિનકલ્પિક, પરિહારવિશુદ્ધિક, અને યથાલન્દકલ્પિકની પ્રતિમા–અભિગ્રહને પ્રાપ્ત થયેલા હોય છે. તેઓને નિંરતર ઉપયોગ-આત્મજાગૃતિનો સંભવ છે. અહીં જિનકલ્પિકાદિલબ્ધિનો ઉપયોગ કરતા નથી. કારણકે તેઓનો તેવા પ્રકારનો કલ્પઆચાર છે. જે આ ગચ્છવાસી છે તેઓ આહારક શરીર કરે છે. તેઓ પણ તે વખતે લબ્ધિનો ઉપયોગ કરવાને લીધે ઉત્સુકતા થવાથી પ્રમાદયુક્ત હોય છે અને આહારક શરીરનો ત્યાગ કરતા પણ પ્રમાદવાળા હોય છે. કારણકે આત્મપ્રદેશોનું ઔદારિક શરીરને વિશે સંહરણ કરવા વડે વ્યાકુલપણું હોય છે. તેઓ આહારક શરીરમાં અત્તમુહૂર્ત સુધી રહે છે, તેથી જો કે વચ્ચેના કાળમાં કેટલાક કાળ કાંઈક વિશુદ્ધિ હોવાથી કાર્મગ્રન્શિક આચાર્યોએ તેઓનું અપ્રમત્તપણું વર્ણવેલ છે, તો પણ તે લબ્ધિનો ઉપયોગ કરવા વડે પ્રમત્ત જ છે, માટેનો અમસંગા' ઇત્યાદિ સૂત્રથી અપ્રમત્તભાવનો પ્રતિષેધ કર્યો છે. પિત્તત્તિ–ઋદ્ધિપ્રાપ્ત-ઋદ્ધિ-આમર્શઔષધિ (જેનો આદર્શ-સ્પર્શ રોગને દુર કરવામાં ઔષધિરૂપ થાય તેવી લબ્ધિ) વગેરે આત્મિક શક્તિ, તેને પ્રાપ્ત થયેલ ઋદ્ધિપ્રાપ્ત કહેવાય છે. તેથી વિપરીત અવૃદ્ધિ પ્રાપ્ત (લબ્ધિ સિવાયના અન્ય) કહેવાય છે. પ્રથમથી વિશિષ્ટ અને ઉત્તરોત્તર અપૂર્વ અપૂર્વ અર્થનું પ્રતિપાદન કરનાર શ્રુતમાં પ્રવેશ કરતો અને શ્રુતના સામર્થ્યથી તીવ્ર અને તીવ્રતર શુભ ભાવના ઉપર ચઢતો અપ્રમત્ત થતાં ઋદ્ધિઓ પ્રાપ્ત કરે છે. એ સંબધે કહ્યું છે –
अवगाहते च स श्रुतजलधिं प्राप्नोति चावधिज्ञानम् । मानसपर्यायं वा ज्ञानं कोष्ठादिबुद्धीर्वा ॥ चारणवैक्रियसौषधिताद्या वाऽपि लब्धयस्तस्य । प्रादुर्भवन्ति गुणतो बलानि वा मानसादीनि ।।
તે–અપ્રમત્ત શ્રતસાગરમાં પ્રવેશ કરે છે. અને અવધિજ્ઞાન તથા મન:પર્યાય જ્ઞાન કે કોષ્ઠાદિ બદ્ધિ પ્રાપ્ત કરે છે. તેને ચારણ, વૈક્રિય અને સર્વોષધિ વગેરે લબ્ધિઓ તથા માનસિક બળ વગેરે ગુણથી પ્રગટ થાય છે. માનસ–મન સંબન્ધી પર્યાયો-વિષયો જેને
૧ પાણીથી ભજાયેલો હાથ જેટલા વખતમાં સૂકાઇ જાય તેટલા કાળને શાસ્ત્રની પરિભાષામાં જઘન્ય લન્દ કહે છે, પરંતુ અહીં પાંચ રાત્રિદિવસરૂપે ઉત્કૃષ્ટ
લન્દ-કાળ ગ્રહણ કરવો. એક મોટા શહેરના છ વિભાગ કલ્પી એક એક વિભાગમાં ઉત્કૃષ્ટ થી પાંચ દિવસ સુધી ભિક્ષાએ ફરે છે. એ પ્રમાણે માસ કલ્પ પૂર્ણ કરે તે યથાલન્દિ ક કહેવાય છે. પાંચ સાધુઓના ગણ આ કલ્પનો સ્વીકાર કરે છે, તે કલ્પની ઘણીખરી મર્યાદા જિનકલ્પનાં જેવી છે.
155