________________
इगवीसमं सरीरपयं सरीरओगाहणऽप्पबहुदारं
श्री प्रज्ञापना सूत्र भाग २ (મૂ૦) હે ભગવન્! દારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્પણ શરીરમાં દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થપણે અને દ્રવ્યપ્રદેશાર્થપણે
કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય અને વિશેષાધિક? હે ગૌતમ! દ્રવ્યાર્થપણે સૌથી થોડા આહારક શરીરો છે. તેથી વૈક્રિય શરીર દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણાં છે, તેથી ઔદારિક શરીરોદ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણાં છે, અને તેથી તેજસ અને કાર્પણ શરીરોદ્રવ્યાર્થપણે અનંતગુણાં છે અને બન્ને પરસ્પર તુલ્ય છે. પ્રદેશાર્થપણે—સૌથી થોડા આહારક શરીરો પ્રદેશાર્થપણે છે, તેથી વૈક્રિય શરીરો પ્રદેશાર્થપણે અસંખ્યાતગુણાં છે, તેથી ઔદારિક શરીરો પ્રદેશાર્થપણે અસંખ્યાતગુણાં છે, તેથી તેજસ શરીરો પ્રદેશાર્થપણે અનંતગુણાં છે, તેથી કાર્પણ શરીરો પ્રદેશાર્થપણે અનન્તગુણાં છે. દ્રવ્યાર્થપ્રદેશાર્થપણે-સૌથી થોડા આહારક શરીરો વ્યાર્થપણે છે, તેથી વૈક્રિય શરીરો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણાં છે, તેથી ઔદારિક શરીરો દ્રવ્યાર્થણે અસંખ્યાતગુણાં છે, દ્રવ્યાર્થરૂપે ઔદારિક શરીર કરતાં પ્રદેશાર્થરૂપે આહારક શરીરો અનન્તગુણા છે. તેથી વૈક્રિય શરીરો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણાં છે, તેથી ઔદારિક શરીરો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણાં છે, તેથી તેજસ અને કામણ શરીરો દ્રવ્યાર્થરૂપે અનન્તગુણાં અને બન્ને પરસ્પર તુલ્ય છે, તેથી તેજસ શરીરો પ્રદેશાર્થરૂપે અનંતગુણાં છે, તેથી કામણ શરીરો
પ્રદેશાર્થરૂપે અનન્તગુણાં છે. I/૧૩પ૮૧// (ટી.) હવે દ્રવ્ય, પ્રદેશ અને દ્રવ્ય-પ્રદેશ ઉભય રૂપે અલ્પબદુત્વ કહે છે_*પતિ નું મં!'ઇત્યાદિ. સૌથી થોડાં આહારક શરીરો દ્રવ્યાર્થપણે છે, એટલે આહારક શરીરો-શરીરમાત્રદ્રવ્યની સંખ્યા વડે થોડાં છે. કારણ કે ઉત્કૃષ્ટ સ્થાને પણ તેઓ બે હજારથી નવા હજાર સુધી હોય છે. કેમ કે“૩ોસેí ૩ ગુણવં પુહુરનેત્ત સહસાણ” ઉત્કૃષ્ટથી એકસમયે સહસ્ત્રપૃથક્વ હોય છે-એવું શાસ્ત્ર વચન છે. તેથી પણ વૈક્રિય શરીરો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે, કારણ કે સર્વનાશકો, સર્વદેવો તથા કેટલાએકતિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને બાદર વાયુકાયિકોને વૈક્રિય શરીરનો સંભવ છે. તેથી પણ દારિક શરીરો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણાં છે, કારણ કે પૃથિવી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોને ઔદારિક શરીર હોય છે. તેથી પણ તેજસ-કામણ શરીરો દ્રવ્યાર્થપણે અનન્તગુણાં છે, કારણ કે અનન્તાનન્ત સૂક્ષ્મ અને બાદર નિગોદ જીવો પ્રત્યેકને તેજસ અને કામણ શરીર હોય છે. સ્વસ્થાનને આશ્રયી પરસ્પર તલ્ય છે, કારણ બને અવશ્ય સહચારી છે, તેમાંના એકના અભાવમાં બીજાનો પણ અવશ્ય અભાવ હોય છે. પ્રદેશાર્થપણાના વિચારમાં સૌથી થોડા આહારક હોય છે. તેથી વૈક્રિયશરીરો પ્રદેશાર્થપણે અસંખ્યાતગુણાં છે, અહીં જો કે વૈક્રિયશરીર યોગ્ય વર્ગણાથી આહારકશરીર વર્ગણા પરમાણુની અપેક્ષાએ અનન્તગુણી છે, તો પણ થોડી વર્ગણા વડે આહારક શરીર થાય છે. કારણ કે તે હસ્ત પ્રમાણ છે. અને અતિશય ઘણી વૈક્રિય શરીર વર્ગણા વડે વૈક્રિય થાય છે, કારણ કે તે ઉત્કૃષ્ટલાખ યોજન પ્રમાણ છે. અતિ થોડાં આહારક શરીરો છે, કારણ કે સહસપૃથક્વ પ્રમાણ હોય છે. અને અતિશય ઘણાં વૈક્રિય શરીરો છે, કારણ કે તે અસંખ્યાતી શ્રેણીમાં રહેલા આકાશ પ્રદેશના રાશિ પ્રમાણ હોય છે. તેથી આહારક શરીરોથી પ્રદેશાર્થપણે વૈક્રિય શરીરો અસંખ્યાતગુણાં હોય છે. તેથી પણ ઔદારિક શરીરો પ્રદેશાર્થપણે અસંખ્યાતગુણાં છે, કારણ કે તે અસંખ્યાતા લોકાકાશના પ્રદેશ પ્રમાણ હોવાથી તેને અત્યંત ઘણા પ્રદેશોનો સંભવ છે. તેથી પણ તૈજસ શરીરો પ્રદેશાર્થપણે અનન્તગુણાં છે. કારણ કે ઔદારિક શરીરોથી દ્રવ્યાર્થપણે પણ તેઓ અનન્તગુણાં છે. તેથી પણ કાર્પણ શરીરો પ્રદેશાર્થપણે અનન્તગુણાં જાણવા. કારણ કે તેજસ વર્ગણાથી કાર્પણ વર્ગણા પરમાણુની અપેક્ષાએ અનન્તગુણી છે. દ્રવ્યાર્થ–પ્રદેશાર્થપણાના વિચારમાં–સૌથી થોડા આહારક શરીરો દ્રવ્યાર્થપણે છે, તેથી વૈક્રિય શરીરો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણાં છે, તેથી દારિક શરીરોદ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણાં છે, અહીં બધે પૂર્વે કહેલો વિચાર કરવો.દ્રવ્યાર્થપણે ઔદારિક શરીરો કરતાં આહારક શરીરો પ્રદેશાર્થપણે અનન્તગુણાં છે, કારણ કે દારિક શરીરો બધી સંખ્યામળી અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. અને આહારક શરીરને યોગ્ય એક એક વર્ગણામાં પણ અભવ્યોથી અનન્તગુણાં પરમાણુઓ હોય છે. તેથી પણ વૈક્રિય શરીરો પ્રદેશાર્થપણે અસંખ્યાતગુણ હોય છે. તેથી ઔદારિક શરીરો પ્રદેશાર્થપણે અસંખ્યાતગુણાં છે. આ સંબધે વિઆર હમણાંજ કર્યો છે. તેથી પણ તેજસ અને કાર્પણ શરીરો દ્રવ્યાર્થપણે અનન્તગુણાં છે. કારણ કે તે અતિશય મોટી અનન્ત સંખ્યાવયુક્ત છે. તેથી
– 167