________________
बावीसतिमं किरियापयं जीवाईसु किरियाविसयपरूवणं
श्री प्रज्ञापना सूत्र भाग २
વર્ડ ક્રિયા કરે છે? હે ગૌતમ! એમજ સમજવું. એ પ્રમાણે નિરન્તર વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! શું એમ છે કે જીવો મૃષાવાદ વડે ક્રિયા કરે છે? હા ગૌતમ! એમ છે. હે ભગવન્! જીવો કોને વિષે મૃષાવાદ વડે ક્રિયા કરે છે? હે ગૌતમ! સર્વ દ્રવ્યોને વિશે ક૨ે છે. એ પ્રમાણે નિરન્તર નૈરયિકોને યાવત્ વૈમાનિકોને જાણવું. હે ભગવન્!શું એમ છે કે જીવો અદત્તાદાન વડે ક્રિયા કરે છે? હા ગૌતમ ! એમ છે. હે ભગવન્! જીવો કોને વિષે અદત્તાદાન વડે ક્રિયા કરે છે? હે ગૌતમ! ગ્રહણ કરવા યોગ્ય અને ધારણ કરવા યોગ્ય દ્રવ્યોને વિષે કરે છે. એ પ્રમાણે નૈરયિકોને યાવત્ નિરન્તર વૈમાનિકોને જાણવું. હે ભગવન્! શું એમ છે કે જીવો મૈથુન વડે ક્રિયા કરે છે? હા એમ છે. હે ભગવન્! જીવો મૈથુન વડે કોને વિષે ક્રિયા કરે છે? હે ગૌતમ! રૂપને વિષે અથવા રૂપ સહિત દ્રવ્યને વિષે કરે છે. એ પ્રમાણે નૈરયિકોને નિરન્તર યાવત્ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! શું એમ છે કે જીવો પરિગ્રહ વડે ક્રિયા કરે છે? હા એમ છે. હે ભગવન્! જીવો કોને વિષે પરિગ્રહ વડે ક્રિયા કરે છે? હે ગૌતમ! સર્વ દ્રવ્યને વિષે કરે છે. એ પ્રમાણે નૈરયિકો યાવત્ વૈમાનિકો સુધી જાણવુ. એમ ક્રોધ, માન, માયા, લોભ, પ્રેમ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન (તોહમત-આળ ચઢાવવું) પૈશુન્ય, પરપરિવાદ, અરિત રિત, માયામૃષાવાદ અને મિથ્યાદર્શન શલ્ય વર્ડ ક્રિયા કરે છે. એમ સર્વને વિષે અને નૈરયિકના ભેદ વડે કહેવા. એમ નિરન્તર યાવત્ વૈમાનિકો સુધી જાણવું. એ પ્રમાણે એ અઢાર દંડકો થાય છે. ૩૫૮૫૫
(ટી૦) હવે પ્રાણાતિપાતક્રિયા જે પ્રકારે થાય તે પ્રકા૨ે બતાવે છે—‘હે ભગવન્! જીવોને પ્રાણાતિપાત વડે એટલે પ્રાણાતિપાતના અધ્યવસાય વડે ક્રિયા–અર્થાત્ પ્રાણાતિપાતક્રિયા કરાય છે? આ કર્મકર્તરિ પ્રયોગ છે. એટલે જીવોને પ્રાણાતિપાતના અધ્યવસાય વડે પ્રાણાતિપાતક્રિયા થાય છે? આ પ્રશ્ન વર્તમાન નયના અભિપ્રાયથી છે. અહીં કયો નય છે કે જે અધ્યવસાય સંબન્ધે પ્રશ્ન કરે છે? ૠજુસૂત્ર નય છે. જેમ કે ૠજુસૂત્ર નયના મતે હિંસાના પરિણામ સમયે જ પ્રાણાતિપાતક્રિયા કહેવાય છે, પણ અન્ય પ્રકારના પરિણામ હોય ત્યારે પ્રાણાતિપાતક્રિયા કહેવાતી નથી. કારણ કે પુણ્ય અને પાપ કર્મનું ગ્રહણ અને અગ્રહણ અધ્યવસાયને અનુસારે હોય છે. ભગવંત પણ તે ૠજુસૂત્ર નયને આશ્રયી પ્રત્યુત્તર આપે છ–‘દત્તા અસ્થિ'. ‘હન્ત’ અવ્યય પ્રેષણ, અવધારણ અને વિષાદ અર્થમાં વપરાય છે. અહીં અવધારણ અર્થમાં છે. એમ નિશ્ચિત છે કે પ્રાણાતિપાતના અધ્યવસાય વડે પ્રાણાતિપાત ક્રિયા થાય છે. કારણ કે ‘પરિગામિય પમાાં નિ∞યમવલંબમાળાĪ'નિશ્ચય નયનું અવલમ્બન કરનારને પરિણામ પ્રમાણભૂત છે–એવું આગમનું વચન છે. આ જ વચનને આશ્રયી આવશ્યકમાં પણ આ સૂત્ર છ—“બાયા ચેવ ગહિંસા, બાયા હિંસ ત્તિ નિઓ ક્ષ" આત્મા જ અહિંસા છે અને આત્મા હિંસા છે–એ નિશ્ચય નયનું વચન છે. એ પ્રમાણે જેમ પ્રાણાતિપાતક્રિયા થાય તે પ્રકારે કહ્યું. હવે કોને વિષે પ્રાણાતિપાત ક્રિયા થાય છે એ સંબન્ધુ નિરૂપણ કરે છ—માિં ખં ભંતે'!’-હે ભગવન્! કોને વિશે પ્રાણાતિપાતક્રિયા થાય છે? ઇત્યાદિ સૂત્ર સુગમ છે, પણ એટલી વિશેષતા છે કે મારવાનો પરિણામ જીવને વિષે થાય છે, પણ અજીવને વિશે થતો નથી. જે રજ્જુ વગેરેમાં સર્પાદિની બુદ્ધિથી મારવાનો વિચાર થાય છે તે પણ ‘આ સર્પ છે’ એ બુદ્ધિથી પ્રવૃતિ કરતો હોવાથી જીવને વિષેજ થાય છે, પણ રજ્જુ વગેરેને રજ્જુ વગેરે રૂપે જાણ્યા પછી કોઇ તેને મારવાનો વિચાર કરતું નથી. માટે પ્રાણાતિપાતક્રિયા છ જીવનિકાયને વિષે કહી છે. હવે એજ પ્રાણાતિપાત ક્રિયાનો ઉપર કહ્યા પ્રમાણે નૈરયિકાદિ ચોવીશ દંડકને આશ્રયી વિચા૨ ક૨ે છે–‘અસ્થિ ં મંતે'ઇત્યાદિ પરન્તુ સૂત્રપાઠ આ પ્રમાણે જાણવા—“અસ્થિ ળ અંતે! નેફ્યાળ પાળાવાળું જિરિયા જ્ગફ? હન્તા અસ્થિા મ્યુિં નું મંતે! પાળાવાળું જિરિયા જ્ન્મ? ગોયમા ! છતુ નીવનિાત્તું”“હે ભગવન્! શું એમ છે કે નૈરયિકોને પ્રાણાતિપાત વડે ક્રિયા થાય છે ? હા અવશ્ય થાય છે. હે ભગવન્! કોને વિષે પ્રાણાતિપાત વડે ક્રિયા થાય છે? ગૌતમ! છ જીવનિકાયને વિષે થાય છે. એ પ્રમાણે વૈમાનિકસૂત્ર સુધી જાણવું. એમ જે પ્રકારે પ્રાણાતિપાત ક્રિયા થાય છે અને જેને વિષે થાય છે તેનું પ્રતિપાદન કર્યું. હવે એ પ્રમાણે જ મૃષાવાદાદિ સંબન્ધ સૂત્રો કહે છે—‘અસ્થિ ળ અંતે! મુન્નાવાŕ'— મૃષાવાદના પરિણામવડે ક્રિયા થાય છે? ઇત્યાદિ સુગમ છે. પરન્તુ ‘જિરિયા ગ્ગફ’યથાસંભવ પ્રાણાતિપાત વગેરે ક્રિયા થાય છે. એટલે પ્રાણાતિપાતના પરિણામ વર્ડ પ્રાણાતિપાતક્રિયા થાય છે, મૃષાવાદના પરિણામ વડે મૃષાવાદક્રિયા થાય છે. તથા
173