________________
श्री प्रज्ञापना सूत्र भाग २
इगवीसमं सरीरपयं अत्थाहिगारपरूवणं विहि-संठाण-पमाणदाराई • || ફુવીરમં સરીરપર્વ અત્યાદિરVરૂવUi II. विहिसंठाणपमाणं पोग्गलचिणणा सरीरसंजोगो । दव्वपएसऽप्पबहुं सरीरोगाहणऽप्पबहु ।।
|| વિદિ-સંતા–પમાળવારાડું // कति णं भंते! सरीरया पण्णत्ता? गोयमा! पंच सरीरया पन्नत्ता, तंजहा-ओरालिए १, वेउव्विए २,आहारए ३, तेयए ૪, મ ૧. સૂ૦-II૬૬il.
એકવીસમું શરીર પદ. (મૂળ) ૧ વિધિ-શરીરના ભેદ, ર સંસ્થાન-શરીરનો આકાર, ૩ શરીરનું પ્રમાણ, ૪ શરીરના પુદ્ગલોનો ચય, ૫ શરીરોનો
પરસ્પર સંબંધ, ૬ શરીરોનું દ્રવ્ય, પ્રદેશ અને દ્રવ્ય-પ્રદેશો વડે અલ્પબહુત્વ અને, શરીરની અવગાહનાનું અલ્પબદુત્વ એ અધિકારો કહેવાના છે. હે ભગવંત! શરીર કેટલાં પ્રકારનાં કહ્યાં છે? હે ગૌતમ! શરીર પાંચ પ્રકારના કહ્યાં છે. તે આ પ્રમાણે – ૧ ઔદારિક, ૨
વૈક્રિય, ૩ આહારક, ૪ તૈજસ, ૫ કાર્મણ. //૧/૫૬૯ll (ટી૦) ૧. વીશમા પદની વ્યાખ્યા કરી, હવે એકવીશમા પદનો પ્રારંભ કરાય છે. તેનો આ પ્રમાણે સંબંધ છે-અહીં પૂર્વના પદમાં ગતિના પરિણામ વિશેષ અન્તક્રિયારૂપ પરિણામ કહ્યો, અહીં પણ નરકાદિ ગતિમાં ઉત્પન્ન થયેલા જીવોના ગતિના પરિણામ વિશેષ રૂપ જ શરીરના સંસ્થાનાદિન પ્રતિપાદન કરાય છે. અહીં આ અધિકારગાથા છે-“વિદિસંતાપમાને' ઇત્યાદિ. પ્રથમ અધિકારમાં વિધિ-શરીર-ના ભેદો કહેવાના છે. ત્યાર પછી સંસ્થાનો, પછી શરીરોનું પ્રમાણ, ત્યાર બાદ કેટલી દિશાઓથી શરીરોના પુદ્ગલોનો ઉપચય થાય છે-એ પ્રમાણે પુદ્ગલોનો ચય કહેવાનો છે. પછી ક્યા શરીરના સદ્ભાવમાં કયું શરીર અવશ્ય હોય એ પ્રમાણે શરીરનો પરસ્પર સંબંધ કહેવાનો છે. ત્યાર પછી દ્રવ્યો, પ્રદેશ અને દ્રવ્યપ્રદેશો વડે અલ્પબદુત્વ કહેવાનું છે, તાત્પર્ય એ છે કે દ્રવ્યાર્થરૂપે પ્રદેશાર્થરૂપે અને દ્રવ્યાર્થ–પ્રદેશાર્થરૂપે પાંચે શરીરોનું અલ્પબહુત કહેવાનું છે, ત્યાર પછી પાંચે શરીરનું અવગાહના સંબંધે અલ્પબહુત કહેવાનું છે. એ અધિકાર ગાથાનો સંક્ષેપથી અર્થ કહ્યો. - તેમાં ઉદેશના ક્રમ પ્રમાણે નિર્દેશ હોય છે એ ન્યાયથી પ્રથમ વિધિદ્વાર કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર પ્રારંભમાં શરીરના મુલ ભેદો જણાવે છે–‘ | મત્તે'! ઇત્યાદિ. હે ભગવન્! કેટલા શરીરો છે? ‘શીર્થને'–પ્રતિક્ષણ વિનશ્વર ભાવને ધારણ કરે તે શરીરો. ભગવાન ઉત્તર આપે છે-“હે ગૌતમ !મે તથા અન્ય તીર્થકરોએ પાંચ શરીરો કહ્યા છે. તેને નામમાત્ર થી જણાવે છે
ઓરાલિએ' ઇત્યાદિ. ઉદાર-પ્રધાન, એનું પ્રધાનપણું તીર્થકર અને ગણધરના શરીરની અપેક્ષાએ સમજવું. કારણ કે તેથી અન્ય અનુત્તર દેવોનું શરીર પણ અનન્તગુણહિન છે. અથવા ઉદાર-કઈક અધિક હજાર યોજન પ્રમાણ હોવાથી બીજા શરીરની અપેક્ષાએ મોટું; તેનુ મોટાપણું ભવધારણીય સ્વભાવિક વૈક્રિય શરીરની અપેક્ષાએ સમજવું, અન્યથા ઉત્તર વૈક્રિય લાખ યોજન પ્રમાણ પણ હોય છે. ઉદારમેવ ઔદારિક ઉદાર એજ ઔદારિક. અહીં સ્વાર્થમાં વિનયાદિમાં પાઠ હોવાથી રૂ'પ્રત્યય થયો છે. જેમકે વિનય ઉપરથી વૈયિક વિવિઘા વિશિષ્ટ વા ક્રિયા વિયિા, તયાં સર્વ વૈશ્વિય-વિવિધ પ્રકારની અથવા વિશિષ્ટ ક્રિયા તે વિક્રિયા, તે નિમિત્તે થયેલું તે વૈક્રિય, તે આ પ્રમાણે-“તે વૈક્રિયશરીર એક થઈને અનેક રૂપે થાય છે, અને અનેક થઇને એક થાય છે, સૂક્ષ્મ થઇને મોટું થાય છે, અને મોટું થઈને સૂક્ષ્મ થાય છે, ખેચર થઇને-આકાશમાં ચાલીને ભુમિ ઉપર ચાલે છે, ભુમિ ઉપર ચાલીને આકાશમાં ચાલે છે. દ્રશ્ય થઈને અદ્રશ્ય થાય છે, અને અદ્રશ્ય થઈને દ્રશ્ય થાય છે” –ઇત્યાદિ. તે વૈક્રિય શરીર બે પ્રકારનું છે-ઔપપાતિક અને લબ્ધિપ્રત્યય. તેમાં ઉપપાતજન્મ નિમિત્તે થયેલું તે ઔપપાતિક. તે દેવ અને નારકોને હોય છે અને લમ્બિનિમિત્તકમનુષ્ય અને તિર્યંચોને હોય છે. મહારા'ત્તિ. આહારક-ચઉદ પૂર્વધરો વડે તીર્થંકરની ઋદ્ધિદર્શન વગેરે તથાવિધ १. हरीभद्रवृत्ति-मलयवृत्ति गत सूत्र पाठावतरणे, हरिभद्रवृत्ति प्रत्यन्तरे पुनः 'पमाण' इति पाठोऽप्युलभ्यते. _130