________________
श्री प्रज्ञापना सूत्र भाग २
इगवीसमं सरीरपयं तेयगसरीरे विहि-संठाणदारं चेव ओरालिय त्ति। देवाणं भंते! तेयगसरीरे किंसंठिए पन्नत्ते? गोयमा! जहा वेउव्वियस्स जाव अणुत्तरोववाइय ત્તિiાતૂ૦-II૭૭|ી. (૫૦) હે ભગવન્! તેજસ શરીર કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! પાંચ પ્રકારનું છે. તે આ પ્રમાણે એકેન્દ્રિય તેજસ શરીર, યાવત્
પંચેન્દ્રિય તેજસ શરીર. હે ભગવનું ! એકેન્દ્રિય તેજસ શરીર કેટલા પ્રકારનું છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારનું છે. તે આ પ્રમાણે-પૃથિવીકાયિક, યાવત્ વનસ્પતિકાયિક એકેન્દ્રિય તેજસ શરીર. એ પ્રમાણે જેમ ઔદારિક શરીરનો ભેદ કહ્યો તેમ તેજસ શરીરનો પણ ચઉરિન્દ્રિય જીવો સુધી ભેદ કહેવો. હે ભગવન્! પંચેન્દ્રિય તૈજસ શરીર કેટલા પ્રકારે છે? હે ગૌતમ! ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે-નરયિક તેજસ શરીર, યાવતુ–દેવ તેજસ શરીર. નૈરયિકોના વૈક્રિય શરીર સંબંધ (પર્યાપ્ત અને અપર્યાપ્ત રૂ૫) બે ભેદ કહ્યા છે તેમ તેજસ શરીર સંબંધે કહેવા. પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યોને જેમ ઔદારિક શરીર સંબંધે ભેદ કહ્યો છે તેમ કહેવો અને દેવોને વૈક્રિય શરીરનો ભેદ કહ્યો છે તેમ સવથિસિદ્ધ સુધી કહેવો. હે ભગવન્! તેજસ શરીર કેવા પ્રકારના સંસ્થાનવાળું છે? હે ગૌતમ! અનેક પ્રકારના સંસ્થાનવાળું છે. હે ભગવન્! એકેન્દ્રિય તેજસ શરીર કેવા પ્રકારના સંસ્થાનવાળું છે. અનેક પ્રકારના સંસ્થાનવાળું છે. હે ભગવન્!પૃથિવીકાયિક એકેન્દ્રિય તૈજસ શરીર કેવા પ્રકારના સંસ્થાનવાળું છે? હે ગૌતમ! મસૂરના ચંદ્ર-ચંદ્રાકાર અર્ધભાગના સંસ્થાન જેવું છે. એ પ્રમાણે ઔદારિક સંસ્થાનોને અનુસાર યાવત્ ચઉરિન્દ્રિય જીવો સુધી કહેવું. હે ભગવન્!નરયિકોને તૈજસ શરીર કેવા પ્રકારના સંસ્થાનવાળું છે? હે ગૌતમ!જેમ વૈક્રિય શરીર કહ્યું તેમ કહેવું. પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યોને જેમ એને જે પ્રમાણે ઔદારિક શરીર કહ્યું છે તેમ કહેવું. હે ભગવન્! દેવોને તેજસ શરીર કેવા પ્રકારના સંસ્થાનવાળું છે? હે ગૌતમ! જેમ વૈક્રિય શરીર સંબંધે
કહ્યું છે તેમ યાવત્ અનુત્તરૌપપાતિક સુધી કહેવું. Iel/૫૭૭ll. ' (ટી૦) એ પ્રમાણે આહારક શરીરના ભેદ, સંસ્થાન અને અવગાહનાનું પ્રમાણ કહ્યું. હવે તેજસ શરીરના ભેદ વગેરેનું નિરુપણ કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે–‘તેયારીરે અંતે'!–હે ભગવન્ ! તૈજસ શરીર કેટલા પ્રકારનું છે? ઇત્યાદિ. અહીં તેજસ શરીર બધાને અવશ્ય હોય છે. તેથી જેમ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, અને ચઉરિન્દ્રિય સંબંધે ઔદારિક શરીરનો ભેદ કહ્યો તેમ ચઉરિન્દ્રિય સુધી યાવત્ તેજસ શરીરનો ભેદ કહેવો. પંચેન્દ્રિય તેજસ શરીરના વિચારમાં નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવતાના ભેદથી ચાર પ્રકારનું પંચેન્દ્રિય તેજસ શરીર છે. તેમાં નારક સંબંધી તેજસ શરીરના વિચારમાં જેમ પૂર્વે વૈક્રિય શરીરના પર્યાપ્તા અને અપર્યાપ્તા બે ભેદ કહ્યા છે તેમ અહીં પણ કહેવા. તે આ પ્રમાણ—“જો નૈરયિક પંચેન્દ્રિય તેજસ શરીર છે તો શું રત્નપ્રભા પૃથિવી નરયિક પંચેન્દ્રિય તૈજસ શરીર છે કે યાવત્ નીચેની સાતમી નરકમૃથિવી નૈરયિક પંચેન્દ્રિય તૈજસ શરીર છે? હે ગૌતમ! રત્નપ્રભા પૃથિવી નૈરયિક પંચેન્દ્રિય તૈજસ શરીર છે, યાવત્ નીચેની સાતમી નરક પૃથિવી નૈરયિક પંચેન્દ્રિય તૈજસ શરીર પણ છે. જો રત્નપ્રભા પૃથિવી નરયિક પંચેન્દ્રિય તેજસ શરીર છે તો શું પર્યાપ્ત રત્નપ્રભા નૈરયિક તૈજસ શરીર છે કે અપર્યાપ્ત રત્નપ્રભા નરયિક તૈજસ શરીર છે? ઇત્યાદિ. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને જેમ પૂર્વે ઔદારિક શરીરનો ભેદ કહ્યો છે તેમ અહીં પણ કહેવો. તે આ પ્રમાણ–“હે ભગવન્! તિર્યંચ પંચેન્દ્રિય તેજસ શરીર કેટલા પ્રકારનું છે”-ઇત્યાદિ દેવોને જેમ વૈક્રિય શરીરનો ભેદ કહ્યો છે તે પ્રમાણે તેજસ શરીરનો ભેદ કહેવો. તે આ પ્રમાણે—જો દેવ પંચેન્દ્રિય તેજસ શરીર છે તો શું ભવનવાસી દેવ પંચેન્દ્રિય તેજસ શરીર છે' ઇત્યાદિ સર્વાર્થસિદ્ધ દેવસૂત્ર સુધી કહેવું. - તેજસ શરીરના પ્રકાર કહ્યા, હવે તેના સંસ્થાનનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર કહેછ તેયારી માં અંતે વિ સંદિપ પત્રણે' ઇત્યાદિ–હે ભગવન્! તૈજસ શરીર કેવા પ્રકારના સંસ્થાનવાળું છે-ઇત્યાદિ સુગમ છે. અહીં જીવપ્રદેશાનુસારી તૈજસ શરીર છે, તેથી તે તે યોનિમાં ઔદારિક શરીર કે વૈક્રિય શરીરને અનુસાર જીવપ્રદેશોનું જે સંસ્થાન હોય છે તેજ સંસ્થાન તેજસ શરીરનું પણ હોય છે, તે માટે પૂર્વે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય સંબન્ધી જે ઔદારિક
. 158.