________________
श्री प्रज्ञापना सूत्र भाग २
बावीसतिमं किरियापयं जीवाईसु पावट्ठाणविरइपरूवणं પરસ્પરનિયતપણે હોય છે. મિથ્યાદર્શન પ્રતિ સ્યાદ્વાદ છે-એટલે કદાચિત્ હોય છે અને કદાચિત્ હોતી નથી. તેજ બાબત કહે છે. ‘નર્સ યાગો વારિ' ઇત્યાદિ. જેને એ ચાર ક્રિયાઓ હોય છે તેને મિથ્યાદર્શન પ્રત્યયિકી ભજનાએ-વિકલ્પ હોય છે-ઇત્યાદિ. મિશ્રાદેષ્ટિને મિથ્યાદર્શન ક્રિયા હોય છે. બાકીના જીવોને હોતી નથી. જેને મિથ્યાદર્શન ક્રિયા હોય છે તેને પ્રથમની ચાર ક્રિયાઓ અવશ્ય હોય છે, કારણ કે મિથ્યાદર્શનના સદ્ભાવમાં આરંભિકી વગેરે ક્રિયાઓ અવશ્ય હોય છે, એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમાર સુધી કહેવું. પૃથિવીકાયથી માંડી ચઉરિન્દ્રિય સુધીના જીવને પાંચ ક્રિયાઓ પરસ્પર નિયતપણે કહેવી. કારણ કે પૃથિવ્યાદિ જીવોને મિથ્યાદર્શન ક્રિયા અવશ્ય હોય છે. તિર્યંચ પંચેન્દ્રિયને પ્રથમની ત્રણ ક્રિયાઓ પરસ્પર નિયત હોય છે. કેમકે દેશવિરતિ સુધી આ ક્રિયાઓ અવશ્ય હોય છે. પછીની બે ક્રિયાઓ વડે સાદુવાદ છે–એટલે કદાચિત હોય અને કદાચિત્ ન હોય. તેજ સૂત્રકાર બતાવે છ ન થાગો નંતિ' જેને એ ત્રણ ક્રિયાઓ હોય છે તેને ઉપરની બે ક્રિયાઓ ભજનાએ હોય છે-ઇત્યાદિ. દેશવિરતિને ન હોય અને બાકીનાને હોય. જેને ઉપરની બે ક્રિયાઓ હોય છે, તેને પ્રથમની ત્રણ ક્રિયાઓ અવશ્ય હોય છે. ઉપરની બે ક્રિયા અપ્રત્યાખ્યાન ક્રિયા અને મિથ્યાદર્શનપ્રત્યયિકી છે, તેમાં અપ્રત્યાખ્યાન ક્રિયા અવિરતિ સમ્યગ્દષ્ટિ સુધી હોય છે, અને મિથ્યાદર્શન ક્રિયા મિથ્યાષ્ટિને હોય છે. પ્રથમની ચાર ક્રિયાઓ દેશવિરતિ સુધી હોય છે, માટે ઉપરની ક્રિયાઓ હોય ત્યારે અવશ્ય પ્રથમની ત્રણ ક્રિયાઓ હોય છે. હવે તિર્યંચ પંચેન્દ્રિયને અપ્રત્યાખ્યાન ક્રિયા સાથે મિથ્યાદર્શન ક્રિયાનું પરસ્પર નિયતપણું બતાવે છે-જેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય છે તેને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય-ઇત્યાદિ સૂત્રનો વિચાર કર્યો. જેમ જીવપદને વિષે કહ્યું તેમ મનુષ્યને કહેવું.વ્યન્તર, જ્યોતિષિક અને વૈમાનિકોને નૈરયિકની પેઠે કહેવું. એ એકદંડક કહ્યો. એ પ્રમાણે વં સમુ અંતે! નીવર્સ'–હે ભગવન્! જે સમયે જીવને આરંભિકી ક્રિયા હોય છે તે સમયે પારિગ્રહિક ક્રિયા હોય? ઇત્યાદિ બીજો દંડક, ‘ ' જે દેશ-અંશને આશ્રયી ઇત્યાદિ ત્રીજો દંડક અને ‘ગં પાં ' જે પ્રદેશને આશ્રયીઇિત્યાદિ ચોથો દંડક કહ્યો. I/૧૨/૫૯૪
|| નીવારવાવિરપુરૂવUi II. अस्थि णं भंते! जीवाणं पाणाइवायवेरमणे कज्जति? हता! अत्थिा कम्हि णं भंते! जीवाणं पाणाइवायवेरमणे कज्जति? गोयमा! छंसु जीवनिकाएसु। अस्थि णं भंते! नेरइयाणं पाणाइवायवेरमणे कज्जति? गोयमा! नो इणट्टे समढे। एवं जाव वेमाणियाणं णवरं मणूसाणं जहा जीवाणं। एवं मुसावाएणं जाव मायामोसेणं जीवस्स य मणूसस्स य, सेसाणं नो इणढे समठे। णवरं अदिन्नादाणे गहण-धारणिज्जेसु दव्वेसु, मेहुणे रूवेसु वा रूवसहगएसु वा दव्वेसु, सेसाणं सव्वदव्वेसु। अत्थि णं भंते! जीवाणं मिच्छादसणसल्लवेरमणे कज्जति? हंता! अत्थि। कम्हि णं भंते। जीवाणं मिच्छादसणसल्लवेरमणे कज्जति? गोयमा! सव्वदव्वेसु, एवं नेरइयाणं जाव वेमाणियाणं, णवरं एगिदियविगलेंदियाणं नो इणढे समढे ।।सू०-१३।।५९५।। . (મૂળ) હે ભગવન્! શું એમ છે કે જીવને પ્રાણાતિપાત વિરમણ હોય? હા ગૌતમ! હોય છે. હે ભગવન્! જીવોને કોને વિષે
પ્રાણાતિપાત વિરમણ હોય? હે ગૌતમ! છ જવનિકાયને વિષે હોય. હે ભગવન્!તૈરયિકોને પ્રાણાતિપાત વિરમણ હોય? હે ગૌતમીએ અર્થ સમર્થ-યુક્ત નથી. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. પરન્તુ જેમ જીવોને કહ્યું તેમ મનુષ્યોને સમજવું. એમ મૃષાવાદવિરમણ વડે યાવત્ માયામૃષાવિરમણ વડે જીવને અને મનુષ્યને જાણવું. બાકીનાને એ અર્થ યુક્ત નથી. પરન્તુ અદત્તાદાન ગ્રહણ અને ધારણ કરવા લાયક દ્રવ્યોને વિષે, મૈથુન રૂપ અને રૂપસહિત દ્રવ્યોને વિષે સમજવું. બાકી બધા સર્વદ્રવ્યોને વિષે જાણવા. હે ભગવન્! જીવોને મિથ્યાદર્શનશલ્યવિરમણ હોય? હા હોય. હે ભગવન્! કોને વિષે જીવને મિથ્યાદર્શનશલ્યવિરમણ હોય? હે ગૌતમ! સર્વ દ્રવ્યોને વિષે હોય. એમ નરયિકો યાવતું વૈમાનિકોને જાણવું.
પરન્તુ એકેન્દ્રિય અને વિકલૅન્દ્રિયને એ અર્થ યુક્ત નથી. /૧૩/૫૯૫ll • 188