________________
श्री प्रज्ञापना सूत्र भाग २
इगवीसमं सरीरपयं कम्मगसरीरे विहि-संठाण-पमाणदाराई
નરયિક સૂત્રમાં લંબાઈ વડે જઘન્યથી કંઇક અધિક હજાર યોજન કહ્યા છે તેનો વિચાર આ પ્રમાણે કરવો-અહીં વલયામખાદિ ચાર પાતાલ કલશો લાખ યોજન ઉંડા છે. તેની ઠીકરી હજાર યોજન જાડી છે. તેઓની નીચેનો ત્રીજો ભાગ વાયથી ભરેલો છે, ઉપરનો ત્રીજો ભાગ પાણીથી સંપૂર્ણ છે અને વચ્ચેનો ત્રીજો ભાગ વાયુ અને પાણીના વધવા અને ઘટવાના સ્વભાવવાળો છે. તેમાં જ્યારે કોઇ સીમન્નકાદિ-ઈન્દ્રક નરકવાસોમાં વર્તમાન નૈરયિક જે પાતાલકલશના નજીક છે તે પોતાના આયુષ્યના ક્ષયથી નીકળી અને હજાર યોજન પ્રમાણ પાતાલકલશની ભીંતને ભેદી પાતાલકલશના બીજા કે ત્રીજા ત્રિભાગને વિષે મત્સ્યપણે ઉત્પન્ન થાય ત્યારે મારણાન્તિક સમુઘાત કરતા નરયિકની કાંઈક અધિક હજાર યોજન પ્રમાણ તૈજસ શરીરની જઘન્ય
અવગાહના હોય છે. અને ઉત્કૃષ્ટ સાતમી નરકમૃથિવી સુધી તથા તીરછું સ્વયંભૂરમણ સમુદ્ર સુધી અને ઊર્વલોકમાં પડકવનની પુષ્કરિણી સુધી જાણવી. તાત્પર્ય એ છે કે નીચે સાતમી નરકમૃથિવીથી આરંભી તીરછું સ્વયંભૂરમણ સુધી અને ઊર્ધ્વ પંડકવનની પુષ્કરિણીઓ(વાવ) સુધીની અવગાહના હોય છે. એટલી અવગાહના જ્યારે નીચેની સાતમી નરકમૃથિવીનોનારકસ્વયંભૂરમણ સમુદ્રના અજો કે પંડકવનમાં પુષ્કરિણીને વિષે મત્સ્યરૂપે ઉત્પન્ન થાય ત્યારે હોય છે. તિર્યંચ પંચેન્દ્રિયને ઉત્કૃષ્ટથી તીરછા લોકથી માંડી લોકાન્ત સુધીની અવગાહના હોય છે. અહીં પણ બેઇન્દ્રિયની પેઠે વિચાર જાણવો. કારણ કે એકેન્દ્રિયોમાં તિર્યંચ પંચેન્દ્રિયની ઉત્પત્તિનો સંભવ છે. મનુષ્યની સમયક્ષેત્રથી માંડી લોકાન્ત સુધીની અવગાહના હોય છે. જેમાં સમય-કાળ પ્રધાન છે તે સમયક્ષેત્ર. અહીંમધ્યમપદલોપી સમાસ હોવાથી પ્રધાન શબ્દનો લોપ થયો છે. જે અઢી દ્વીપ પ્રમાણ ક્ષેત્રમાં સૂર્યાદિની ગમન ક્રિયા વડેવ્યક્ત સમય નામે કાળ દ્રવ્ય છે તે સમયક્ષેત્ર, એટલે કે માનુષક્ષેત્ર કહેવાય છે. ત્યાંથી માંડી ઊર્ધ્વ અને અધો લોકાન્ત પ્રમાણ મનુષ્યના તેજસ શરીરની અવગાહના હોય છે. કારણ કે મનુષ્યની પણ એકેન્દ્રિયમાં ઉત્પત્તિનો સંભવ છે. સમયક્ષેત્રનું ગ્રહણ સમયક્ષેત્રથી અન્ય ક્ષેત્રમાં મનુષ્યનો જન્મ અને સંહરણ અસંભવિત હોવાથી અધિક અવગાહનાનો સંભવ નથી.
અસુરકુમારથી માંડી સ્વનિકકુમાર સુધીના ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષિક, સૌધર્મ અને ઈશાન દેવોને જઘન્યથી - આંગળનો અસંખ્યાતમો ભાગ છે. કેવી રીતે હોય છે? કારણ કે એ પૂર્વોક્ત જીવો એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે. તેથી જ્યારે પોતાના આભરણરૂપ અંગદ–બાજુબંધ વગેરેમાં કે કુંડલાદિમાં જે પદ્મરાગાદિ મણિઓ છે તેઓમાં આસક્તિવાળા, મૂછવાળા અને તેનાજ અધ્યવસાય-પરિણામવાળા તેઓ તેજ શરીર ઉપરના ઘરેણા વગેરેમાં પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થાય છે ત્યારે જઘન્યથી આગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણ તૈજસ શરીરની અવગાહના હોય છે. અન્ય આચાર્યો અહીં બીજી રીતે વિચાર કરે છે, પરંતુ તે અત્યન્ત સંગત નથી. “દિ કુમારૂતિત્યાઃ પુનતમબાવતિ"-કુમાર્ગનો ત્યાગ કરનાર પુનઃ તેનું અનુસરણ કરતો નથી-એ ન્યાયને અનુસરીઅહીં તે વિચારે લખ્યો નથી, તેમ દુષિત પણ કર્યો નથી. ઉત્કૃષ્ટથી નીચે ત્રીજી નરક પૃથિવીના નીચેના ચરમાન્ત સુધી અને તીર સ્વયંભૂરમણ સમુદ્રની બાહ્ય વેદિકાના અન્ન સુધી તથા ઊર્ધ્વલોકમાં ઈષ~ાશ્મારા પૃથિવી સુધી હોય છે. કેવી રીતે હોય?તે આ પ્રમાણે—જ્યારે ભવનપતિ વગેરે દેવ ત્રીજી નરકમૃથિવીના નીચેના ચરમાન્ત સુધી કોઈ પણ પ્રયોજનના વશથી જાય છે. અને ત્યાં ગયેલો કોઇ પણ રીતે પોતાના આયુષ્યનો ક્ષય થવાથી મરીને તીરછું સ્વયંભૂરમણ સમુદ્રના બહારની વેદિકાના * પ્રજ્ઞાપનાવૃત્તિમાં આચાર્ય હરિભદ્રસૂરિ આ સંબંધે નીચે પ્રમાણે ખુલાસો કરે છે–“નરયિકોનું તૈજસ શરીર લંબાઇમાં કંઇક અધિક હજાર યોજન કેમ
હોય? નરકથી નીકળી પાતાલકલશની ભીંતને ભેદી મઢ્યમાં ઉત્પન્ન થનારને અથવા પાતાલકલશથી નરકમાં ઉત્પન્ન થનાર મત્સ્યને હોય છે. બીજા આચાર્યો આ પ્રમાણે કહે છ–નારકોને હજાર યોજન કેમ હોય? સર્વના ઉપર, વજમય અને જેની ભીંત હજાર યોજન જાડી છે એવો સીમન્તક નામે નરકાવોસ છે તેમાં જે નારકો છે તે અહીંથી હજાર યોજન જઇ મત્સ્યપણે ઉપજવાના છે તે મરણ સમુઘાત કરી ત્યાં જાય છે માટે હજાર યોજન
થાય છે. ૨. એ સંબંધે પૂજ્ય હરિભદ્રાચાર્ય આ પ્રમાણે કહે છે–ઉત્પત્તિ સ્થાને આવેલા જીવ પ્રદેશની અપેક્ષાએ એ કથન છે. (કેમકે ઉપપાત ક્ષેત્ર અંગુલના
અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે.) કારણ કે મણિ કે તેના આભરણાદિ ઉપપાત ક્ષેત્રની સાથે તેના (ભવનપત્યાદિના) શરીરના વિખંભ-વિસ્તાર અને બાહલ્ય જાડાઇનો સંબન્ધ નથી.ઉપપાત ક્ષેત્રમાં જવા છતાં પણ સમુદાયને આશ્રય આહાર, ત્યારે કહેવાય કે જ્યારે વિખંભ અને જાડાઇને સંહરી સર્વાત્મા વડે ત્યાં સ્થિર થાય. (એટલે ત્યાં સ્થિર સુધી જીવ પ્રદેશની અપેક્ષાએ તૈજસ શરીરની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે.) આ ભવનપત્યાદિ પોતાના આભરણ આદિમાં ઉત્પન્ન થતો હોય ત્યારે જ જાણવું. 162